• 23 February, 2026 - 3:55 AM

સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી ટસના મસ ન થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ 15 ટકા સુધી વધારી દીધા

Donald Trump એ અમેરિકાની Supreme Court of the United States ના ચુકાદા બાદ ટેરિફ દરમાં ફેરફાર કરીને 10 ટકાના કામચલાઉ-અસ્થાયી  ટેરિફને વધારી 15 ટકા વર્લ્ડ-વાઇડ ટેરિફ લાગુ કરી દેવાની જાહેરાત કરી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટએ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ગેરકાયદેસર ટેરિફને રદ કર્યા બાદ ભારત-અમેરિકા વચગાળાના વેપાર કરાર હેઠળ ભારતીય માલ પર લાગુ 18 ટકાના પરસ્પર ટેરિફ અમાન્ય બની ગયા હતા. તેના સ્થાને હવે 15 ટકાનો વૈશ્વિક ટેરિફ લાગુ રહેશે, એવી જાહેરાત ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કરી છે.

વાણિજ્ય વિભાગે નિવેદનમાં જણાવ્યું કે, “અમે અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાને નોંધ લીધો છે. પ્રમુખ ટ્રમ્પે પણ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી છે. અમેરિકન પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા પગલાંઓના અસર અંગે અમે અભ્યાસ કરી રહ્યા છીએ.”

ભારતીય નિકાસકારોમાં રાહત, પરંતુ અનિશ્ચિતતા યથાવત

ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા વધારાના ટેરિફને 15 ટકા સુધી ઘટાડવામાં આવતા ભારતીય નિકાસકારોમાં રાહતનો માહોલ છે. તેમ છતાં, ટ્રમ્પ પ્રશાસન આગળ શું પગલાં ભરે તે અંગેની અનિશ્ચિતતા ચિંતાનો વિષય છે.

નિકાસકારોના સંગઠન Federation of Indian Export Organisations (FIEO) ના પ્રતિનિધિ અજય સહાયએ જણાવ્યું કે, “ફેબ્રુઆરીમાં અમેરિકા તરફ નિકાસના આંકડા પોઝિટિવ-હકારાત્મક છે. હવે વધુ ઘટાડો નિકાસ માટે લાભદાયી રહેશે. પરંતુ ટ્રમ્પ ચુકાદા પર વાસ્તવમાં કેવી પ્રતિક્રિયા આપશે તે સ્પષ્ટ નથી.”

મજૂર આધારિત સેક્ટર પર અસર

કાપડ, ચામડું અને ઝીંગા (shrimp) જેવા મજૂર આધારિત ભારતીય ઉત્પાદનો પર 25 ટકાનો ટેરિફ લાગવાનો હતો, જે કરાર મુજબ 18 ટકા થવાનો હતો. હવે તે 15 ટકા રહેશે, જે અમેરિકાથી વેપાર કરતી અન્ય મોટાભાગની દેશો માટે સમાન છે.

પરંતુ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાગુ 50 ટકાનો Section 232 ટેરિફ યથાવત રહેશે, કારણ કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાની કાર્યક્ષેત્રમાં આવતો નથી.

ભારતની વાટાઘાટ શક્તિ મજબૂત

વેપાર નિષ્ણાતો માને છે કે આ ચુકાદા પછી ભારતની વાટાઘાટ શક્તિ મજબૂત બની છે. કૃષિ બજાર પ્રવેશ, ડિજિટલ ટ્રેડ નિયમો અને ચીન જેવી “નોન-માર્કેટ” અર્થવ્યવસ્થાઓ પ્રત્યે ભારતની નીતિ સ્વાયત્તતા જેવા મુદ્દાઓ સંવેદનશીલ છે. વેપાર નિષ્ણાત બિસ્વજીત ધરએ જણાવ્યું હતુ કે, “ભારત-અમેરિકા વેપાર કરારમાં અનેક સંવેદનશીલ મુદ્દાઓ હજી ઉકેલાયા નથી. અનાજ અને ડેરી માટે બજાર પ્રવેશ, ડિજિટલ ટ્રેડ, રશિયન તેલ પર ભારતની સ્થિતિ અને ચીન સાથેના સંબંધો જેવા મુદ્દાઓ પર ભારતે સાવચેતી રાખવી જોઈએ.”

GTRIના અજય શ્રીવાસ્તવએ કહ્યું કે, આ ચુકાદા બાદ ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ. ટ્રમ્પ અન્ય કલમો (Section 301, Section 232) હેઠળ ફરી ટેરિફ લાદી શકે છે, પરંતુ તે માટે નવી તપાસ અને જાહેર સમર્થન જરૂરી રહેશે. જોકે ધરે ઉમેર્યું કે હવે લાગુ થનારા ટેરિફ વ્યાપક નહીં પરંતુ પ્રોડક્ટ-વિશિષ્ટ હોઈ શકે.

 

Read Previous

સેન્સેક્સ-નિફ્ટી સોમથી શુક્રવાર દરમિયાન રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના

Read Next

F&Oનું પગેરું મેળવો: નિફ્ટી ફ્યુચર્સ અને નિફ્ટી બેંક ફ્યુચર્સમાં તેજી તરફી ઝોક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular