• 30 March, 2026 - 3:34 PM

આજનો ખરીદવા યોગ્ય શેર વિક્રમ સોલાર લિમિટેડનો ભાવ એક વર્ષમાં બમણો થઈ શકે

શેરબજારના શેર્સ અંગે ભલામણ કરતી ઇક્વિરસ સિક્યોરીટીઝે વિક્રમ સોલાર લિમિટેડ નામના શેર્સને આજે બાય રેટિંગ આપ્યું છે. આ એક મધ્યમ ગાળાનું મજબૂત રોકાણ છે. વારી એનર્જીઝ અને પ્રીમિયર એનર્જીઝની સમકક્ષ આવતી કંપની છે. તેના શેર્સમાં આગામી એક વર્ષમાં અંદાજે 52 ટકાનો વધારો જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસના નિષ્ણાતોનું માનવું છે કે ભારતના સોલાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં સોલાર પેનલ બેસાડવાનું સતત વધી રહ્યું છે. પ્રધાનમંત્રી મુફ્ત સૂર્યઘર બીજલી યોજનાને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. જોકે તેની સબસિડી મળવામાં થોડો વિલંબ થતો હોવાથી પેનલ બેસાડનારા થોડા નારાજ પણ છે. વિક્રમ સોલાર લિમિટેડના શેરનો ભાવ માર્ચ 2027 સુધીમાં રૂ.290ની સપાટીને આંબી જાય તેવું જણાય છે. અત્યારે તેનો ભાવ રૂ. 140ની આસપાસનો બોલાઈ રહ્યો છે. વિક્રમ સોલાર લિમિટેના શેરનો વર્તમાન સપાટીથી લગભગ 52 ટકા સુધીનો અપસાઈડ દર્શાવે છે.

કંપનીનો વિકાસ અને યોજના

વિક્રમ સોલાર લિમિટેડ પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા માટે મોટા મૂડીરોકાણ કરી રહી છે. તેના મોડ્યુલ ક્ષમતા 9.5 ગીગાવોટથી વધારીને 15.5ગીગાવોટ સુધી માર્ચ 2027 સુધીમાં લઈ જવા માગે છે. 12 ગીગાવોટના સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનો પ્લાન કંપની ધરાવે છે. 2026-27ના વર્ષના ઓક્ટોબર માસથી તેનું પ્રોડક્શન ચાલુ થવાની ધારણા રાખવામાં આવી રહી છે. આ જ અરસાથી તેનું વેચાણ પણ વધવા માંડશે.

આવક અને વૃદ્ધિ અંદાજ

બોકરેજ હાઉસ એક્વિરીઝના નિષ્ણાતોનું માનવું છે કે વિક્રમ સોલાર લિમિટેડની આવકમાં ત્યારબાદ આવક 68ના સર્વગ્રાહી વિકાસદર-સીએજીઆરથી આગળ વધવાની સંભાવના છે. તેનો વેરો પૂર્વેનો નફો-એબેટા 81 ટકાની આસપાસનો રહેવાની ધારણા છે. 2025થી 2028ના ગાળામાં તેનો વેરા પછીનો નફો 110 ટકા રહેવાનો નિર્દેશ મળી રહ્યો છે. નાણાંકીય વર્ષ 202728 સુધીમાં રિટર્ન ઓન ઇક્વિટી-આરઓઈ લગભગ 29 ટકા અને રિટર્ન ઓન કેપિટલ ઇન્વેસ્ટેડ-આરઓઆઈસી લગભગ 19 ટકાનો થવાની ધારણા છે. કંપનીનો રોકડનો પ્રવાહ પોઝિટિવ થઈ જવાની ધારણા બાંધવામાં આવી રહી છે.

માર્જિન અને પ્રોફિટેબિલિટી

2025-26માં કંપનીન કિલોવૉટ દીઠ એબેટા-વેરા પહેલાનો નફો રૂ. 2.60 પ્રતિ વોટનો રહેવાની ધારણા છે. આ 2026-27માં વધીને રૂ. 2.80  થઈ જવાની ગણતરી છે.  2027-28ના રેમ્પ ફેઝમાં રૂ. 1.90 તફાવત આવ્યા પછી 2028-29ના વર્ષમાં તેની કિલોવૉટ દીઠ રિકવરી રૂ. 3.20ની આવવાની ગણતરી છે. આ રિકવરી ખાસ કરીને ડીસીઆર મોડ્યુલ્સના વધનારા ઉપયોગથી આવી જશે

 જોખમ અને પડકાર

જોકે કંપનીના આ પ્રોજેક્શન સામે કેટલાક જોખમો અને પડકારો પણ છે જ છે. વારી એનર્જીઝ અને પ્રીમિયર એનર્જીઝ જેવી કંપનીઓ પેનલ બનાવવા માટેના કાચા માલની જરૂરિયાત માટે પોતાના પ્લાન્ટ્સ ધરાવે છે. તેથી વિક્રમ સોલાર લિમિટેડના પ્રોજેક્ટના અમલીકરણમાં જોખમ થોડું વધારે છે. વિક્રમ સોલારના વેચાણ અને મેન્યુફેક્ચરિંગમાં અત્યારે અપેક્ષા પ્રમાણેની સ્થિરતા જોવા મળતી નથી. અપસ્ટ્રીમ ઇન્ટિગ્રેશનની કામગીરી અત્યારે વિકાસના તબક્કામાં છે. તેથી જ કદાચ સોલાર પેનલના સેક્ટરની અન્ય કંપનીઓના શેર્સની તુલનાએ વિક્રમ સોલારનો શેર ડિસ્કાઉન્ટથી ટ્રેડ થઈ રહ્યો છે.

છતાંય વિક્રમ સોલાર લિમિટેડના શેર્સમાં રોકાણ કરવા પાછળનું કારણ જોઈએ તો લાંબા ગાળે સોલાર સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ થવાની છે. સરકારની પોલિસી અને વધતી માંગનો ફાયદો
થશે. તેમ જ કેપેસિટીના વિસ્તરણની મોટી તક જરૂર છે. પરંતુ વિક્રમ સોલાર તેના પ્રોજેક્ટનો અમલ કેટલી સરળતાથી અને સ્ફૂર્તિથી તથા લાભદાયક બને તે રીતે કરે છે તેના પર જ તેની સફળતાનો મોટો મદાર છે. તેમ જ સમયસર પ્રોજેક્ટ પૂરો થાય તે પણ એટલું જ મહત્વનું છે. આ પ્રોજેક્ટ કંપની માટે ફળદાયી બને તેવી આશા સાથે જ સ્ક્રિપનો ટાર્ગેટ ભાવ બાવન ટકાના વધારા સાથે રૂ. 290નો દર્શાવવામાં આવ્યો છે.

 

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

હવે ક્લાઈમેટ સ્માર્ટ ખેતીનો જમાનોઃ ઓછા ખર્ચે ખેતી કરો અને પર્યાવરણને પણ બચાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular