• 28 March, 2026 - 8:11 AM

ઇફકોએ સ્વદેશી નેનો એનપીકે-NPK ખાતર તૈયાર કરી બજારમાં મૂક્યા

નેનો એનપીકે પોષક તત્ત્વોના ઉપયોગથી છોડની કાર્યક્ષમતા વધારવાથી ખેડૂતોના ઇનપુટ ખર્ચમાં ઘટાડો થઈ શકતી હોવાથી ખેડૂતોને આર્થિક લાભ મળશે.

અમદાવાદઃ ભારત સરકાર સ્થિર અને ટકાઉ કૃષિને મજબૂત બનાવવા સતત પ્રયાસ કરી રહી છે. તેના ભાગરૂપે જ એક  મહત્વપૂર્ણ પગલું લઈને તરીકે, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ (IFFCO)એ સ્વદેશમાં વિકસાવવામાં આવેલા નેનો એનપીકે-NPK-નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ ખાતરની નવી શ્રેણી રજૂ કરી દીધી છે. ઇફકો આ અગાઉ નેનો યુરિયા બજારમાં મૂકી ચૂકી છે.

વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની સહકારી સંસ્થાઓમાંની એક તરીકે ઇફકોખેતીમાં નવીનતા લાવવા માટે સતત મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એનપીકે લોન્ચ કરવાનો જેનો હેતુ પણ પાકનું ઉત્પાદન વધારવાનો અને પર્યાવરણ પરનો રાસાયણિક ખાતરનો પ્રભાવ ઘટાડવાનો છે.

આ નેનો ખાતરની શરૂઆત ભારતની આત્મનિર્ભરતા તરફની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે અને વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ દર્શાવે છે.

નવા રજૂ કરાયેલા નેનો એનપીકી લિક્વિડના ઉત્પાદનોમાં (8-8-10નો રેશિયો) અને નેનો એનપીકે ગ્રેન્યુઅલ્સમાં (20-10-10 રેશિયો)નો સમાવેશ થાય છે. નેનો એનપીકેને ફર્ટિલાઈઝર કંટ્રોલ ઓર્ડર  હેઠળ મંજૂરી મળી ગઈ છે. આ ઇફકોની એક મહત્વપૂર્ણ નિયમનકારી સિદ્ધિ છે. આ ફોર્મ્યુલેશન્સને વૈશ્વિક સ્તરે પ્રથમ ગણવામાં આવી રહ્યા છે. આમ ખાતર ઉત્પાદનના ક્ષેત્રમાં ભારતની વધી રહેલી વગની અગ્રતાને દર્શાવે છે.

પાંદડા પર છંટકાવ-ફોલિયર અને જમીનમાં મૂળ પાસે છંટકાવ કરવા માટે બેસલ ણ બંને રીતે નેનો એનપીકે ઉપયોગમાં લઈ શકાશે. આ ઉત્પાદનો પાકના વિવિધ વૃદ્ધિ તબક્કામાં સંતુલિત અને અસરકારક પોષક તત્ત્વો પૂરા પાડે છે. આમ નેનો એનપીકેનો બેવડો ઉપયોગ કરવાની ક્ષમતા ખેડૂતોને ખાતરનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવા સક્ષમ બનાવી રહ્યો છે.

નેનો  એપીકે છોડના મૂળની પોષક તત્ત્વોની શોષણ કરવાની ક્ષમતામાં સુધારો અને વધારો કરે છે. તેનાથી પાકની તંદુરસ્ત વૃદ્ધિને પ્રોત્સાહન મળે છે. આ આધુનિક ફોર્મ્યુલેશન્સ કૃષિ કાર્યક્ષમતા વધારવા સાથે જમીનની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થવાની શક્યતા છે.

ઉપરાં  નેનો NPK ખાતરની શરૂઆત પરંપરાગત રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે. આ રાસાયણિક ખાતરો સામાન્ય રીતે વધુ સંસાધનોનો ઉપયોગ કરવાની ફરજ પાડે છે. તેમ જ પર્યાવરણને નુકસાન પણ પહોંચાડે છે. નેનો એનપીકે પોષક તત્ત્વોના ઉપયોગથી છોડની કાર્યક્ષમતા વધારવાથી ખેડૂતોના ઇનપુટ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. તેના કારણે તેમને વધુ આર્થિક લાભ મળશે. તેની સાથે જ આ પહેલ ભારતને ખાતર આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ કરશે, જે વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે કૃષિ સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. કુલ મળીને, IFFCOની આ નવી પહેલ દેશ માટે વધુ મજબૂત, ખર્ચ અસરકારક અને પર્યાવરણને અનુકૂળ ખેતી પ્રણાલી બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

Read Previous

ચાર મહિના સુધી પેટ્રોલ-ડિઝલ કે રાંધણગેસની અછતની જરાય ચિંતા કરશો નહિઃ ભારત સરકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular