• 21 August, 2026 - 10:27 PM

દર મહિને 2.5 લાખથી વધુ ટેક્સ ક્રેડિટ પાસ કરતી કંપનીઓ માટે GST રજીસ્ટ્રેશનના નિયમો બદલાઈ શકે છે

દર મહિને ₹2.5 લાખથી વધુ ટેક્સ ક્રેડિટ પાસ કરતી કંપનીઓ માટે GST રજીસ્ટ્રેશનના નિયમો બદલાઈ શકે છે

નાના અને ઓછું જોખમ ધરાવતા વેપારીઓને ઝડપી જીએસટી નંબર ફાળવવાનો છે, જેથી તેઓ ટેક્સ ક્રેડિટનો લાભ સરળતાથી લઈ શકે અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા જળવાઈ રહેશે. 

મહિનામાં રૂ. 2.5 લાખથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આગળ પાસ કરતા વેપારીઓ અને વ્યવસાયો માટે જીએસટી રજીસ્ટ્રેશન મેળવવાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. નાના વેપારીઓ માટે દાખલ કરવામાં આવેલા ફાસ્ટ-ટ્રેક જીએસટી રજીસ્ટ્રેશન નિયમો (રૂલ 14A) અંતર્ગત આ જોગવાઈ અમલમાં આવી શકે છે.

જે વ્યવસાયો પોતાની માસિક આઉટપુટ ટેક્સ લાઇબિલિટી અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટ રૂ. 2.5 લાખથી ઓછી હોવાનું આકલન કરે છે, તેઓ નવા નિયમ (રૂલ 14A) હેઠળ સરળ અને ઝડપી (ફાસ્ટ-ટ્રેક) રજીસ્ટ્રેશન મેળવવા માટે પાત્ર બને છે. તેમના આધાર વેરિફિકેશન અને સરળ બનાવવામાં આવેલી  પ્રક્રિયા મારફતે આ યોજના હેઠળ ૩ કાર્યકારી દિવસોમાં ઓટો-એપ્રૂવલ અથવા ફાસ્ટ રજીસ્ટ્રેશન મંજૂર કરવામાં આવે છે.

જો કોઈ વ્યવસાય મહિનામાં રૂ. 2.5 લાખથી વધુનો ટેક્સ ક્રેડિટ અથવા ટેક્સ લાઇબિલિટી ધરાવે છે, તો તેણે સામાન્ય (સ્ટેન્ડર્ડ) રજીસ્ટ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અથવા વિથડ્રોઅલ ફોર્મ-ફોર્મ આરઈજી-32 ભરીને નિયમિત કેટેગરીમાં ટ્રાન્સફર થવું પડશે.

નવી જોગવાઈમાં બિઝનેસ ટુ બિઝનેસ સપ્લાય પર વધુ ફોકસ કરવામાં આવશે. તેની  મર્યાદા મુખ્યત્વે રજિસ્ટર્ડ વેપારીઓને થતા વેચાણ એટલે કે બી ટુ બી સપ્લાયને  લાગુ પડે છે. અનરજિસ્ટર્ડ ગ્રાહકોને થતા વેચાણ -બિઝનેસ ટુ કન્ઝ્યુમર પર આ મર્યાદા લાગુ પડતી નથી.

આ ફેરફારનો મુખ્ય હેતુ નાના અને ઓછું જોખમ ધરાવતા વેપારીઓને ઝડપી જીએસટી નંબર ફાળવવાનો છે. તેઓ ટેક્સ ક્રેડિટનો લાભ સરળતાથી લઈ શકશે અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા જળવાઈ રહેશે.

કોને ફાયદો થશે? 

નાના અને ઉભરતા બી ટુ બી વેપારીઓને ફાયદો થશે. નવા સ્ટાર્ટઅપ્સ, ફ્રીલાન્સર્સ, કન્સલ્ટન્ટ્સ, અને નાના સપ્લાયર્સ જે મોટા ભાગે રજિસ્ટર્ડ કંપનીઓ (B2B) સાથે વેપાર કરે છે. મોટા રીટેલ સુપરમાર્કેટ્સ કે સ્થાનિક વેપારીઓ જેઓનો મોટા ભાગનો વેપાર સામાન્ય ગ્રાહકો-બિઝનેસ ટુ કન્ઝ્યુમર સાથે છે અને તેમનો બી ટુ બી વેપાર પરનો ટેક્સ રૂ. 2.5 લાખથી ઓછો છે, કારણ કે બિઝનેસ ટુ કન્ઝ્યુમરને કરવામાં આવતા વેચાણ પરનો ટેક્સ આ મર્યાદામાં ગણાતો નથી.

મોટા કોર્પોરેટ્સ રે ખરીદદારો

નવી જોગવાઈની નાની એજન્સીઓ કે સર્વિસ પ્રોવાઇડર્સ પાસેથી સેવા લેતી મોટી કંપનીઓ પણ લાભ થશે. તેમના સમયની 85તી 90 ટકા બચત થશે. સામાન્ય જીએસટી રજીસ્ટ્રેશનમાં મેન્યુઅલ ચકાસણી કે ભૌતિક સ્થળ તપાસને કારણે ૭ થી ૩૦ દિવસનો સમય લાગે છે. આ જોગવાઈ હેઠળ આ સમય ઘટીને માત્ર  કામકાજના ત્રણ દિવસો થઈ જાય છે.

ટર્નઓવર ક્ષમતા:  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો ૧૮ ટકાનો સ્લેબ ધરાવતી સેવા કે વસ્તુઓ માટે મહિનાનું રૂ. ૨.૫ લાખનું આઉટપુટ ટેક્સ એટલે આશરે રૂ. ૧૩.૮૮ લાખનું માસિક બિઝનેસ ટુ બિઝનેસ ટર્નઓવર-વાર્ષિક આશરે રૂ. ૧.૬૭ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓને આનો સીધો લાભ મળે છે.

કેવી રીતે ફાયદો થશે?

 જ્યારે કોઈ નાનો વેપારી કે ફ્રીલાન્સર મોટા કોર્પોરેટ ગ્રાહક સાથે કામ શરૂ કરે છે, ત્યારે જીએસટી નંબર વિના ઇન્વોઇસ બનાવી શકાતું નથી. ૩ દિવસમાં જીએસટી નંબર મળી જવાથી કામમાં કે પેમેન્ટમાં વિલંબ થતો નથી. ફોર્મ GST REG-01 ભરતી વખતે જ રૂલ 14-એનો વિકલ્પ પસંદ કરીને આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાથી સિસ્ટમ દ્વારા આપોઆપ મંજૂરી મળી જાય છે. અધિકારીઓની મેન્યુઅલ મંજૂરીની રાહ જોવી પડતી નથી.

નાના સપ્લાયર્સ ઝડપથી જીએસટી હેઠળ નોંધાતા હોવાથી તેમના મોટા બી ટુ બી ખરીદદારોને સપ્લાયરના બિલ પર સમયસર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સત્તાવાર લાભ મળે છે. ભવિષ્યમાં વેપાર વધે અને માસિક બી ટુ બી ટેક્સ રૂ. ૨.૫ લાખથી વધી જાય તો વેપારી દંડ કે રજીસ્ટ્રેશન રદ કર્યા વગર ફોર્મ જીએસટી આરઈજી-32 ભરીને સરળતાથી સામાન્ય જીએસટી રજીસ્ટ્રેશન કેટેગરીમાં ટ્રાન્સફર થઈ શકે છે.

અધિકૃત મર્યાદા અને ધ્યાન રાખવા જેવી બાબતો

આ મર્યાદા ‘ટર્નઓવર’ પર નથી પરંતુ ‘માસિક બી ટુ બી આઉટપુટ ટેક્સ એટલે કે CGST + SGST + IGST પર છે. આ સુવિધાનો લાભ લેવા માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે. જો મર્યાદા વધ્યા પછી આરઈજી-32 ફોર્મ ન ભરવામાં આવે, તો જીએસટી પોર્ટલ પર આગળના રિટર્ન-જીએસટીઆર-1  ફાઇલ કરવામાં અવરોધ આવી શકે છે.

Read Previous

વર્ષ 2026માં 88 ટકા વ્યક્તિગત ટ્રેડર્સે 91,685 કરોડ ગુમાવ્યા; ઓપ્શન્સના કારણે 92 ટકા નુકસાન કર્યું

Read Next

GST વિભાગની ધરપકડની સત્તા પર બ્રેક: હવે ધરપકડ પહેલાં કલમ ૬૯નો ઓર્ડર મોકલવો ફરજિયાત

Most Popular