• 30 July, 2026 - 4:39 PM

સોનાની દાણચોરી વધીને 100 ટન સુધી થઈ જવાની સંભાવના

ભારતમાં ગોલ્ડ ટેરિફમાં વધારાથી ગ્રે માર્કેટને પ્રોત્સાહન, સંગઠિત વેપારને નુકસાન: WGC

ગ્રે માર્કેટમાં તાજેતરના વધારા પરથી સંકેત મળે છે કે 2026 માં ગેરકાયદેસર આયાત 100 ટનથી વધી શકે છે

પ્રામાણિકતાથી સોના ચાંદીનો ધંધો કરનારાઓને તેનાથી મોટો ફટકો પડી શકે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે કે ઊંચા ટેરિફને કારણે કિંમતોમાં તફાવત વધ્યો છે, જેનાથી ગ્રે-માર્કેટમાં સોનાની આયાત વધી છે અને ભારતમાં સંગઠિત વેપારીઓને નુકસાન પહોંચ્યું છે

ભારતે સોના પરની આયાત જકાતમાં ઘટાડો કર્યા પછી સોનાની તસ્કરી 2023 માં 156.1 ટનથી ઘટીને 2024 માં 69.2 મેટ્રિક ટન થઈ હતી, અને 2025 માં વધુ ઘટીને 20.4 ટન થઈ ગઈ હતી

અમદાવાદઃ ચાલુ વર્ષની શરૂઆતમાં સરકારે આ કિંમતી ધાતુ પર આયાત ટેરિફમાં વધારો કર્યા પછી ભારતમાં બિનઅધિકૃત સોનાની આવકમાં વધારો જોવા મળ્યો છે, જેનાથી ગ્રે-માર્કેટ ઓપરેટરો માટે માર્જિન વધ્યું છે અને સંગઠિત વેપારીઓને નુકસાન પહોંચ્યું છે, તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) એ ગુરુવારે જણાવ્યું હતું. ચીન પછી વિશ્વનું સૌથી મોટું સોનાનું વપરાશકર્તા ભારત છે. ભારતે માંગ પર અંકુશ લાવવા, વેપાર ખાધ ઘટાડવા અને રૂપિયા પરનું દબાણ હળવું કરવા માટે 13 મેના રોજ આયાત ટેરિફ બમણાથી વધુ વધારીને 15 ટકા કરી દીધા હતા.

WGCનું કહેવું છે કે આર્બિટ્રેજ (ભાવ તફાવતનો લાભ) ખૂબ જ મોટો છે. મારો મતલબ કે, 15 ટકા ડ્યુટી અને 3 ટકા જીએસટી સાથે, 18 ટકાનો તફાવત છે, અને તે લગભગ આખી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહિત કરે છે. પરિણામે દાણચોરીથી સોનું ઘૂસાડવાની પ્રવૃત્તિ વધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રે માર્કેટની આવક અને તેનાથી થતી વિક્ષેપ સંગઠિત વેપારીઓને નુકસાન પહોંચાડી રહી છે. આમ પ્રામાણિકતાથી સોના ચાંદીનો ધંધો કરનારાઓને તેનાથી મોટો ફટકો પડી શકે છે.

ભારતીય અમલીકરણ એજન્સીઓએ 13 મે થી 30 જૂન વચ્ચે 160.91 કિગ્રા સોનું જપ્ત કર્યું હતું, જે 1 એપ્રિલ થી 12 મે વચ્ચે જપ્ત કરાયેલા 86.16 કિગ્રા કરતાં લગભગ બમણું હતું, તેમ સરકારે આ મહિનાની શરૂઆતમાં સંસદને જણાવ્યું હતું. WGC દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતે સોના પરની આયાત જકાત ઘટાડ્યા પછી સોનાની તસ્કરી 2023 માં 156.1 ટનથી ઘટીને 2024 માં 69.2 મેટ્રિક ટન થઈ હતી, અને 2025 માં વધુ ઘટીને 20.4 ટન થઈ ગઈ હતી.ગ્રે માર્કેટમાં તાજેતરના વધારા પરથી સંકેત મળે છે કે 2026 માં ગેરકાયદેસર આયાત 100 ટનથી વધી શકે છે, તેમ ઉદ્યોગના અધિકારીઓએ ગયા મહિને રોઇટર્સને જણાવ્યું હતું.

WGC એ ગુરુવારે પ્રકાશિત કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે, જૂન ક્વાર્ટરમાં ભારતની ચોખ્ખી સોનાની આયાત વાર્ષિક ધોરણે 23 ટકા ઘટીને 98.1 ટન થઈ હતી, જે સપ્ટેમ્બર 2020 પછીની સૌથી નીચી ત્રિમાસિક સપાટી છે, જ્યારે મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉને માંગ પર અંકુશ મૂક્યો હતો.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, જૂન ક્વાર્ટરમાં સોનાની માંગ એક વર્ષ અગાઉ કરતાં 6 ટકા ઘટીને 131.4 ટન થઈ ગઈ હતી, કારણ કે જ્વેલરીની ખરીદીમાં થયેલા ઘટાડાએ મજબૂત રોકાણ માંગને દબાવી દીધી હતી.

જૈને જણાવ્યું હતું કે જો ભાવ સ્થિર રહેશે તો વર્ષના બીજા ભાગમાં માંગમાં સુધારો થવાની શક્યતા છે, કારણ કે અગાઉની તેજી ચૂકી ગયેલા ઘણા ગ્રાહકો બજારમાં પાછા ફરે તેવી  પણ અપેક્ષા રાખી છે.

Read Previous

Q1 પરિણામો પછી ડાબર ઇન્ડિયાના શેરના ભાવમાં 4% નો ઘટાડો; બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી દીધો

Read Next

E20 ની ચિંતાઓ વચ્ચે 100 ઓક્ટેન પેટ્રોલના વેચાણમાં બમણો ઉછાળો: અમદાવાદમાં ઈ-20 પેટ્રોલનું શુદ્ધને નામે વેચાણ

Most Popular