• 11 July, 2026 - 1:24 AM

ઇથિલ આલ્કોહોલ ધરાવતા ફોર્મ્યુલેશન માટે લાયસન્સિંગની જરૂરિયાતોમાંથી શેડ્યૂલ K હેઠળ મળેલી મુક્તિ  નાબૂદ

ત્રીસ મિલીથી વધુ માત્રામાં, ૧૨ ટકાથી વધુ ઇથિલ આલ્કોહોલ ધરાવતા ફોર્મ્યુલેશન હવે શેડ્યૂલ K હેઠળ આપવામાં આવેલી મુક્તિ હેઠળ આવરી લેવામાં આવશે નહીં

આ સુધારો આ ઉત્પાદનોને ડ્રગ્સ રૂલ્સના શેડ્યૂલ એચ-1માં પણ સ્થાનાંતરિત કરે છે, જે પ્રિસ્ક્રિપ્શનના આધારે વેચાણ ફરજિયાત કરે છે 

ઇથિલ આલ્કોહોલ ધરાવતા ફોર્મ્યુલેશન માટે લાયસન્સિંગની જરૂરિયાતોમાંથી શેડ્યૂલ K હેઠળ મળેલી મુક્તિ  નાબૂદ કરી છે. હવેથી આ ઉત્પાદનો માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાશે. વધુ આલ્કોહોલ ધરાવતી હર્બલ અને અન્ય દવાઓ (મેડિસિનલ પ્રોડક્ટ્સ)ના દુરુપયોગને રોકવાના પ્રયાસરૂપે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઇથિલ આલ્કોહોલ ધરાવતા ફોર્મ્યુલેશન માટે લાયસન્સિંગની જરૂરિયાતોમાંથી અગાઉ મળેલી મુક્તિ (શેડ્યૂલ K હેઠળ) નાબૂદ કરી છે. હવેથી આ ઉત્પાદનો માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાશે.

આરોગ્ય મંત્રાલયની એક નોંધમાં જણાવવામાં આવ્યું છે કે ૩૦ મિલીથી વધુ માત્રામાં, ૧૨ ટકાથી વધુ ઇથિલ આલ્કોહોલ ધરાવતા તમામ ફોર્મ્યુલેશન હવે શેડ્યૂલ K હેઠળ તેમને આપવામાં આવેલી મુક્તિ હેઠળ આવરી લેવામાં આવશે નહીં. પરિણામે, આવા ઉત્પાદનો માટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ હેઠળ જરૂરી લાયસન્સ મેળવવું પડશે. દવાઓ માટે પહેલેથી જ નિયમનકારી માળખું અમલમાં છે.

આ સુધારો આ ઉત્પાદનોને ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ ના શેડ્યૂલ એચ-1 માં પણ સ્થાનાંતરિત કરે છે, જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (ડૉક્ટર) ના પ્રિસ્ક્રિપ્શનના આધારે વેચાણ અને કડક રેકોર્ડ રાખવાનું ફરજિયાત બનાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “આ સુધારાથી આલ્કોહોલ ધરાવતી મેડિસિનલ પ્રોડક્ટ્સ પર નિયમનકારી દેખરેખ મજબૂત થવાની અપેક્ષા છે, જે નિયંત્રિત ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઈન દ્વારા જ તેમના સપ્લાયની ખાતરી કરશે. તે કાયદેસરના ઉપચારાત્મક ઉપયોગ (થેરાપ્યુટિક યુઝ) માટે તેમની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની સાથે અન્ય હેતુઓ માટેના ડાયવર્ઝન અને દુરુપયોગની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડશે.”

નિયમન પાછળનું કારણ સમજાવતાં મંત્રાલયે જણાવ્યું હતું કે, “ડ્રગ્સ રૂલ્સ, ૧૯૫ ના શેડ્યૂલ K હેઠળ એલચી, આદું ટિંકચર અને અન્ય સુગંધિત પ્રિપેરેશન્સ સહિતની ચોક્કસ મેડિસિનલ પ્રોડક્ટ્સને લાયસન્સિંગ જરૂરિયાતોમાંથી મુક્તિ આપવામાં આવી હતી. આમાંના કેટલાક ફોર્મ્યુલેશનમાં ઇથિલ આલ્કોહોલનું પ્રમાણ ઘણું વધારે હોય છે, અમુક કિસ્સાઓમાં ૮૦-૯૦ ટકા સુધી, જે તેમને નશા માટે દુરુપયોગ કરવા તરફ સંવેદનશીલ બનાવે છે. આ સંદર્ભમાં કેટલીક રાજ્ય સરકારો તરફથી રજૂઆતો પણ મળી હતી.”

આરોગ્ય મંત્રાલયના આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોથી લઈને દવા બનાવતી કંપનીઓ સુધી મોટી અસરો જોવા મળશે. ફાર્મા ઉદ્યોગ (Pharmaceutical Industry) પર આની કેવી અસરો પડશે તે એક સવાલ છે.

