ભારતીય સહકારી ઉત્પાદનો માટે નવા આંતરરાષ્ટ્રીય બજારો ખુલ્યા; NCELના માધ્યમથી નિકાસમાં તેજી

- 54 પ્રકારના સહકારી ઉત્પાદનોનેNCELએ 29 દેશોમાં નિકાસ કરીને કુલ નિકાસને રૂ. 5,731 કરોડ સુધી પહોંચાડી દીધી, ખેડૂતોની આવકમાં થઈ રહેલો વધારો
ભારતનો સહકારી આંદોલન હવે વૈશ્વિક સ્તરે એક મજબૂત શક્તિ તરીકે ઉભરી રહ્યો છે, જેમાં વિશ્વાસ, સંયુક્ત શક્તિ અને સહભાગી આર્થિક વિકાસ મુખ્ય આધાર છે. આ દિશામાં National Cooperative Exports Limited (NCEL) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ સહકારી ઉત્પાદનોને સ્થાનિક બજારથી બહાર લઈ જઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરી રહ્યું છે.
હાલમાં NCEL 54 પ્રકારના સહકારી ઉત્પાદનોને 29 દેશોમાં નિકાસ કરે છે અને કુલ નિકાસ મૂલ્ય ₹5,731 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સિદ્ધિ સહકારી સંસ્થાઓને વૈશ્વિક વેપાર સાથે જોડીને મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવાની છે. તેનાથી ખેડૂત આવક વધારવા અને નવા આર્થિક અવસર સર્જવામાં મદદ મળે છે.
આ પ્રગતિને વધુ મજબૂત બનાવવા માટે NCELએ નવા આંતરરાષ્ટ્રીય બજારો વિકસાવ્યા છે અને વિવિધ દેશો સાથે વેપારી સંબંધો સ્થાપ્યા છે. સંસ્થાએ વિદેશી એજન્સીઓ, એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ્સ અને સહકારી સંગઠનો સાથે MoU દ્વારા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારીનો હેતુ વેપાર પ્રક્રિયાઓ સરળ બનાવવાનો, ગુણવત્તા ધોરણો જાળવવાનો અને લાંબા ગાળાના નિકાસ સંબંધોને મજબૂત કરવાનો છે.
NCELએ ફળ-શાકભાજી, અનાજ અને મસાલા જેવા મુખ્ય ઉત્પાદનો માટે અલગ વિભાગો (verticals) બનાવીને સંચાલન વધુ સુવ્યવસ્થિત બનાવ્યું છે. આ અભિગમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટને સુધારે છે અને આંતરરાષ્ટ્રીય માંગ મુજબ માર્કેટિંગ સુનિશ્ચિત કરે છે.
આ સંસ્થાની એક ખાસ પહેલ તરીકે ખેડૂતો માટે મલ્ટી-લિંગ્વલ-બુહભાષિય AI-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને નિકાસ પ્રક્રિયા, ગુણવત્તાના માપદંડ, પેકેજિંગના ધોરણો અને વૈશ્વિક બજાર ટ્રેન્ડ્સ વિશે જાણકારી આપે છે. આથી ખેડૂતો માત્ર ઉત્પાદક નહીં પરંતુ નિકાસ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બની રહ્યા છે.
પરંપરાગત કૃષિ ઉત્પાદનો ઉપરાંત NCEL હવે એક્વાકલ્ચર ક્ષેત્રમાં પણ પ્રવેશી રહ્યું છે, જેમાં ઝીંગા (shrimp) અને અન્ય જલજીવ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી રહી છે. આ વિવિધતા ઊંચી કિંમતવાળા નિકાસ અવસર ઉભા કરે છે. NCEL આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-એક્ઝિબિશન અને ખરીદનાર તથા વેચનાર વચ્ચે બેઠકો કે મિટિંગ કરાવીને ભારતીય સહકારી ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. તેનાથી આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધી જોડાણ બને છે.
આ તમામ પ્રયાસો “સહકારથી સમૃદ્ધિ”ના દ્રષ્ટિકોણને મજબૂત બનાવે છે અને વૈશ્વિકીકરણના ફાયદા ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડે છે.



