• 6 September, 2026 - 10:37 AM

નબળી ગુણવત્તાનો સામાન સપ્લાય કરનારા પ્રતિબંધ મૂકવામાં આવશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

રેલવેને નબળી ગુણવત્તાનો સામાન સપ્લાય કરનારા પ્રતિબંધ મૂકવામાં આવશેઃ અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રી

ટ્રેકના પાટા, સિગ્નલિંગ સિસ્ટમ, કોચ અને અન્ય ટેકનિકલ સાધનોની ગુણવત્તામાં સહેજ પણ ખામી તેમને માત્ર દંડ જ નહીં, ભવિષ્યના તમામ સરકારી ટેન્ડરોમાંથી બ્લેકલિસ્ટ કરશે 

નવી દિલ્હીઃ  ક્ષેત્રે મુસાફરોની સુરક્ષા, ગુણવત્તા અને સમયબદ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક વખત ઝીરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી છે. તમામ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સપ્લાયર્સને સખત ચેતવણી આપતાં જણાવ્યું છે કે રેલવે પ્રોજેક્ટ્સ અથવા મેન્ટેનન્સમાં જો નબળી ગુણવત્તાની સામગ્રી સપ્લાય કરવામાં આવશે કે કોઈ પણ સ્તરે ઈરાદાપૂર્વક બેદરકારી દાખવવામાં આવશે, તો તેને ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદારો સામે આકરાં કાનૂની અને વહીવટી પગલાં લેવામાં આવશે. કેન્દ્રીય રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સાધનોની સપ્લાય અને ગુણવત્તા મુદ્દે એક અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પાંચમી સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીથી જારી કરાયેલી સૂચનાઓ મુજબ, મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે રેલવે સપ્લાયમાં નબળી ગુણવત્તા અને કામગીરીમાં સભાનપણે કરવામાં આવતી બેદરકારી દાખવનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં
રેલવે મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રેલવે મુસાફરોની સુરક્ષા સૌથી વધુ પ્રાથમિકતા ધરાવે છે. ટ્રેકના પાટા, સિગ્નલિંગ સિસ્ટમ, કોચ અને અન્ય ટેકનિકલ સાધનોની ગુણવત્તામાં સહેજ પણ ખામી મુસાફરોના જીવન માટે જોખમી બની શકે છે. જે વેન્ડર્સ કે કોન્ટ્રાક્ટર્સ દ્વારા હલકી ગુણવત્તાનો સામાન પૂરો પાડવામાં આવશે, તેમની સામે માત્ર દંડ જ નહીં પરંતુ તેમને ભવિષ્યના તમામ સરકારી ટેન્ડરોમાંથી બ્લેકલિસ્ટ કરવાની અને ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અધિકારીઓની જવાબદારી નક્કી થશે
માત્ર સપ્લાયર્સ જ નહીં, પરંતુ સામાનની ખરીદી અને ગુણવત્તાની તપાસ માટે જવાબદાર એવા રેલવેના અધિકારીઓ સામે પણ બેદરકારી બદલ કડક ખાતાકીય પગલાં લેવામાં આવશે. સપ્લાય ચેઈનમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવી રાખવા માટે થર્ડ-પાર્ટી ઓડિટ તેમજ ડિજિટલ મોનિટરિંગ વધારે મજબૂત કરવામાં આવશે. પાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ આયોજિત સમીક્ષા બેઠક દરમિયાન જારી કરાયેલા આ કડક નિર્દેશોથી સ્પષ્ટ થાય છે કે ભારતીય રેલવે તેના આધુનિકીકરણ અને સુરક્ષા ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. સરકારના આ વલણથી રેલવે સેવાઓમાં વધુ સુધારો થશે અને મુસાફરોની સુરક્ષામાં પણ વધારો પણ કરવામાં આવશે.

Read Previous

તાજેતરના સુધારા બાદ વધુ કિંમત વસૂલવાના કેસોની પ્રક્રિયા માટે NPPA તેની આંતરિક માર્ગદર્શિકામાં સુધારો કરશે

Most Popular