• 13 February, 2026 - 2:02 PM

કેન્સરની  17 જીવનરક્ષક દવાઓના ભાવ ઘટાડવા NPPAનો આદેશ

NPPAનો આદેશ કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડા પછી દવાના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ દરદીઓ સુધી પહોંચાડવાનો નેશનલ પ્રાઇસિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સૂચના આપી

તમામ કંપનીઓએ સુધારેલો ભાવ Form-V દ્વારા સબમિટ કરી ડીલરો, રાજ્ય ડ્રગ કંટ્રોલર અને સરકારને નવી ભાવયાદી આપવી પડશે

અમદાવાદઃ National Pharmaceutical Pricing Authority (NPPA) એ Union Budget 2026–27માં કસ્ટમ ડ્યૂટી (BCD)માંથી મુક્ત કરાયેલી 17 જીવનરક્ષક દવાઓના ઉત્પાદકો અને માર્કેટિંગ કંપનીઓને તેમનો MRP ઘટાડીને તરત Authorityને જાણ કરવા જણાવ્યું છે.

આ પગલું Ministry of Finance, Government of Indiaની સૂચનાને અનુરૂપ છે, જેમાં કેન્સરના દર્દીઓ માટે વધુ 17 દવાઓને Basic Customs Dutyમાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે કુલ 129 દવાઓ BCDમાંથી મુક્ત થઈ ગઈ છે. પહેલી ફેબ્રુઆરી 2026ના બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે 17 દવાઓ પર કસ્ટમ ડ્યૂટી શૂન્ય કરવામાં આવે છે.

Drugs Prices Control Order (DPCO), 2013 મુજબ MRPમાં તમામ કર અને ડ્યૂટીનો સમાવેશ થઈ જ જાય છે. તેથી ડ્યૂટી ઘટે અથવા દૂર થાય, તો તેનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો ફરજિયાત છે. NPPAએ સ્પષ્ટ કહ્યું છે કે તમામ કંપનીઓએ સુધારેલો ભાવ Form-V દ્વારા સબમિટ કરી ડીલરો, રાજ્ય ડ્રગ કંટ્રોલર અને સરકારને નવા ભાવની વિગતો સાથેની યાદી આપવી પડશે.

આ યાદીમાં સામેલ કેટલીક મહત્વની કેન્સર દવાઓ વિવિધ વૈશ્વિક કંપનીઓ દ્વારા વેચવામાં આવે છે. આ કંપનીઓમાં Novartis, Eli Lilly, AstraZeneca, AbbVie, Takeda Pharmaceuticals, Bayer, Dr Reddy’s Laboratories, Intas Pharmaceuticals, Glenmark Pharmaceuticals, Pfizer અને Bristol Myers Squibbનો સમાવેશ થાય છે.

CAR-T જેવી અદ્યતન થેરાપી ભારતમાં વિકસાવવામાં આવી છે. આ કંપની Indian Institute of Technology Bombay સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલી છે. ઉદ્યોગજગત આ નિર્ણયને દર્દીઓ માટે રાહતરૂપ ગણાવે છે, ત્યારે દવા ઉપલબ્ધતા માટે કાર્યરત સંગઠન Working Group on Access to Medicines and Treatmentsનું કહેવું છે કે માત્ર BCD છૂટ પૂરતી નથી. પેટન્ટેડ મોંઘી દવાઓ સસ્તી કરવા માટે compulsory licensing જેવા કાનૂની વિકલ્પો પણ ઉપયોગમાં લેવાં જોઈએ. કંપનીઓ દવાના ભાવ ન ઘટાડતી હોવાનું જણાય તો દરદીઓ તે અંગે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલર જનરલને ફરિયાદ કરી શકે છે. તેમ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી ઓનલાઈન ફરિયાદ પહોંચાડી શકે છે. દવાના નવા ઘટાડેલા ભાવ પહેલી એપ્રિલ 2026થી અમલમાં આવશે તે હકીકતને ધ્યાનમાં લેવી પણ એટલી જ જરૂરી  છે.

 

 

Read Previous

ક્લિનિકલ ટ્રાયલ્સ એક્ટમાં દરદીઓના હિતનું પૂરતું રક્ષણ થાય છે ખરુ?

Read Next

વૈશ્વિક ટેન્ડરથી મુક્ત 354 મેડિકલ ડિવાઇસની નવી યાદી પર DoPએ સ્ટેકહોલ્ડર્સ પાસે સૂચનો મંગાવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular