• 19 February, 2026 - 12:15 AM

ઇલેક્ટ્રિક વાહનો પર લેવાતા ઉચ્ચક વેરામાં ૫ ટકાની રાહત એક વર્ષ લંબાવી

ગુજરાતમાં જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવીઃન્દ્ર સરકારની માફક જ સાત દિવસમાં જીએસટીનું ૯૦ ટકા રકમનું  રિફંડ આપી દેવાની સુવિધા આપવામાં આવી    

અમદાવાદ: ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો પર લેવામાં આવતા ૬ ટકાના વેરા પર ગયા વર્ષના બજેટમાં આપવામાં આવેલી પાંચ ટકાની રાહતને ૨૦૨૬-૨૭ના  વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. આગામી ૩૧મી માર્ચ ૨૦૨૭ સુધી ઇલેક્ટ્રિક વેહેકલ ખરીદનારાઓએ છ ટકાને બદલે માત્ર એક જ ટકો ઉચ્ચક વેરો જમા કરાવવો પડશે.  ગુજરાત સરકારના આ નિર્ણયને પરિણામે પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટશે અને જનતાને એટલે કે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદનારાઓને અંદાજે રૃા. ૨૧૦ કરોડની રાહત મળશે.

આજ રીતે આજે બજેટના માધ્યમથી જીએસટી અંગે વધુ એક નિર્ણય લઈને સરકારે ગુજરાતના આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ, તેમ જ પાટણ ખાતે જીએસટી રજિસ્ટ્રેશન માટેના બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો છે. અત્યારે જામનગરમાં જીેએસટી રજિસ્ટ્રેશન માટે અરજી કરનારા વેપારીઓએ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરાવવા માટે જૂનાગઢ આવવું પડતું હતું. અમદાવાદની નજીકના જિલ્લાના અરજદારોએ અમદાવાદ આવવું પડતું હતું. આ સ્થિતિ હવે બદલાઈ જશે. ૨૬મી જાન્યુઆરીથી જામનગર ખાતે અઠવાડિયામાં બે દિવસ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સુવિધા ઊભી કરવામાં આવશે. આ જ લાઈન પર અન્ય વિસ્તારોમાં પણ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વ્યવસ્તા ઊબી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે જીએસટી કાઉન્સિલના માધ્યમથી કરેલા સુધારાઓને ગુજરાતના વેપારીઓને પણ લાભ આપવાનો નિર્ણય આજે બજેટના માધ્યમથી કરવામાં આવ્યો છે. વેપારીઓની કેપિટલ બ્લોક ન થાય તે માટે વેપારીઓના નાણાંકીય અને વેપારને લગતા વહેવારોને ધ્યાનમાં રાખીને માસિક રુ. ૨.૫ લાખ સુધીની વેરા શાખ લેવાની નીકળતી હોય તો તેવા સંજોગોમાં તેમને વેરાશાખ-ઇનપુટ ટેક્સ ક્રેડિટની ૯૦ ટકા રકમ પ્રોવિઝનલ રિફંડ તરીકે આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસિક રૃા. ૨.૫ લાખ સુધીની વેરાશાખ મેળવનારા વેપારીઓને જીએસટી રજિસ્ટ્રેશન પણ અરજી કર્યાના ત્રણ જ દિવસમાં આવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આ જ યોજના હેઠળ ત્રણ માસમાં બાવન હજાર વેપારીઓએ ઝડપથી રજિસ્ટ્રેશન મેળવી લીધા છે. ગુજરાતમાં જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓની સંખ્યા વધીને ૧૩.૬૯ લાખ થઈ ગઈ છે.

 

Read Previous

કિસાન ક્રેડિટ કાર્ડ પર શૂન્ય ટકા વ્યાજે નાણાં આપવા રૃા. ૧૫૩૯ કરોડની  ફાળવણી

Read Next

નાણાં મંત્રીએ નવા વેરાના બોજ વિનાનું રૃા. ૪,૦૮૦૫૩ કરોડનું બજેટ રજૂ કર્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular