હવે AIS કરદાતાની આવક ખર્ચના હિસાબનો સંપૂર્ણ ચોપડો બની જશે

આવકવેરાના રિટર્નમાં કરદાતા તરફથી કોઈ જ ક્ષતિ ન રહી જાય તે માટે મદદરૂપ થશેઃ આવકવેરાના રિટર્નમાં કરદાતા તરફથી કોઈ જ ક્ષતિ ન રહી જાય તે માટે મદદરૃપ થશે
હવે પછી બે ભાગમાં તૈયાર કરવામાં આવનારુ કરદાતાઓનું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ-એઆઈએસમાં જ કરદાતાઓને આવકવેરા વિભાગમાં રજૂ કરવાના થતાં ઇન્કમટેક્સ રિટર્નને લગતી તમામ માહિતીઓ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરિણામે આવકવેરાના રિટર્નમાં જોવા મળતી ક્ષતિઓ એકદમ ઓછી કે નહિવત થઈ જશે. અત્યાર સુધી એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ તરીકે ઓળખાતું આ ફોર્મ હવે પછી ફોર્મ ૧૬૮ તરીકે ઓળખાશે
કરદાતાના વાર્ષિક નાણાંકીય વહેવારોનો સંપૂર્ણ દસ્તાવેજ બની જાય તે રીતે તેને ડિઝાઈન કરવામાં આવ્યુંે છે. તેમાં કરદાતાએ આવકવેરાને લગતા કાયદાના કરેલા પાલનની સંબંધિત સંપૂર્ણ વિગતો મળી જશે. પહેલા ભાગમાં કરદાતાના નામ, સરનામા, પાનકાર્ડ, ઇમેઈલ આઈડી ને મોબાઈલ સંપર્ક નંબરની વિગતો રાખવામાં આવશે. જ્યારે બીજા ભાગમાં કરદાતાના આવક, જાવક, ટીડીએસ, ટીસીએસ, વેરાની ડિમાન્ડ, રિફંડ, વિશેષ નાણાંકીય લેવડદેવડ, બાકી વેરાની ડિમાન્ડ સહિતની તમામ વિગતો પૂરી પાડી શકશે. અત્યાર સુધી એન્યુઅલ સ્ટેટમેન્ટ તરીકે ઓળખાતું એઆઈએસ હવે પછીથી ફોરમ નંબર ૧૬૮ તરીકે ઓળખાશે. આ નવું ફોર્મ ૨૦૨૬-૨૭ના નાણાંકીય વર્ષથી અમલમાં આવશે.
પરિણામે ટેક્સપેયર્સ દ્વારા આવકજાવકના ખર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ અંગે આપવામાં આવતી માહિતી વધુ જડબેસલાક બનશે. આમ તેમાં પારદર્શકતા વધી જશે. આવકવેરાના રિટર્નમાં મિસમેચ થવાની સમસ્યા સાવ જ હળવી થઈ જશે. મિસમેચ જોવા મળે તો તેને કારણે નોટિસ આપવામાં આવેે છે. નોટિસ મળ્યા પછી કાનૂની વિવાદો પણ થયા જ કરે છે. બીજીતરફ કરદાતાની સમજણ પણ વધુ સ્પષ્ટ થશે. કારણ કે કરદાતા એડવાન્સમાં જ એઆઈએસનું પુનરવલોકન કરી શકશે. આમ ફોર્મ ૧૬૮ કરદાતાના કોમ્પ્લાયન્સ માટેનો મહત્વનો દસ્તાવેજ જ બની જશે.




