• 22 March, 2026 - 6:10 PM

પશ્ચિમ એશિયાના યુદ્ધનો ભારતીય અર્થતંત્ર પર શું પ્રભાવ પડી રહ્યો છે?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ફરીથી અસ્થિરતા આવી છે અને તેનો સીધો પ્રભાવ ભારત પર પણ પડી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલા કર્યા બાદ યુદ્ધ વકર્યું છે. આજે ઇરાને હિન્દ મહાસાગરમાંની અમેરિકા અને બ્રિટનની છાવણીઓ પર મિસાઈલ હુમલો કર્યો છે. બીજું, આ અગાઉ જ ઇરાને વિશ્વ વેપારમાં માલની હેરફેર માટેના સૌથી મહત્વના માર્ગમાંના એક હોર્મુઝની ખાડી બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. હોર્મુઝની ખાડીના વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ તેલ પુરવઠો પસાર થાય છે. તેમ જ વિશ્વના એલએનજી-લિક્વિડ નેચરલ ગેસના કુલ પુરવઠામાંથી એક તૃતીયાંશ LNG ગેસનો પુરવઠો લઈને જતાં જહાજો પસાર થાય છે

પરિણામે વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે. રાતા સમુદ્ર-રેડ સી અને સુએઝ કેનાલ માર્ગ પહેલાથી જ પ્રભાવિત થયેલા છે. વૈશ્વિક ટ્રેડ અને સપ્લાય ચેઇનમાં અવરોધ આવી રહ્યા છે. પરિણામે બજાર ભાવમાં ભારે ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. ભારત સરકાર માટે માટે મોટો પડકાર ઊભો થઈ ગયો છે.

ભારત આજની તારીખે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ભારત તેની ક્રૂડ તેલની જરૂરિયાતના લગભગ 85 ટકા ક્રૂડ તેલની આયાત કરે છે. યુદ્ધને કારણે તેલના ભાવમાં ભારે વધારો થઈ ગયો છે. ક્રૂડ તેલના પુરવઠો ખોરવાઈ રહ્યો છે. તેની આર્થિક અસર ભારત સહિત વિશ્વના ઘણાં દેશો પર પડી રહી છે. ભારતમાં મોંઘવારી વધી રહી છે. ભારતમાં જુદી જુદી વસ્તુઓના સરેરાશ ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. ક્રૂડ તેલ મોંઘું થતાં માલની હેરફેર કરવાનો ખર્ચ વધે છે. ક્રૂડ તેલનો ભાવ બેરલદીઠ 69 ડૉલરથી વધીને 119.5 ડૉલરથી આગળ નીકળી ગયો છે. તેથી તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ જાય છે.

પરિણામે અમેરિકી ડૉલરની ડિમાન્ડ વધી ગઈ છે. ડૉલરની રૂપિયાના મૂલ્ય પર અસર પડતાં રૂ. 93.50થી પણ નીચે ઉતરી ગયો છે.  સોનાના ભાવમાં પણ લગભગ 20 ટકાનો વધારો થઈ ગયો છે. દસ ગ્રામ સોનાનો ભાવ રૂ. 1.58 લાખ વટાવી ગયો છે. પરિણામે લોકો વધુ સલામત રોકાણ તરફ વળ્યા છે. શેરબજાર પણ ગગડી જતાં લોકોના ઇન્વેસ્ટમેન્ટ મૂલ્યમાં રૂ.13થી 20 લાખ કરોડનું ગાબડું પડી ચૂક્યું છે. Nifty 50માં લગભગ 8 ટકાનો ઘટાડો થઈ ગયો છે.

વેપાર અને નિકાસ પર અસર

નિકાસના અને આયાતને શિપમેન્ટમાં મોડું વિલંબ થઈ રહ્યો છે. બીજીતરફ નૂરદર-ફ્રેઇટ અને ઇન્શ્યોરન્સ ખર્ચ વધી ગયો છે. ત્રણ, યુરોપના દેશો અને અમેરિકા માટે માલ મોકલવામાં વધુ સમય લાગવા માંડતા પણ ખર્ચ વધી ગયો છે. કૃષિ ક્ષેત્ર સામે પણ જોખમ વધી ગયું છે. કારણ કે ખાતર અને યુરિયા સપ્લાય પર અસર પડી રહી છે. ભારત દેશની રાસાયણિક ખાતરની કુલ જરૂરિયાતના લગભગ 30 ટકા ખાતરની આયાત કરે છે. ખારીફ સીઝનમાં થતી ઉપજ દેશની કુલ ઉપજના 55 ટકા જેટલી છે. તેના પર પણ વિપરીત અસર થઈ શકે છે.

ભારતમાં ગેસનું સંકટ વધી રહ્યું છે. ઉદ્યોગોને આપવામાં આવતો સીએનજીનો સપ્લાય મર્યાદિત કરવામાં આવ્યો છે. રાંધણગેસના બાટલાનો સપ્લાય ખોરવાઈ જતાં આમજનતાની હાલાકી વધી ગઈ છે. કારણ કે LNG સપ્લાયમાં ખોરવાઈ ગયો છે. રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.60નો વધારો આવી ગયો છે. તેને માટે સરકારે આવશ્યક ચીજવસ્તુ ધારો લાગુ કરી દીધો છે.

જોકે સરકારે ઘરેલુ વપરાશની ચીજવસ્તુઓને પ્રાથમિકતા આપી હોવાથી હજી તેના ભાવમાં ભડકો થયો નથી. અત્યારે ભારત પાસે લગભગ 25 દિવસનો ક્રૂડ તેલ સ્ટોક મોજૂદ છે. રશિયાથી વધુ તેલ ખરીદી કરવાની શરૂ કરી દીધી છે. સપ્લાય ચેઇન મોનીટર કરવા ખાસ ટીમની રચના કરી દેવામાં આવી છે.

અમેરિકા-ઇઝરાયેલે સાથે મળીને ઇરાન પર કરેલા આક્રમણને કારણે છેડાયેલા યુદ્ધને કારણે ક્રૂડ તેલ અને ગેસ મોંઘા થયા છે. ભારતીય રૂપિયા કમજોર થયો છે. મોંઘવારી વધવાની શક્યતા વધી ગઈ છે. વેપાર અને કૃષિ પર અસર પડી રહી છે. હવે યુદ્ધ જો લાંબું ચાલશે તો ભારત અને વિશ્વ બંને માટે મોટી આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

Read Previous

ભારતીય IT ક્ષેત્રમાં નવા સ્નાતક ને અનુસ્નાતકની ભરતીમાં ઘટાડો, મંદી નહીં, પણ મોટા પરિવર્તનનો  સંકેત

Read Next

અમેરિકન ડોલરની મજબૂતી ને મોંઘવારીની ચિંતાથી ભારતમાં સોનાનો ભાવ ગગડીને રૂ.1.27 લાખ સુધી આવી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular