• 1 December, 2025 - 4:21 PM

એલન મસ્કે પુત્રનું નામ શેખર રાખ્યું, જીવનસાથીના ભારત સાથેના ખાસ કનેક્શનનો પણ કર્યો ખુલાસો

અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક અને સ્પેસએક્સના સીઈઓએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે તેમના બાળકના મધ્યમ નામમાં ભારતીય નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રમણ્યમ ચંદ્રશેખરનું નામ શામેલ કર્યું છે. તેમણે કહ્યું, “મારા જીવનસાથી શિવોન જિલિસ અર્ધ-ભારતીય છે. એટલું જ નહીં, પરંતુ અમારા બાળકોમાંથી એક અને મારા પુત્રનું મધ્યમ નામ શેખર છે.” તેમણે ઉમેર્યું કે આ નામ ભારતીય-અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રમણ્યમ ચંદ્રશેખર પરથી ઉતરી આવ્યું છે.

જિલિસ અને મસ્કને ચાર બાળકો 

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક એલોન મસ્કે ઝેરોધાના સ્થાપક નિખિલ કામથ સાથે પોડકાસ્ટમાં આ જાહેરાત કરી હતી. નોંધનીય છે કે જિલિસ અને મસ્કને ચાર બાળકો છે. જિલિસ મસ્કની કંપની ન્યુરાલિંકમાં ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે. શિવોન જિલિસ લાંબા સમયથી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેઓ 2017 માં ન્યુરાલિંકમાં જોડાયા હતા અને હાલમાં કંપનીના ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે.

ભારતીય નાગરિકોની પ્રશંસા કરતા, મસ્કે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે તેમના શો ‘પીપલ બાય WTF’ માં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, “મારો જીલ સાથે એક પુત્ર છે, તેનું મધ્યમ નામ ચંદ્રશેખરના નામ પરથી શેખર છે.” એસ ચંદ્રશેખર એક પ્રખ્યાત ભારતીય-અમેરિકન ખગોળ ભૌતિકશાસ્ત્રી હતા જેમને 1983 માં “તારાઓની રચના અને ઉત્ક્રાંતિ માટે મહત્વપૂર્ણ ભૌતિક પ્રક્રિયાઓ પરના તેમના સૈદ્ધાંતિક અભ્યાસ” માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ પોડકાસ્ટમાં, મસ્કે અમેરિકામાં ભારતીય વ્યાવસાયિકોની ભૂમિકાની પ્રશંસા કરી. તેઓ કહે છે કે મારું માનવું છે કે પ્રતિભાશાળી ભારતીયોથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે.

Read Previous

શિયાળાના આગમન સાથે ઈંડાની માંગ વધી, ભાવમાં વધારો, જાણો કોણ દેશનો એગ્સ લીડર?

Read Next

7 હજાર પરિવારો જેટલું આવે છે મુકેશ અંબાણીનાં એન્ટિલિયાનું વીજ બિલ, જાણો કેટલા રુપિયા દર મહિને વીજ બિલના ચૂકવાય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular