• 3 April, 2026 - 5:56 PM

સરળતાથી રિટર્ન ફાઈલ થઈ શકે તે માટે CBDTએ નવી વેબસાઈટ ‘કર સાથી’ લોન્ચ કરી

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નવી વેબસાઈટ લોન્ચ કરવાનો હેતુ વેરા સંબંધિત પૂર્ણ માહિતી કરદાતાઓને એક જગ્યાએ ઉપલબ્ધ કરાવવાનો અને ડાયરેક્ટ ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓને સરળ-ઝડપી બનાવવાનો છે

કરદાતાઓ તેમનું વાર્ષિક રિટર્ન સરળતાથી ફાઈલ કરી શકે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આજે કર સાથી નામથી નવી વેબસાઈટ લોન્ચ કરી છે. નવી વેબસાઈટને કારણે આવક વેરાનું રિટર્ન ફાઈલ કરવું હવે વધુ આસાન બની જશે. આ નવી વેબસાઈટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે. આ વેબસાઈટ લોન્ચ કરવા પાછળનો મુખ્ય હેતુ આવકવેરા સંબંધિત તમામ માહિતી કરદાતાઓને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવાનો અને ડાયરેક્ટ ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે.

સીબીડીટીનું કહેવું છે કે કર સાથી એક AI આધારિત સહાયક તરીકે કામ કરશે, જે ટેક્સપેયર્સને તેમના ટેક્સ સંબંધિત કામમાં માર્ગદર્શન આપશે. આ વેબસાઇટની જાહેરાત ગયા મહિને સીબીડીટીના ચેરમેન રવિ અગરવાલે કરી હતી. આ વેબસાઈટ આજે લોન્ચ કરી છે. વેબસાઈટ પર મળતી સેવાઓ ઑફલાઇન પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

સીબીડીટી દ્વારા કરવામાં આવેલી આ પહેલ પ્રારંભ એટલે કે પોલીસી રિફોર્મ એન્ડ રિસ્પોન્સિબલ એક્શન ફોર મિશન વિકસિત ભારતના કાર્યક્રમનો જ એક ભાગ છે. આ પહેલ નવી ટેક્સ સિસ્ટમમાં કરદાતાઓ સરળતાથી પ્રવેશી જાય તે સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી છે.

 નવી ટેક્સ સિસ્ટમના નવા નિયમોની CBDT 20 માર્ચે જાહેરાત કરવામાં આવી હતી. નવા આવકવેરા કાયદા 2025 હેઠળ ફોર્મની સંખ્યા 396માંથી ઘટાડી 190 કરવામાં આવી છે. હવે નવા પાનકાર્ડ માટે અરજી માત્ર આધાર કાર્ડ રજૂ કરીને જ કરી શકાશે. પાનકાર્ડ પરનું નામ અને આધારકાર્ડ પરનું નામ એક સરખું હોવું ફરજિયાત છે. મોટા નાણાંકીય વહેવારો માટે પાનકાર્ડની વિગતો આપવી ફરજિયાત છે.

નવા ફોર્મ સરળ અને સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ફોર્મ નંબર 3 અને 7 જાહેર પણ કરી દેવામાં આવ્યા છે. તેમ જ નિયમોના પાલનની વ્યવસ્થાને સરળ બનાવવા માટે પ્રોસેસ-પ્રક્રિયાઓમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. જૂનો Income Tax Act, 1961 હવે 1 એપ્રિલ 2026થી રદ્દ થઈ જશે. જોકે જૂના કેસો માટે ટ્રાન્ઝિશનલ વ્યવસ્થા રાખવામાં આવી છે. હવે નાણાંકીય વર્ષ તરીકે ઓળખાશે નહિ. પરંતુ ટેક્સ યર તરીકે વર્ષને ઓળખવામાં આવશે. પહેલા ફાઈનાન્શિયલ યર અને એસેસમેન્ટ યર તરીકે ઓળખાતા હતા. જોકે ટેક્સ યરનો ગાળો પહેલી એપ્રિલથી 31મી માર્ચ સુધીના બાર માસનો જ રહેશે. છતાંય ટેક્સ યર કરવાથી વેરાની ગણતરી પમ વધુ સરળ બની જશે.

 

Read Previous

ફાર્મસી ગ્રેજ્યુએટ્સ અનુસ્નાતકનો અભ્યાસ કરી શકે તે માટે સ્કોલરશીપ યોજના ફરી જાહેર કરી

Read Next

નવા વર્ષમાં રસોડામાં વપરાતી દરેક વસ્તુઓના ભાવ ત્રણથી ચાર ટકા વધી જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular