• 30 April, 2026 - 12:23 PM

શું હેન્ડસેટના ક્ષેત્રની તેજી ભારતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસમાં પરિવર્તિત કરશે?

એપલ ઇન્કોર્પોરેશન વૈશ્વિક સપ્લાય ચેઇન ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટા પરિવર્તન લાવવા જઈ રહી છે.

ભારતે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં મોટી વૃદ્ધિ કરીને એક મહત્વપૂર્ણ નિકાસકાર તરીકે સ્થાન મેળવ્યું છે. હવે પ્રશ્ન છે કે શું આ વૃદ્ધિ ભારતને હાઈ-ટેક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસમાં બદલાશે? આ સવાલ આજકાલ ચર્ચાઈ રહ્યો છે. સરકાર તેને માટે પીએલઆઈ-2 લાવવાનું આયોજન કરી રહી છે.

ક્યુપરટિનોમાં મુખ્યાલય ધરાવતી  અને તેની એપલ ઇન્કોર્પોરેશન વૈશ્વિક સપ્લાય ચેઇન ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટા પરિવર્તન લાવવા જઈ રહી છે. આ સ્થિતિ કંઈક એવી જ છે જેવી મારુતિ સુઝુકીએ ભારતના ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવા બજારની રચના કરી હતી.

પૂરજા જોડીને મોબાઈલ બનાવ્યા

એપલે 2017માં જ ભારતમાં એસેમ્બલી-પૂરજાઓ જોડીને મોબાઈલ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. ભારત સરકારે મોબીલ માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ યોજના શરૂ કરી પહેલાંની વાત છે. 2020માં શરૂ થયેલી પીએલઆઈ-પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ યોજના આ વૃદ્ધિને વેગ આપનાર સાબિત થઈ હતી. આજે મોબાઈમ એસેમ્બલિંગના કામમાં ફોક્સકોન, પેગાટ્રોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ જેવા એપલના પાર્ટનર્સ ભારતમાં લગભગ 5.5 કરોડ આઈફોન્સનું ઉત્પાદન કરે છે.  વિશ્વમાં બનતા એપલના કુલ આઈફોનના 14 ટકા જેટલું ઉત્પાદન એકલા ભારતમાં જ થાય છે.

સ્માર્ટફોનની નિકાસ વધીને 30 અબજ ડૉલરની થઈ

2025ની સાલમાં એપલ આઈફોન ભારતમાંથી સૌથી વધુ મૂલ્યની નિકાસ બની હતી. 2025ની સાલમાં તેની કુલ નિકાસ $23 અબજની થઈ હતી. કુલ સ્માર્ટફોન નિકાસ $30 અબજ સુધી પહોંચી હતી. તેમાં આઈફોન્સનો હિસ્સો 76 ટકાનો રહ્યો હતો. એપલના ચીફ એક્ઝિક્યુટી ઓફિસર ટીમ કૂકે ભારતમાં એપલના ઓપરેશન્સની વૃદ્ધિ કરવામાં બહુ જ મોટો ફાળો આપ્યો હતો. એપલના નવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર જ્હોન ટર્નસના વડપણ હેઠળ પણ ભારત એપલ માટે  માટે મહત્વપૂર્ણ બજાર રહેશે.

ભારતમાં મેન્યુફેક્ચરિંગનો અર્થ હજુ પણ મોટા ભાગે એસેમ્બલી છે, પરંતુ ફોક્સકોન જેવી કંપનીઓ સંપૂર્ણ સપ્લાય ચેઇન સંભાળે છે. હાલમાં સ્થાનિક મૂલ્ય વધારો માત્ર 15-20 ટકાનો જ છે. બીજીતરફ ચીનમાં સ્થાનિક મૂલ્ય વૃદ્ધિ 40 ટકાની છે. 2014માં મેક ઈન ઇન્ડિયાની પહેલા થઈ ત્યારે સ્માર્ટફોન નિકાસ લગભગ થતી જ નહોતી. આજે ભારત સ્માર્ટફોનની નિકાસ કરતો સૌથી મોટો દેશ બની ગયો છે.

ઇકોસિસ્ટમ અને રોજગાર વૃદ્ધિ

એપલના આગમન પછી ઇકોસિસ્ટમમાં મોટો ફેરફાર આવ્યો છે. મોટી બ્રાન્ડ ધરાવતા સપ્લાયર્સ, સ્કિલ અને સ્કેલમાં વૃદ્ધિ થાય છે. પીએલઆઈની યોજના હેઠળ સરકારે રૂ. 40,951 કરોડ ફાળવ્યા હતા. તેમાંથી માર્ચ 2026 સુધીમાં રૂ.18,000 કરોડ પ્રોત્સાહન તરીકે આપવામાં આવ્યા હતા. ભારતમાં એપલના કારખાના છે. તમિલનાડુ અને કર્ણાટકમાં કારખાના ઉપરાંત એપલની પાસે લગભગ 45 સપ્લાયર્સનું નેટવર્ક છે. આ ઇકોસિસ્ટમથી 2.5 લાખ લોકોને સીધી અને 7.5 લાખ આડકતરી નોકરીઓ મળી રહી છે.

સેમસંગે પણ 2018માં નોઈડામાં મોટું એસેમ્બલિંગ યુનિટ ચાલુ કર્યું હતું. નિષ્ણાતો કહે છે કે મેન્યુફેક્ચરિંગ આર્થિક વૃદ્ધિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને સ્માર્ટફોનના સેક્ટરમાં આવેલી તેજીએ લાખો લોકોને નોકરી આપી છે.

હવે પીએલઆઈની બીજી સ્કીમ આવી શકે

પહેલીવાર પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરવામાં આવી તે પછી આઈફોનના આયાતકારમાંથી ભારત નિકાસકાર બની ગયું છે. હવે પીએલઆઈની બીજી એટલે કે એડવાન્સ યોજના 2.0 હેઠળ વધુ પ્રોત્સાહનો અને સ્થાનિક મૂલ્ય વધારવાનો લક્ષ્ય છે. સરકાર નવા $5 અબજથી વધુના PLI પ્રોગ્રામ પર કામ કરી રહી છે, જેનાથી મોબાઈલ નિકાસ વધશે અને આયાત પર નિર્ભરતા ઘટશે.

ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટેની સજ્જતા વધી ગઈ

એશિયામાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર ચીન છે, પરંતુ ભારત હવે ઝડપી વૃદ્ધિ કરી રહ્યું છે. ભારતનો વિકાસ ચાર તબક્કામાં થઈ રહ્યો છે. એક, એસેમ્બલી થઈ રહી છે. બે, તેને માટેના કોમ્પોનેન્ટ લોકલાઇઝેશન એટલે કે સ્થાનિક સ્તરે તેનું ઉત્પાદન ચાલુ થઈ રહ્યું છે. ભારતમાં જ  ડિઝાઇન તૈયાર કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવાનું છે. તેમ જ ભારતમાંથી જ નવી વૈશ્વિક બ્રાન્ડ્સનું નિર્માણ થાય તેવી પણ ગણતરી છે. હાલમાં ભારતમાં મોટાભાગના કોમ્પોનેન્ટ્સ (60-70 ટકા) આયાત થાય છે. સ્થાનિક મૂલ્ય વધારો 18-20 ટકાનો જ થાય છે. 2030 સુધી 35-40 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

નવા આયોજનો અને નવા પડકારો

જોકે આ સફર પાર કરતાં પહેલા ઘણાં પડકારોનો સામનો કરવો પડે તેમ છે. ભારતને પાવરહાઉસ બનવા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બીજું. લોકલાઇઝેશનની અછત જોવા મળી રહી છે. હજીય મોટાભાગના હાઈ-ટેક કોમ્પોનેન્ટ્સ આયાત થાય છે. આ સફરમાં નાણાંકીય સમસ્યા પણ નડી શકે છે. નાના ઉત્પાદકો માટે ફાઇનાન્સ મેળવવું મુશ્કેલ છે. અત્યારની મોબાઈલ મેન્યુફેક્ચરિંગની સિસ્ટમ સારી છે, પણ થોડી વિખરાયેલી છે. ચીનના શેનઝેન જેવી ક્લસ્ટર સિસ્ટમ આજે પણ ભારત પાસે નથી.

ભારતમાં ટેક્નોલોજી અને ક્ષમતાઓ થોડી ઓછી જણાય છે. નાના, અતિનાના અને મધ્યમ ઉદ્યોગોના સેક્ટરમાં ક્ષેત્રમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ ઓછો છે. ભારતે સારો પ્રારંભ કર્યો છે અને સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. પરંતુ સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનવા માટે કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ  અને ટેક્નોલોજીમાં વધુ રોકાણ જરૂરી છે.

Read Previous

NCLT  દ્વારા રિઝોલ્યુશન પ્લાન મંજૂરીમાં વિલંબ મુદ્દે સુપ્રીમે સુઓ મોટો પિટીશન કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular