• 19 February, 2026 - 12:47 AM

સાગરકાંઠા-આદિજાતિ વિસ્તારોમાં વીજ જોડાણ આપવા રૃા.૧૧૬૬ કરોડ ફાળવ્યા

વીજપુરવઠાની સમસ્યા હળવી કરવા બજેટમાં જાહેરાતઃ શહેરી વિસ્તારોની તમામ ઓવરહેડ વીજ જોડાણ લાઈનોને અન્ડરગ્રાઉન્ડ લાઈનોમાં ફેરવી નાખવા રૃા. ૫૦૦ કરોડ ફાળવ્યા

અમદાવાદઃ ગુજરાતના આદિજાતિ, સાગરકાંઠાં અને અન્ય વિસ્તારોમાં ખેેતી માટે વીજ જોડાણો આપવા ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુ દેસાઈએ આજે રૃા. ૧૧૬૬ કરોડની જોગવાઈ કરી છે. સાગરકાંઠાના વિસ્તારો અને આદિજાતિની પ્રજા ધરાવતા વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૃા. ૩૫૦કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જ રીતે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળરૃા. ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ સાથે જ શહેરી વિસ્તારોની તમમ ઓવરહેડ વીજ સપ્લાય લાઈનોને અન્ડરગ્રાઉન્ડ લાઈનમાં રુપાંતરિત કરી દેવા માટે રૃા. ૫૦૦ કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. સાતત્ય પૂર્ણ ક્વોલિટી પાવરનો સપ્લાય આપવા માટે જનજાતિય કલ્યાણ યોજના હેઠળ રુ. ૨૦૧ કરોડની અને પ્રધાન મંત્રી કુસુમ યોજન માટેરૃા. ૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

તદુપરાંત હયાત ટ્રાન્સમિશન લાઈન અને સંલગ્ન વીજમાળખાને શિફ્ટ કરવા માટે રૃા. ૧૨૫ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ જ રીતે ઉર્જા સંરક્ષણ માટે રૃા. ૧૦૦ કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે. ગુજરાતના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો મળતો રહે તે માટે તથા વીજસલામત ઝોન બનાવવા માટે રૃા. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં આવેલી ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક બનાવવા માટે રૃા. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમ જ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૃપાંતરિત કરવા માટે રૃા. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એનર્જી ઇનોવેશન ફંડ માટે રૃા. ૨૫ કરોડની જોગવાઈ કરવામાં વેલી છે.

 

Read Previous

ગુજરાતના યાત્રાધામોના વિકાસ માટે રૃા. ૫૫૦ કરોડ ફાળવવામાં આવ્યા

Read Next

કિસાન ક્રેડિટ કાર્ડ પર શૂન્ય ટકા વ્યાજે નાણાં આપવા રૃા. ૧૫૩૯ કરોડની  ફાળવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular