સરકાર જાહેરનામું બહાર પાડી મહિલાઓને રાતપાળીમાં બોલાવવા પર રોક લગાવી શકશે

ગુજરાત સરકારે વટહુકમ બહાર પાડયો: આરામ માટેના રૃમ, શૌચાલય,ઘોડિયાઘરની સુવિધાના આપે તો જ રાતપાળીમાં મહિલાઓને બોલાવવા દેવાશે
અમદાવાદઃ ગુજરાત સરકારને યોગ્ય લાગે તો જાહેરનામું બહાર પાડીને મહિલાઓને રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીના ગાળામાં એટલ ેકે રાતપાળીમાં નોકરી પર આવવાની ફરજ ન પાડી શકે તેવી જોગવાઈ દાખલ કરી શકશે. તેમ જ મહિલા કામદારોના રોજગાર પર નિયમન કરી શકશે, એમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બહાર પાડેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો)અધિનિયમ ૨૦૧૯માં સુધારા જાહેર કરતો વટહુકમ બહાર પાડયો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહી સાથે આજે આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. વટહુકમમાં સમાન કામ માટે સમાન વેતન આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
જોકે મહિકાલ કર્મચારીઓને નોકરી આપતી દુકાનો, સંસ્થાઓમાં આરામ માટેના રૃમ,રાત્રિ ઘોડિયાઘર, મહિલાઓ માટેના અલગ શૌચાલય તથા તેમના ગૌરવ, સન્માન, અને સલામતીની કાળજી રાખે તેમ જ જાતીય સતામણીથી રક્ષણ આપે તેવી સુવિધાઓ આપતી સંસ્તાઓને રાતપાળીમાં મહિલાઓને બોલાવવાની છૂટ આપવામાં આવશે. આ સંસ્થાઓએ રાતપાળીમાં આવતી મહિલાઓને સંસ્થાની ઇમારતથી માંડીને મહિલના ઘરના બારણાં સુધી મૂકી આવવાની વ્યવસ્થા ઊભી કરવી ફરજિયાત હોવાનું વટહુકમમાં જણાવવામાં આવ્યું છે. ઉપરોક્ત તમામ સુવિધાઓ ધરાવતી સંસ્થાઓ કે દુકાનો જ મહિલાઓને રાત્રિપાળીમાં કામ કરવા માટ મહિલાઓને બોલાવી શકશે.
આ સાથે જ રોજના કામકાજના કલાક નવથી વધારીને દસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાાઓ માટે નોકરીની વધુ તક નિર્માણ કરવાના હેતુથી કાયદામાં પ્રસ્તુત સુધારાઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વીસથી વધુ કર્મચારીઓ કે કામદારોને રાખતી સંસ્થાઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે. તેમ જ કોઈપણ ત્રિમાસિક ગાળામાં કામદાર પાસે કરાવવામાં આવતા ઓવર ટાઈમના કલાક ૧૪૪થી ન વધે તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. પહેલા આ મર્યાદા ૧૨૫ કલાકની હતી.




