• 13 June, 2026 - 9:01 AM

આવકવેરાના સરવેમાં સોગંદનામા પર  સ્ટેટમેન્ટ આપ્યા પછી પક્ષકાર ફરી નહિ શકે

આવકવેરાનાસરવેમાં પણ હવે સોગંદનામા પર સ્ટેટમેન્ટ આપવું પડશેઃ એકાઉન્ટની વિગતો બીજે હોવાનું કરદાતા જણાવે તો તે સ્થળે આવકવેરા અધિકારી સરવે કરી શકશે કરદાતાના એકાઉન્ટન્ટેની ઓફિસમાંથી મળેલા ડેટા જપ્ત કરી શકશે. આવકવેરાના સરવે હેઠળ આવરી લેવામાં આવેલા પક્ષકારે આવકવેરાના અધિકારીઓને આપેલા સ્ટેટમેન્ટમાંથી હવે પીછેહઠ કરી શકશે નહિ. તકાળમાં સ્ટેટમન્ટ આપ્યા પછી દબાણ હેઠળ સ્ટેટમેન્ટ લેવાયું હોવાનું જણાવીને ફરી જતાં હતા તે હવે શક્ય બનશે નહિ. આવકવેરા ધારા ૨૦૨૫ની કલમ ૨૫૩માં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે આવકવેરા અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સરવે હેઠળની પાર્ટીઓએ પણ આવકવેરા અધિકારીઓને સોગંદનામા પર સ્ટેટમેન્ટ આપવું પડશે.

ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે સોગંદનામા પર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હોવાથી જે તે કરદાતા દબાણ હેઠળ સ્ટેટમેન્ટ લીધું હોવાનું જણાવીને સ્ટેટમેન્ટ હેઠળ ફરી જઈ શકશે નહિ. પહેલા માત્ર આવકવેરા કચેરીએ પાડેલા દરોડાના કેસોમાં સોંગદનામા પર સ્ટેટમેન્ટ લેવાતા હતા. હવે સરવે પછીના સ્ટેટમેન્ટ પણ સોગંદનામા પર લેવામાં આવશે. હવે સરવેના કેસોમાં પણ સોગંદનામા પર સ્ટેટમેન્ટ લેવાની નવી જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આ જોગવાઈ ટીડીએસના સરવે તથા ચેરિટેબલ ટ્રસ્ટ પરના સરવે માટે પણ લાગુ પડશે.

આવકવેરાના નવા કાયદા હેઠળની પ્રસ્તુત જોગવાઈ ટીડીએસ-કરકપાતના સરવે કે પછી ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ પર કરવામાં આવેલા સરવે માટે પણ લાગુ કરવામાં આવશે. નવો કાયદો અમલમાં આવ્યો તે પહેલા  આવરવેરાના જૂના કાયદાની કલમ ૧૩૩-એ કરદાતાઓની ઓફિસના કરવામાં આવેલા સરવેને અંતે સોગંદનામા પર સ્ટેટમેન્ટ લેવાની કોઈ જ જોગવાઈ

નહોતી. આ સ્ટટમેન્ટનો આવકવેરાના દરેક પ્રકારના કેસ માટે પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે.આવકવેરાના જૂના કાયદા હેઠળ કલમ ૧૩૩-એ હેઠળ લવામાં આવેલા સ્ટેટમેન્ટનું કોઈ જ મૂલ્ય નહોતું. સરવે દરમિયાન કરદાતાના ઘરે જવાની પણ આવકવેરા અધિકારીઓને છૂટ મળતી નહોતી. હવે કરદાતાના એકાઉન્ટની વિગતો મળે તો તેની ઓફિસનો સરવે પણ તેની સાથે જ કરીશકાશે. સરવે દિવસના સમયમાં જ કરી શકાશે. રાત્રિના સમયમાં કરી શકાશે નહિ. નવા કાયદા હેઠળ આ જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

આવકવેરા અધિકરીઓ સરવે વખતે કરદાતાના એકાઉન્ટ વિશે પૂછે અને તે એકાઉન્ટની વિગતો બીજે પડી હોવાનું જણાવે તો તે સ્થળનો સરવે કરવાનો પણ આવકવેરા અધિકારીઓને હક્ક મળી જશે. તેમ જ એકાઉન્ટન્ટ પાસે કે તેની ઓફિસમાંથી મળેલા ડેટા પણ જપ્ત કરી શકશે. તેમ જ એકાઉન્ટન્ટની ઓફિસના ડેટા જપ્ત કરી શકશે. એકાઉન્ટન્ટનો પાસપોર્ટ પણ જપ્ત કરી શકશે. બીજું, સરવે દરમિયાન કરદાતાએ હાથમાંની રોકડ અંગે આપેલી માહિતી કરતાં વધુ રોકડ મળી આવે તો તે અંગે તેની પાસેથી સ્ટેટમેન્ટ લેવામાં આવે છે.હવે સોગંદનામા પર સ્ટેટમેન્ટ લેવામાં આવતા હોવાથી કરદાતા તેમાંથી પીછેહઠ કરી શકશે નહિ. નવા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ ટીડીએસ-કરકપાત અને ચેરિટેબલ ટ્રસ્ટ પરના સરવેને માટે પણ હવે લાગુ પડશે.

Read Previous

શું કાર્યક્ષમ કાર્બન મેનેજમેન્ટ સોલ્યુશન્સ વધતા ઉત્સર્જનની અસર ઘટાડી શકે છે?

Read Next

ખાદ્ય અને ઉર્જાના ભાવ વધારાને કારણે મે મહિનામાં ભારતનો રિટેલ ફુગાવો ૧૬ મહિનાની ઊંચી સપાટીએ ૩.૯૩% પર પહોંચ્યો

Most Popular