• 3 September, 2026 - 10:12 AM

દીકરીના લગ્ન માટે બચાવેલા ₹1.2 કરોડ, વ્યક્તિએ ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડમાં ગુમાવ્યા

દીકરીના લગ્ન માટે બચાવેલા ₹1.2 કરોડ, વ્યક્તિએ ‘ડિજિટલ એરેસ્ટ’ના કૌભાંડમાં ગુમાવ્યા

સાયબર ગુનેગારોએ વિડિયો કોલ દ્વારા તેમને નજરકેદ રાખવાનો દાવો કરીને “ડિજિટલ એરેસ્ટ”માં રાખ્યા હતા. આ ઠગાઈ સાચી લાગે તે માટે, આરોપીઓએ કથિત રીતે એક નકલી કોર્ટરૂમ તૈયાર કર્યો હતો

સીબીઆઈના અધિકારી હોવાનો સ્વાંગ રચીને ડિજિટલ એરેસ્ટ કરીને દીકરીના લગ્ન માટે અલગ રાખેલા રૂ. 1.20 કરોડ ગૌતમ ચંદ્ર દાસ પાસેથી લીધા હોવાનું આઘાતજનક ઘટના બહાર આવી છે. સીબીઆઈના અધિકારી હોવાનો દાવો કરતો એક ફોન પ્રદીપ સિંહ નામની વ્યક્તિએ કર્યો હતો. તેની સાથે જ ગૌતમ ચંદ્રદાસની જીવનની કઠણાઈનો આરંભ થયો હતો.  બે જ મહિના સુધી ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખીને તેની પાસેથી દીકરીના લગ્ન માટે અલગ રાખેલા રૂ. 1.2 કરોડ પડાવી લીધા છે. 

સાહેબગંજ DSP (હેડક્વાર્ટર) રવિકાંત સાઓએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, ગૌતમ ચંદ્ર દાસને CBIના નકલી કેસમાં ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી અને લગભગ 10 અલગ-અલગ પ્રસંગોએ વિવિધ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કથિત રીતે મજબૂર કરવામાં આવ્યા હતા. ગૌતમ ચંદ્રદાસે પોલીસને જણાવ્યું કે તેમણે આ પૈસા પોતાની દીકરીના લગ્ન માટે બચાવીને રાખ્યા હતા.

નકલી CBI કેસ, નકલી કોર્ટરૂમ

આ હાડમારી જૂન મહિનામાં શરૂ થઈ હતી જ્યારે ગૌતમ ચંદ્રદાસને પ્રદીપ સિંહ નામના શખ્સનો ફોન આવ્યો હતા. પ્રદીપ સિંહે પોતે સીબીઆઈનો સિનિયર અધિકારી હોવાનો દાવો કર્યો હતો. કોલ કરનારે દાસને કથિત રીતે કહ્યું કે તેમની વિરુદ્ધ એક ગંભીર કેસ નોંધાયો છે અને ટૂંક સમયમાં ધરપકડની કાર્યવાહી શરૂ થઈ શકે છે. ત્યારબાદ સાયબર ગુનેગારોએ વિડિયો કોલ દ્વારા તેમને નજરકેદ રાખવાનો દાવો કરીને “ડિજિટલ એરેસ્ટ”માં રાખ્યા હતા. આ ઠગાઈ સાચી લાગે તે માટે, આરોપીઓએ કથિત રીતે એક નકલી કોર્ટરૂમ તૈયાર કર્યો હતો અને ગૌતમ ચંદ્રદાસને ત્રણ વખત વિડિયો કોલના માધ્યમથી કાલ્પનિક સીબીઆઈ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.

આ સેશન્સ દરમિયાન, તેમને કાનૂની કાર્યવાહી, દંડ અને ધરપકડની ધમકીઓ આપવામાં આવી હતી. કેસ બંધ કરવાના અથવા ધરપકડથી બચાવવાના બહાને તેમને વિવિધ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પોતે ઠગાયા હોવાનો અહેસાસ થતાં દાસે પોલીસનો સંપર્ક કરતા પહેલા પોતાના એક સંબંધીને જાણ કરી હતી.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ, મોબાઇલ નંબરો અને ટ્રાન્ઝેક્શન વિગતોની બારીકાઈથી તપાસ કરી રહી છે. પોલીસનો હેતુ ગુનેગારો સુધી પહોંચવા અને તેમના નેટવર્કને ખુલ્લું પાડવા માટે ફ્રોડના પૈસા ક્યાં ટ્રાન્સફર થયા છે તે ટ્રેસ કરવાનો છે. તપાસ હાલમાં પૈસા ટ્રેસ કરવા અને આ કથિત ઠગાઈ પાછળ રહેલા લોકોની ઓળખ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Read Previous

મુન્દ્રા પોર્ટ પર ખાલી કન્ટેનર યાર્ડ અને ટ્રાન્સપોર્ટરોની હડતાળ શરૂ

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular