• 28 August, 2026 - 12:54 PM

અમદાવાદ અને ગુજરાતના પ્રવાસીઓ દિવાળી વેકેશનના વિમાન ભાડાં વધી જતાં રેલ પ્રવાસના બુકિંગ વધ્યા

અમદાવાદ અને ગુજરાતના પ્રવાસીઓ દિવાળી વેકેશનના વિમાન ભાડાં વધી જતાં રેલ પ્રવાસના બુકિંગ વધ્યા

દિવાળી વેકેશન બુકિંગમાં ટ્રેન્ડ બદલાયો, ઊંચા વિમાન ભાડાંને લીધે હવાઈ પ્રવાસીઓ ઘટી રહ્યા છે, રેલવે બન્યું પ્રથમ પસંદગી

દિવાળીના તહેવારોના વેકેશન અને સિક્યોરિટી તથા સર્વિસ ચાર્જિસના કારણે વિમાનના ભાડાંમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હોવાથી અને લાંબા અંતરની કનેક્ટિંગ ફ્લાઈટ્સમાં લેઓવર (વેઈટિંગ ટાઈમ) વધારો થતો હોવાથી વિમાનનો પ્રવાસ મોંઘો થતાં પ્રવાસના શોખીનો દિવાળીના વેકેશન માટે હવે રેલવેની શતાબ્દી, દુરન્તો, વન્દે ભારત અને તેજીસ જેવી ટ્રેનોમાં પ્રવાસ કરીને રજાઓ માણવા પ્રવાસ બુકિંગ કરાવી રહ્યા હોવાનું પ્રવાસન ક્ષેત્રના જાણકારોનું કહેવું છે. એરપોર્ટ પર ૩ કલાક પહેલાં પહોંચવાનો સમય અને સિક્યોરિટી ચેકિંગ મળીને વિમાન પ્રવાસનો કુલ સમય ૯ થી ૧૨ કલાક જેટલો થઈ જાય છે. તેની સામે રેલવે પ્રવાસનો સમય અઢીથી ત્રણ ગણો લાગે છે. પરંતુ ટ્રેનોમાં ભોજન મળતું હોવાથી તેના અલગથી ખર્ચ કરવા પડતો નથી. વિમાનમાં ભોજનનો અલગથી ખર્ચ કરવો પડે છે. તેથી પણ વિમાન યાત્રાને બદલે રેલવે યાત્રા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

વિશ્વા ટ્રાવેલ્સના પ્રમોટર પરેશ શાહનું કહેવું છે કે ચાર સભ્યોનો પરિવાર એટલે કે માતા-પિતા અને બે બાળકો વિમાનને બદલે ભારતીય રેલવેની સુપરફાસ્ટ, શતાબ્દી, તેજસ, વન્દે ભારત અને રાજધાની જેવી સુપરફાસ્ટ ટ્રેનોના થ્રી ટીયર એરકન્ડિશન વર્ગમાં પ્રવાસ કરે, તો સમય થોડા વધુ લાગે છે, પરંતુ નાણાંની બહુ મોટી બચત થાય છે. આ બચત પરિવારના સમગ્ર પ્રવાસના બજેટ અને રહેવા-જમવાના ગણિતને સંપૂર્ણપણે બદલી નાખે છે. વિમાનના અતિશય ઊંચાં ભાડાંને કારણે પડતા મૂકવા પડે તેવા પ્રવાસ શક્ય બની રહ્યા છે.

ત્રણ ડેસ્ટિનેશનના અધિકૃત ભાડાં અને સમયની સરખામણી

નોર્થ-ઈસ્ટમાં દાર્જિલિંગ-ગંગટોકના માટે અમદાવાદ-બાગડોગરા અમદાવાદની ફ્લાઈટના  વ્યક્તિદીઠ ભાડું રૂ. 29,785 આસપાસનું થાય છે. ચાર જમના મળીને વિમાન ભાડાંના રૂ. 1, 19,140 થાય છે. તેની સામે ટ્રેનમાં અમદાવાદ-ન્યુ જલપાઈગુડી-અમદવાના રાજધાની એક્સપ્રેસનું થ્રી ટીયર એ.સી.નું વ્યક્તિગત ભાડું ગણીએ તો વ્યક્તિગત અંદાજિત ભાડુ રૂ.5494 થાય છે. ચાર જણા મળીને રૂ. 21,980 થાય છે. આમ ચાર જણના મળીની રૂ. 97,160ની બચત થાય છે. ટ્રેન પ્રવાસમાં 36થી 40 કલાક લાગે છે. તેની સામે વિમાન પ્રવાસમાં એરપોર્ટ પરના વેઈટિંગ સમય સાથે છથી દસ કલાક લાગે છે. નાણાંની મોટી બચત થતી હોવાથી જ  રેલવેના થ્રી ટીયર એસ.સી. કોચમાં પ્રવાસ કરવા પર પસંદગી ઉતારી રહ્યા હોવાનું જોવા મળે છે.

કાશ્મિરનો પ્રવાસ

ગુજરાતીઓ કાશ્મીર જવાનું વધુ પસંદ કરે છે. અમદાવાદ-શ્રીનગર-અમદાવાદના વિમાન પ્રવાસ માટેનું સરેરાશ એક વ્યક્તિનું રિટર્ન ભાડું રૂ. 24,254 થાય છે. આમ ચાર જણના પરિવારનું રાઉન્ડ ટ્રીપનું એટલે કે આવવા અને જવાનું ભાડું રૂ. 97,016, થાય છે. હા, વિમાન પ્રવાસ માટે અંદાજે 9 કલાકનો સમય લાગી જાય છે. તેની સામે અમદાવાદ-કતરા થ્રી ટીયર અને કતરા-શ્રીનગરનું વંદેભારત જેવી ટ્રેનનું ભાડું રૂ. ચાર જણનું આવવા જવાનું ભાડું રૂ. 2475 ઐક જણના થાય છે. ચાર જણના 9900ની આસપાસનું થાય છે. તેમાં વિન્ડોસીટના એક્સ્ટ્રા ચૂકવવામાં આવે તો કુદરતનો નજારો માણતા માણતા પ્રવાસ કરી શકાય છે. જોકે તેના પ્રવાસનો સમય 32 કલાકનો થાય છે. સમય વધુ જાય છે, પણ તેની સામે આર્થિક બચત મોટી થાય છે. ચાર જણાના પરિવારને વિમાનની સરખામણીએ ટ્રેનમાં પ્રવાસ કરે તો રૂ. 87,116 સુધીની નાણાકીય બચત થાય છે.

કેરળનો પ્રવાસ અમદાવાદથી કોચી  

અમદાવાદથી કેરળ-કોચીના વિમાન પ્રવાસ માટે સરેરાશ એકતરફી વિમાન ભાડું વ્યક્તિદીઠ રૂ. 16938 થાય છે. આમ ચાર જણાના પરિવારનું આવવા-જવાનું ફ્લાઈટનું ભાડું રૂ. 67,752 થાય છે. તેની સામે થર્ડ એ.સી.માં રેલવે પ્રવાસ કરનારાઓએ સરેરાશ વ્યક્તિદીઠ એકતરફી ટ્રેન ભાડું રૂ. 4250ની આસપાસ આવે છે. આમ ચાર જણાના પરિવારનું આવવા-જવાનું ટ્રેન ભાડું અંદાજે રૂ. 17000 થાય છે. જોકે તેનો પ્રવાસનો સમય આશરે ૩૩ કલાકનો થાય છે. પરંતુ ફ્લાઈટની સરખામણીએ ટ્રેનમાં ચાર જણાના પરિવારના ખર્ચમાં રૂ. 50752ની ચોખ્ખી બચત થાય છે.

આ બચતથી ટૂરનું સમગ્ર બજેટ નીચે મુજબ અપગ્રેડ કરી શકાય છે. એક, ફ્લાઈટના બચેલા પૈસામાંથી હોટેલ કેટેગરી અપગ્રેડ કરીને પરિવાર થ્રી સ્ટાર હોટેલના બદલે ફોર સ્ટાર કે પછી લક્ઝરી ફાઈવ સ્ટાર રિસોર્ટમાં ચારથી પાંચ રાત રોકાણ કરી શકે છે. બીજું, તેનાથી પ્રવાસના દિવસોમાં વધારો જરૂર થાય છે. આ બચતથી પરિવાર પોતાના પ્રવાસના દિવસો બેથી ત્રણ દિવસ લંબાવીને આરામથી સ્થળો માણી શકે છે. ત્રીજું, લોકલ ટ્રાન્સપોર્ટ માટે બસના બદલે સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રાઇવેટ ઈનોવા કે સેડાન કાર હાયર કરી શકાય છે.

કેરળમાં આયુર્વેદિક મસાજ કે હાઉસબોટ સ્ટે કરી શકાય છે. કાશ્મીરમાં શિકારા રાઈડ કે પછી ગંડોલા કેબલ કાર અને નોર્થ-ઈસ્ટમાં રિવર ક્રૂઝ તેમજ લોકલ હેન્ડીક્રાફ્ટની ખરીદી વિના સંકોચે કરી શકાય છે. થ્રી ટીયર એ.સી.માં પરિવાર સાથે બેસીને કુદરતી દ્રશ્યો માણવા, સાથે ભોજન લેવું અને સુઈને મુસાફરી કરવાનો આનંદ એરપોર્ટની ભાગદોડ અને સિક્યોરિટી લાઈનો કરતાં ક્યાંય વધુ તણાવમુક્ત અને યાદગાર બને છે. તેથી જ રેલવે પ્રવાસ કરવા પર પસંદગી વધી રહી છે.

પ્રવાસ કરનારાઓ આટલું ધ્યાનમાં રાખે

  • રેલવેની ટિકીટ આવવા અને જવાની કન્ફર ન થાય ત્યાં સુધી પેકેજ બુક ન કરાવવું.
  • રેલવે એજન્ટ કહે છે કે છેલ્લી ઘડીએ બુકિંગ કન્ફર્મ કરી આપીશ તો તેના પર વિશ્વાસ ન મૂકવો. પહેલા જ કન્ફર્મ ટિકીટ માગવી.
  • ફર્સ્ટ એન્ડ લાસ્ટ સ્ટેશનનું જ બુકિંગ લો. બોર્ડિંગ વચ્ચેનું રાખી શકાય. તેમાં ક્વોટા વધુ હોવાથી ટિકીટ કન્ફર્મ થવાની શક્યતા વધારે છે.
  • રાજધાની, તેજસ, શતાબ્દી, વન્દેભારત, દુરંતો અને તેજસની ટિકીટ બુક કરાવશો તો જમવાનું અને નાસ્તાપાણી શોધવાની જફા કરવી પડશે જ  નહિ.

Read Previous

પર્પલ સ્ટાઇલ લેબ્સ લિમિટેડના પબ્લિક ઇશ્યૂમાં અરજી કરતાં પહેલા આટલું વાંચી લેજો

Most Popular