• 11 March, 2026 - 6:17 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટની પૂર્વમંજૂરી વિના આંતરરાષ્ટ્રીય કરારો કરી શકશે

કેબિનેટ સચિવાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી દીધી નથી. આ માર્ગદર્શિકા પ્રધાનમંત્રી અથવા વિદેશી નેતાઓની મુલાકાત દરમિયાન થતા કરારોને માટે લાગુ કરવામાં આવશે.

હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના દેશો સાથે નાના નાના મુદ્દાઓ અંગે ઝડપથી કરાર કરી શકે તે માટે કેબિનેટની પૂર્વ મંજૂરી મેળવવાની હવે જરૂર રહેશે નહિ. માત્ર કેટલાક કરારો માટે પૂર્વ કેબિનેટ મંજૂરી જરૂરી રહેશે નહિ. આ અંગે કેબિનેટ સચિવાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી દીધી નથી. આ માર્ગદર્શિકા પ્રધાનમંત્રી અથવા વિદેશી નેતાઓની મુલાકાત દરમિયાન થતા કરારોને માટે લાગુ કરવામાં આવશે.

કેબિનેટ સચિવાલયે બહાર પાડેલી નવી માર્ગદર્શિકામાં સમાવી લેવામાં આવેલા દસ્તાવેજોમાં કરાર-Agreements, કન્વેન્શન-Conventions, પ્રોટોકોલ-Protocols, Memorandum of Understanding– સમજૂતી કરાર, સંયુક્ત ઘોષણા કરવાના ઇરાદાને લગતા કરારો-Joint Declaration of Intent, સરકારના ઇરાદા અંગેના સ્ટેટમેન્ટ-Statement of Intent અને સહકાર માટેની સમજૂતીઓ-Memorandum of Cooperationનો સમાવેશ થાય છે. આ બધા દસ્તાવેજો ભારત અને અન્ય દેશોની સરકાર વચ્ચે થાય છે.

જૂની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 1961ના ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસને લગતા ભારત સરકારના નિયમ મુજબ કોઈ પણ મંત્રાલય વિદેશી દેશ સાથે કરાર કરવા માંગે તો કેબિનેટ નોંધ તૈયાર કરવી પડતી.હતી. મોટાભાગના કેસમાં કરાર કરતા પહેલા યુનિયન કેબિનેટની મંજૂરી લેવી જરૂરી હતી. આ પ્રક્રિયા દ્વારા તમામ મંત્રીઓ સામૂહિક જવાબદારી સાથે નિર્ણય લેતા હતા. આ સિસ્ટમ ભારતની સંસદીય લોકશાહી વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે.

હવે આ સંસદીય પ્રણાલીને ચાતરી જવામાં આવી રહી છે. નવી માર્ગદર્શિકા મુજબ કેબિનેટની પૂર્વ મંજૂરી વગર નીચેના કરારો કરી શકાશે. જો તેમાં તેમાં મોટો નાણાકીય ખર્ચ અથવા બાધ્યતા ન હોય, તેમાં રાષ્ટ્રીય સુરક્ષા અથવા વ્યૂહાત્મક મુદ્દાઓ ન હોય, તેને વિદેશ મંત્રાલયની લીગલ અને ટ્રીટી ડિવિઝન દ્વારા ચકાસવામાં આવ્યો હોય તેવા કરારો માટે કેબિનેટની પૂર્વમંજૂરી લેવાની જરૂર ઊભી થશે નહિ. વિદેશ મંત્રાલય દર છ મહિને આ પ્રકારના તમામ કરારોની યાદી કેબિનેટને મોકલવાની રહેશે.

સરકારે કરેલા પ્રસ્તુત ફેરફાર પાછળના મુખ્ય કારણોમાં ઊંડા ઉતરીએ તો સરકાર ડિપ્લોમસી એટલે કે રાજદ્વારી નિર્ણયો ઝડપથી લઈ શકશે. તેમાં અમલદારોને કારણે વિલંબ થશે નહિ. વિદેશી પ્રવાસો દરમિયાન તત્કાળ કરાર કરવાની સગવડ પ્રધાનમંત્રીને મળી રહેશે. ઘણા MoU અને ઘોષણાઓ રાજકીય મુલાકાતો દરમિયાન જ ફાઈનલ કરવામાં આવે છે, તેને માટે ઝડપી નિર્ણય લેવા જરૂરી બને છે.

પ્રધાનમંત્રીને વધુ પડતી સત્તા અપાયાનો મત

નીતિ નિષ્ણાતોએ કેબિનેટની પૂર્વમંજૂરી વિના કરારો કરવાની પ્રધાનમંત્રીને સત્તા આપવાના નિર્ણયને કારણે પ્રધાનમંત્રી તેમના કાર્યાલયની ઇચ્છા મુજબના કરારો કરતાં થઈ જશે. આ બાબત ચિંતાજનક છે. તેનાથી સત્તાનું કેન્દ્રિકરણ થશે. વિદેશ નીતિ પર માત્ર પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) નો પ્રભાવ વધશે. આ પ્રકારના નિર્ણયો લેવા માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કેબિનેટ આ પ્રકારના કરારો કરવા માટે સંસદને જવાબ આપવા બંધાયેલી છે. કેબિનેટની મંજૂરી વગર કરારો થાય તો સંસદની જવાબદારીનો છેદ ઊડી શકે છે. કરારોમાં પારદર્શકતા ઘટી જશે. તેમ જ કેટલાક કરારો પર પૂરતી ચર્ચાવિચારણાં અને સમીક્ષા થશે જ નહીં.

જોકે નવી વ્યવસ્થામાં પણ  હોવા છતાં પણ રાષ્ટ્રીય સુરક્ષા, રક્ષા અથવા મોટા નાણાકીય કરારો માટે હજુ પણ કેબિનેટ અથવા Cabinet Committee on Security (CCS) ની મંજૂરી લેવાની જરૂરી જ રહેશે. અર્થાત આ ફેરફાર મુખ્યત્વે નાના અને બંધનાત્મક ન બને તેવા કરારો માટે છે.

ભારત પર સંભવિત પોઝિટીવ અને નેગેટીવ અસર

એક, તેનાથી રાજદ્વારી કરારો કરવાની કામગીરી વધુ ઝડપથી થઈ શકશે. બે, વિદેશી મુલાકાતો દરમિયાન જ એટલે કે તત્કાળ કરાર થઈ શકશે. ત્રણ, અધિકારીઓને ફાઈલ બતાવવાની અને જુદાં જુદાં વિભાગોની મંજૂરી લેવાની પ્રક્રિયાને કારણે થતો વિલંબ ઘટશે. ચાર, વિદેશમાં કરાર કરવા અંગેના નિર્ણયની પ્રક્રિયામાં મંત્રીઓની ભૂમિકા ઘટી શકે છે. પાંચ, વિદેશ નીતિમાં સત્તાનું કેન્દ્રિકરણ વધી શકે છે. છ, સંસદીય દેખરેખ ઘટવાની શક્યતા છે. સાત, પ્રધાનમંત્રીના કાર્યાલયની સત્તા વધી જશે. પ્રધાનમંત્રી પાસે સત્તાનું કેન્દ્રિકરણ થશે. આઠ, માત્ર છ મહિને એકવાર કેબિનેટને છ મહિનાના ગાળા દરમિયાન થયેલા કરારોની વિગતો આપવાની આવશે.

જૂની વ્યવસ્થા શું હતી

ભારતમાં વિદેશ નીતિ અને કરારો કરવાની સત્તા મુખ્યત્વે કેન્દ્ર સરકાર-Union Government પાસે જ હતી. આ સત્તા મુખ્યત્વે ભારતના બંધારણના નીચેના આર્ટિકલ્સના માધ્યમથી કેન્દ્ર સરકારને મળેલી છે. એક, Article 73 – Executive Power of the Union મુજબ કેન્દ્ર સરકારની કાર્યકારી સત્તા (Executive Power) સમગ્ર ભારત પર લાગુ પડે છે. તેમાં વિદેશ નીતિ અને વિદેશી દેશો સાથે કરારો કરવાનું અધિકાર પણ સમાવેશ થાય છે. Article 253 – International Treaties Implementation હેઠળ જો ભારત કોઈ આંતરરાષ્ટ્રીય કરાર અથવા કન્વેન્શન કરે તો તેને અમલમાં લાવવા માટે સંસદ કાયદો બનાવી શકે છે, ભલે તે વિષય સામાન્ય રીતે રાજ્ય સરકારના ક્ષેત્રમાં આવતો હોય તો પણ કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો પર્યાવરણ સામાન્ય રીતે રાજ્ય યાદીમાં આવે છે. રાજ્ય સરકારોએ જ તે બાબતે નિર્ણય લેવામાં આવે છે. પરંતુ જો ભારત કોઈ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કરાર કરે તો તેવા સંજોગોમાં દેશની સંસદ દેશભરમાં લાગુ કરવા માટેનો કાયદો બનાવી શકે છે.

Article 51 – International Peace and Treaties-આર્ટિકલ 51માં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સંધીઓનો સમાવેશ થાય છે. આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ હેઠળની જોગવાઈમાં આવે છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં જણાવ્યા મુજબ તેનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રોત્સાહિત કરવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદાનો સન્માન આપવા માટે, આંતરરાષ્ટ્રીય કરારોનું પાલન કરવા માટે આ જોગવાઈ કરવામાં આવેલી છે.

ભારતમાં કરાર કરવાની વાસ્તવિક પ્રક્રિયા

એક, કોઈ મંત્રાલય અથવા વિદેશ મંત્રાલય (MEA) કરારનો પ્રસ્તાવ તૈયાર કરે છે. બે, આ પ્રસ્તાવની અન્ય સંબંધિત મંત્રાલયો સાથે ચર્ચા કરવામાં આવે છે. ત્રણ, ઘણા કેસમાં યુનિયન કેબિનેટ મંજૂરી આપે છે. ચાર, ભારતના પ્રતિનિધિ (મોટેભાગે પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી અથવા અધિકારી) કરાર પર સહી કરે છે. પાંચ, કાયદાની જરૂર હોય તો સંસદ કાયદો પસાર પણ કરે છે.

કઈ બાબતમાં સંસદની મંજૂરી ફરજિયાત નથી

લોકોને લાગે છે કે દરેક આંતરરાષ્ટ્રીય કરાર માટે સંસદ મંજૂરી આપવી જ પડે છે. પરંતુ ભારતમાં સંવિધાનમાં treaty ratification માટે સંસદની ફરજિયાત મંજૂરીની જોગવાઈ નથી. આ બાબત ભારતને ઘણા પશ્ચિમ દેશોથી અલગ બનાવે છે.

અમેરિકા અને ભારત વચ્ચેનો ફરક

ભારતમાં કરાર મુખ્યત્વે સરકાર અમલમાં મૂકે છે. કાયદો બદલવો ન પડે તો સંસદની મંજૂરીની જરૂરી નથી. અમેરિકામાં કરાર માટે Senate approval જરૂરી છે. આ મંજૂરી બે-તૃતિયાંશ મતથી મેળવવી ફરજિયાત છે. આમ ભારતમાં સરકારને વધારે સ્વતંત્રતા મળે છે.

નવા નિયમ અંગે વિવાદ કેમ થયો

નવી માર્ગદર્શિકા મુજબ નાના MoU અને ઘોષણાઓ માટે કેબિનેટની પૂર્વ મંજૂરી લેવાની જરૂર રહેશે નહિ. તેથી આ સત્તા આપવાના નિર્ણયનો વિરોધ કરનારાઓ કહે છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા વધુ PMO કેન્દ્રિત બની શકે છે. કેબિનેટની સામૂહિક જવાબદારી ઘટી શકે છે. તેમાં પારદર્શકતા ઓછી થઈ શકે છે. તેની સામે સરકારનું કહેવું છે કે નવા ફેરફારો માત્ર નાના અને બંધનાત્મક ન બને તેવા કરારો માટે જ છે.

Read Previous

રોજિંદા UPI પેમેન્ટને સાચા રિવોર્ડમાં કેવી રીતે ફેરવી શકશો

Read Next

રિલાયન્સ અમેરિકામાં 300 અબજ ડૉલરનું રોકાણ કરીને રિફાઈનરી નાખશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular