હવે યુપીઆઈ પેમેન્ટમાં પણ હવે થઈ રહેલી છેતરપિંડી
યુપીઆઈ પેમેન્ટમાં પણ હવે થઈ રહેલી છેતરપિંડી
વેપારીઓએ હંમેશા પોતાની યુપીઆઈ એપ, બેંક એકાઉન્ટ અથવા પેમેન્ટ સ્પીકરના નોટિફિકેશન દ્વારા જ પૈસા જમા થયાની પુષ્ટિ કરવી જોઈએ.
યુપીઆઈ પેમેન્ટમાં પણ હવે ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. તેઓ પેમેેન્ટ કર્યાના નકલી સ્ક્રિન શોટ મોકલાવી રહ્યા છે. ગ્રાહક તરીકે ફ્રોડ કરનારાઓ ગ્રાહક કે ખરીદનાર માત્ર પૈસા ટ્રાન્સફર થયાનો સ્ક્રીનશોટ બતાવીને સામાન લઈ જાય છે. માલ વેચનાર માટે સ્ક્રીનશોટ એ પેમેન્ટ મળ્યાની સાબિતી નથી. વેપારીઓએ હંમેશા પોતાની યુપીઆઈ એપ, બેંક એકાઉન્ટ અથવા પેમેન્ટ સ્પીકરના નોટિફિકેશન દ્વારા જ પૈસા જમા થયાની પુષ્ટિ કરવી જોઈએ.
દુકાનો, પાર્કિંગ કે પબ્લિક પ્લેસ પર અસલી ક્યૂઆર કોડ પર ફ્રોડ કરનારા પોતાનો ક્યૂઆર કોડ ચોંટાડી દે છે. ક્યૂઆર કોડ સ્કેન કરતી વખતે હંમેશા મેળવનાર વ્યક્તિ કે દુકાનનું નામ ચકાસી લેવું જોઈએ. ગૂગલ સર્ચમાં ખોટા નંબરો કે નકલી વેબસાઇટ મુકેલી હોય છે, જે દૂરથી ફોનનો એક્સેસ મેળવવાની એપ ડાઉનલોડ કરાવીને કે વન ટાઈમ પાસવર્ડ માગીને ફ્રોડ કરે છે. હંમેશા બેંક કે એપની અધિકૃત એપ અથવા વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવો જોઈએ.
કલેક્ટ રિક્વેસ્ટ ની છેતરપિંડી
પૈસા જમા કરવા અથવા રિફંડ મેળવવા માટે આ રિક્વેસ્ટ એપ્રૂવ કરો અને પિન દાખલ કરો. તેવી સૂચનાઓ મોકલવામાં આવે છે. પૈસા મેળવવા માટે ક્યારેય યુપીઆઈ પિનની જરૂર પડતી નથી. પિન માત્ર તમારા એકાઉન્ટમાંથી પૈસા મોકલવા કે ડેબિટ કરવા માટે જ વપરાય છે.
સુરક્ષિત વ્યવહાર માટેની ૫ જરૂરી ટેવો
તમારો યુપીઆઈ પિન કે વન ટાઈમ પાસવર્ડ કે બેંક વિગતો ક્યારેય કોઈની સાથે શેર ન કરો. બેંકનો કોઈ પણ કર્મચારી ક્યારેય તમારો પિન માગતા જ નથી. પેમેન્ટ કન્ફર્મ કરતા પહેલાં સ્ક્રીન પર દેખાતું નાણાં મેળવનારનું નામ અને રકમ ધ્યાનથી ચકાસી લેવી જરૂરી છે. પૈસા મેળવવા માટે કોઈ તમને પિન નાખવાનું કહે તો તે તુરંત જ ફ્રોડ હોવાનું સમજી લો. તમારી સાથે છેતરપિંડી થઈ રહી હોવાની ચેતવણીની તે ઘંટડી છે.
પેમેન્ટ સ્પીકર અથવા પોતાની બેંક એપના મેસેજ પર જ ભરોસો રાખવો જોઈએ. જો છેતરપિંડી થાય તો વિલંબ કર્યા વગર તુરંત કાર્યવાહી કરવી જોઈએ. તમારી સાથ છેતરપિંડી થઈ હોવાનું લાગે તો તરત જ બેન્કનો સંપર્ક કરી લો. તમારા એકાઉન્ટમાંથી અનધિકૃત ટ્રાન્ઝેક્શન થતાં જ તમારી બેંકને જાણ કરી એકાઉન્ટ,કાર્ડ કે યુપીઆઈ બ્લોક કરાવી દો.
સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 પર તુરંત કોલ કરો અથવા cybercrime.gov.in પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી દો. તમે કરેલા ટ્રાન્ઝેક્શનનો ઓળખ નંબર સાચવી રાખો. મેસેજ, ફોન નંબરો યુપીાઈ આઈડી અને ચેટના સ્ક્રીનશોટ ડિલીટ ન કરો અને પુરાવા તરીકે સાચવી રાખવા જરૂરી છે. અનધિકૃત વ્યવહારની જાણ ૩ કામકાજના દિવસોમાં બેંકને કરવાથી ગ્રાહકની જવાબદારી ઘટે છે અને નાણાં પરત મેળવવાની શક્યતા વધી જાય છે.
રીલીફ રોડ ઇલક્ટ્રોનિક એસોસિયેશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીનું કહેવું છે કે વેપારીઓએ યુપીઆઈથી પેમેન્ટ સ્વીકાર્યા પછી ખરેખર તે તેમના ખાતામાં આવ્યા કે નહિ તેનો વોઈસ મેસેજ સાંભળી લેવો જોઈએ. તેમાંય ખાસ કરીને એક કરતાં વધુ કસ્ટમર્સ હોય ત્યારે તેમણે તેમના મેસેજને લાઉડ સ્પીકર પર સાંભળી લેવા જોઈએ. તેમ ન કરનારા વેપારીઓ મોટી ખોટમાં આવી જાય તેવી સંભાવના પણ રહેલી જ છે.

