• 19 February, 2026 - 12:47 AM

ગુજરાતના યાત્રાધામોના વિકાસ માટે રૃા. ૫૫૦ કરોડ ફાળવવામાં આવ્યા

ગુજરાતમાં દાહોદ ખાતે નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે: સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે હસ્તકળા અને  હોટેલના બિઝનેસને વેગ મળતા નવી માળખાકીય સુવિધા આપવા રૃા. ૨૩૬ કરોડ ફાળવ્યા

અમદાવાદ: ગુજરાતના જુદાં જુદાં યાત્રાધામોના વિકાસ માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે રજૂ કરેલા બજેટમાં રૃા. ૫૫૦ કરોડની ફાળવણી કરી છે. તેમાંય ખાસ કરીને અંબાજી ખાતે સુવિધાઓ વિકસાવવા માટે રૃા. ૩૦૦ કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે હસ્તકળા અને  આતિથ્યસત્કારના બિઝનેસને મળેલા વેગને ધ્યાનમાં લઈને આઆ વિસ્તારમાં માળખાકીય સુવિધા વધારવા માટે રૃા. ૨૩૬ કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

ભારતના પર્યટન ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા માટે રૃા. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જ દાહોદ ખાતે નવું એરપોર્ટ વિકસાવવા અને પોરબંદર, વડોદરા, અંકલેશ્વરના એરપોર્ટની સુવિધા વધારવા રૃા. ૯૫ કરોડની ફાળવણી કરવામાં આવશે. નાના શહેરોને માટો શહેરો સાથે હવાઈ માર્ગથી જોડવા માટે રૃા. ૭૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સોમનાથ, શિવરાજપુરમાં બીચના પ્રવાસે આવવાના શોખીનો માટે વિશ્વસ્તરની સુવિધાઓ વિકસાવવા પર ફોકસ કરવામાં આવશે. આ જ રીતે વિસાવડા-પોરબંદર ખાતે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રૃા. ૬૦ કરોડની  તથા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજમણી માટે રૃા. ૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ-આશાપુરા અને ગિરનાર ખાતે શ્રદ્ધાળુઓને સુવિધા મળે તે માટે તથા મા નર્મદાની પરિક્રમા કરવા માટે અુકીળતા રહે તે માટે રૃા. ૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શહેરો માટે નવી ૨૯૬૩ બસ વસાવશે

જાહેર પરિવહનની સુવિધાને સંગીન બનાવવા રૃા. ૧૨૮૬ કરોડની ાળવણી કરીને નવી ૨૯૬૩ બસ વસાવવામાં આવશે. ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક વિકસાવવા રુ. ૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઈ-ગવર્નન્સ માટે રૃા.૧૫ કરોડની ફાળવણી કરામાં આવી છે. રાજ્યમાં વાહન તથા લાયન્સ સંબંધિત પ્રીમિય અને એક્સ પ્રેસ સેવાઓ આપવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નવતર આયોજનોનો અમલક રવામાં આવશે.

બંદરોના વિકાસ માટેનું આયોજન કરવામાં આવી છે.વિકસિત ગુજરાતના દ્રષ્ટિકોણથી બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા ૬૦૦ મિલિયન મેટ્રિક ટનની છે. તેમાં વધારો કરીને ૨૦૪૭ સુધીમાં ૩૦૦૦ મિલિયન મેટ્રિક ટન સુધી લઈ જવાનુંલક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

 

Read Previous

સોનું અને ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?

Read Next

સાગરકાંઠા-આદિજાતિ વિસ્તારોમાં વીજ જોડાણ આપવા રૃા.૧૧૬૬ કરોડ ફાળવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular