ટ્રેડ ડીલઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જોઈતું હતું તે ભારત પાસેથી છીનવીને મેળવ્યું
– ઇન્દિરા ગાંધી સિવાયના દરેક શાસકો પાસે અમેરિકા પોતાનું ધાર્યું કરાવતું આવ્યું છે
– અમેરિકાઓ પોતાની મરજી મુજબનો ટ્રેડ ડીલ ભારતને માથે માર્યોઃ કૃષિ ઉપજો અગેની ટ્રેડ ડીલની જોગવાઈઓને મામલો સંસદમાં વિપક્ષે
ભારત અને અમેરિકાના સંબંધમાં લવ-હેટ રિલેશનશીપ ડોકાઈ રહી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં જોવા મળતી પેટર્ન મુજબ પહેલાં ભારત વિરોધ કરે છે અને પછી સમજૂતી કરી લે છે. અત્યાર સુધીના લગભગ બધા વડાપ્રધાનોએ આવું જ કર્યું છે. કોઈ પણ સરકારે કે વડાપ્રધાન અગાઉ થયેલી ભૂલોમાંથી શીખ્યું નથી. 1962, 1965, 1966, 1991, 2001, 2009, 2025 અને 2026માં આપણે અમેરિકા સામે કડક વલણ બતાવ્યું અને પછી શાંતિથી ઝુકી ગયા છીએ. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવું તે પણ અમેરિકાએ નક્કી કરી લીધું છે. જોકે ભારતે રશિયાને ક્રૂડ ખરીદવા માટે હજી ના પાડી નથી તે પણ એક હકીકત છે. રશિયાએ આ બાબતને લગતું સ્ટેટમેન્ટ ત્રીજી ફેબ્રુઆરીએ બહાર પાડેલું છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલને પરિણામે ભારતનું કૃષિ ઉપજનું બજાર અમેરિકા માટે ખૂલી જતું હોવાનું જણાવીને કોન્ગ્રેસે સંસદમાં તેની સામે પ્રચંડ વિરોધ પણ નોંધાવ્યો છે.
કહેવાય છે કે તમે રોમમાં રહો છો તો પોપ સાથે લડાઈ ન કરો. એમ પણ કહેવાય છે કે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવું ન જોઈએ. આ વલણ 1940ના અંતથી શરૂ થયું હતું, તે સમયે અમેરિકાએ નિષ્ઠાપૂર્વક મિત્રતાનો હાથ લંબાવ્યો હતો અને નહેરુએ ગર્વભેર તેને નકારી દીધો હતો. જોકે એમના વખાણ કરવા પડે કે તેમણે 1950ના દાયકામાં પોતાની અમેરિકા વિરોધી નીતિ જાળવી રાખી હતી અને 1962માં ચીને પરાજય આપ્યા પછી જ મદદ પણ માગી હતી.
1960 અને 1970ના દાયકામાં, ખાસ કરીને ઇન્દિરા ગાંધીના સમયમાં, ભારત-અમેરિકા સંબંધો ખૂબ ખરાબ રહ્યા. છતાં 1966માં અમેરિકાના દબાણ હેઠળ ઇન્દિરા ગાંધીએ વર્લ્ડ બેંક પ્રમુખ સાથે 36 ટકા ચલણ અવમૂલ્યન પર વ્યક્તિગત રીતે વાતચીત કરીને બદલામાં એક અબજ ડોલરની સહાય મળવાની હતી. આ સહાય ક્યારેય આવી જ નહોતી.
ભારતના વડાપ્રધાન વર્લ્ડ બેન્ક પ્રમુખ સાથે સોદાબાજી કરે તો તેઓ 45 ટકા અવમૂલ્યન માંગતા હતા. ઇન્દિરા ગાંધીએ ત્રણ મહિના સુધી પોતાની કેબિનેટને પણ આ બાબતની જાણ કરી નહોતી. 1971માં ભારત સોવિયેત યુનિયન તરફ વળ્યું અને ત્યારબાદ ભારત-અમેરિકા સંબંધો સુધરવામાં બે દાયકા લાગી હતા.
1980ના અંતમાં અમેરિકા ફરી ભારત તરફ આકર્ષિત થયું હતું.1988માં IMF મારફતે વારંવાર લોન લેવા કહેવામાં આવ્યું હતું. પરંતુ ભારતે ગાંધીજીની જેમ જવાબ આપ્યો—અમને અમારી કિસ્મત પર છોડી દો. પરિણામ ભયાનક આવ્યા. રાજીવ ગાંધી (1988-89) અને વી.પી. સિંહ (1990) બંનેએ અમેરિકાને નકારી કાઢ્યું હતું. એટલું જ નહીં, 1990માં આપણે સદ્દામ હુસેનની તરફેણ કરી હતી. પરિણામે અમેરિકા ભારે નારાજ પણ થયું હતું.
1991માં ભારત પાસે માત્ર એક અબજ ડોલરનું વિદેશી ચલણ જ બચ્યું હતું. અંતે IMF પાસે ફરી મદદ માગવી પડી હતી. આમ ફરી સાબિત થયું કે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવું ન જોઈએ. 1998માં પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાએ તરત જ આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. 2002માં ચાર વર્ષ પછી તે દૂર કરવામાં આવ્યા હતા. 2005માં પરમાણુ કરાર થયો ત્યારે ભારતે ઘણી બધી ખાતરીઓ આપવી પડી હતી. પરંતુ અમલ ન થતા અમેરિકા ફરી નારાજ થયું હતું. બરાક ઓબામા ખાસ કરીને મનમોહન સિંહ પર બહુ જ કઠોર રહ્યા હતા.
ટ્રમ્પ-મોદી શરૂઆતમાં સારી રીતે મળ્યા છતાં પણ ભારતે પોતાના બજારો અમેરિકા માટે ખૂલ્લા મૂકી દીધા નહોતા. ચાર વર્ષ સુધી ડોનાલ્ડ ટ્રમ્પને સમજવાની તક હતી, પરંતુ આપણે બેદરકાર રહ્યા હતા. 2021માં જો બાઇડન આવ્યા પણ આપણે માન્યું કે અમેરિકાને ભારતની વધારે જરૂર છે. આ આત્મસંતોષ અને ભ્રમ સાબિત થયો હતા. જો બાઈડન પછી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તામાં આવ્યા અને શરૂઆતમાં ભારતે ફરી વિરોધ કર્યો હતા. આ વિરોધ પણ માત્ર સાત મહિના સુધી જ ચાલ્યો હતો. આ હકીકત પણ સ્પષ્ટ કરે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને જે જોઈતું હતું તે જ મળ્યું.
આ આત્મઘાતી વલણ કેમ?
અમેરિકા સાથે મિત્રતા કરવા પ્રયત્ન કરનાર સરકારો પણ અંતે ઝઘડામાં ફસાય છે. એકમાત્ર અપવાદ ઇન્દિરા ગાંધી છે. ઇન્દિરા ગાંધી ક્યારેય અમેરિકા સાથે મિત્ર બન્યા જ નહીં. પ્રશ્ન એ છે કે આપણી સામેની અમેરિકાની નીતિમાં સતતતા કેમ છે? આ સવાલનો કોઈ પાસે સ્પષ્ટ જવાબ નથી. ઘણા વિદ્વાનોએ રાજનીતિમાં રહેલી અમેરિકા વિરોધી માનસિકતા સમજવાનો પ્રયાસ કર્યો છે. સમજવાનો આ પ્રયાસ આપણા સામાજિક વલણથી સાવ વિરુદ્ધ છે. બીજા શબ્દોમાં કહીએ તો દોષ અમેરિકામાં નથી, દોષ ભારતના શાસકોમાં જ છે.
- વાઈબ્રન્ટ ઉદ્યોગ