લાયસન્સ અને કાગળિયાંનું કામ વધશે 

અત્યાર સુધી જે કંપનીઓ આયુર્વેદિક ટિંકચર, આદુ-એલચીના અર્ક અથવા અમુક ચોક્કસ પ્રવાહી દવાઓ (જેમાં ૧૨% થી વધુ આલ્કોહોલ હોય) બનાવતી હતી, તેમને ‘શેડ્યૂલ K’ હેઠળ લાયસન્સમાંથી મુક્તિ હતી. હવે આ મુક્તિ ખતમ થઈ ગઈ છે. કંપનીઓએ ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦’ હેઠળ નવા મેન્યુફેક્ચરિંગ લાયસન્સ લેવા પડશે, જેનાથી તેમનું લીગલ અને કાગળિયાંનું કામ (Compliance) વધી જશે.

મેડિકલ સ્ટોર્સ માટે રેકોર્ડ રાખવો ફરજિયાત બનશે

આ દવાઓને હવે ‘Schedule H1’ માં મૂકવામાં આવી છે. એનો અર્થ એ કે મેડિકલ સ્ટોરવાળા આ દવાઓ ગ્રાહકને સીધી નહીં વેચી શકે. તેમણે ગ્રાહક પાસેથી ડૉક્ટરનું ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન (ચિઠ્ઠી) માંગવું પડશે. પોતાના રજિસ્ટરમાં કયા ડૉક્ટરે દવા લખી, કયા દર્દીએ ખરીદી અને કેટલી માત્રામાં ખરીદી—તેનો આખો રેકોર્ડ ઓછામાં ઓછો ૩ વર્ષ સુધી સાચવી રાખવો પડશે.

વેચાણમાં તાત્કાલિક ઘટાડો થઈ શકે

ઘણી જગ્યાએ આવી હાઈ-આલ્કોહોલ ધરાવતી દવાઓ કે ટિંકચરનો ઉપયોગ લોકો ડૉક્ટરની સલાહ વગર, સીધા મેડિકલ સ્ટોર પરથી ખરીદીને નશો કરવા માટે કે નાની-મોટી તકલીફોમાં જાતે જ (Self-medication) કરતા હતા. હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આનું વેચાણ અશક્ય બનતાં, કંપનીઓના વેચાણમાં મોટો ઘટાડો આવી શકે છે.

સપ્લાય ચેઈન અને મોનિટરિંગ મજબૂત બનશે

સરકાર હવે આ દવાઓના ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધી પહોંચવા સુધીના આખા રસ્તા (Supply Chain) પર કડક નજર રાખશે. દવાઓ બ્લેક માર્કેટમાં ડાયવર્ટ થતી અટકશે. જે જેન્યુઈન અને પ્રમાણિક ફાર્મા કંપનીઓ છે, તેમને લાંબા ગાળે ફાયદો થશે કારણ કે બજારમાં નકલી કે દુરુપયોગ માટે બનતી દવાઓ બંધ થઈ જશે.

નવી ફોર્મ્યુલા શોધવા તરફ આકર્ષણ

આ કડક નિયમો અને લાયસન્સની ઝંઝટમાંથી બચવા માટે ઘણી ફાર્મા કંપનીઓ પોતાની દવાની ફોર્મ્યુલા બદલવા તરફ વિચારશે. તેઓ પ્રયત્ન કરશે કે દવામાં ઇથિલ આલ્કોહોલનું પ્રમાણ ૧૨% ની અંદર જ રાખવામાં આવે અથવા આલ્કોહોલના વિકલ્પો શોધવામાં આવે, જેથી કરીને દવા ‘મુક્તિની કેટેગરી’ માં જ રહે અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ વેચી શકાય.

ટૂંકમાં કહીએ તો સરકારના આ નિર્ણયથી ફાર્મા ઉદ્યોગમાં ચોખ્ખાઈ આવશે. જે કંપનીઓ માત્ર નશાના હેતુ માટે કે નિયમોની છટકબારીનો ઉપયોગ કરીને દવાઓ વેચતી હતી તેમનો ધંધો બંધ થશે, જ્યારે સાચી સારવાર માટે દવા બનાવતી કંપનીઓએ હવે થોડી કાનૂની પ્રક્રિયાઓ વધુ કરવી પડશે. આરોગ્ય મંત્રાલયના આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોથી લઈને દવા બનાવતી કંપનીઓ સુધી મોટી અસરો જોવા મળશે.

લાયસન્સ અને કાગળિયાંનું કામ વધશે

અત્યાર સુધી જે કંપનીઓ આયુર્વેદિક ટિંકચર, આદુ-એલચીના અર્ક અથવા અમુક ચોક્કસ પ્રવાહી દવાઓ (જેમાં ૧૨% થી વધુ આલ્કોહોલ હોય) બનાવતી હતી, તેમને ‘શેડ્યૂલ K’ હેઠળ લાયસન્સમાંથી મુક્તિ હતી. હવે આ મુક્તિ ખતમ થઈ ગઈ છે. કંપનીઓએ ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦’ હેઠળ નવા મેન્યુફેક્ચરિંગ લાયસન્સ લેવા પડશે, જેનાથી તેમનું લીગલ અને કાગળિયાંનું કામ – કોમ્પ્લાયન્સનું કામ વધી જશે.

૨. મેડિકલ સ્ટોર્સ માટે રેકોર્ડ રાખવો ફરજિયાત બનશે

આ દવાઓને હવે ‘શિડ્યૂલ એચ-1’ માં મૂકવામાં આવી છે. એનો અર્થ એ કે મેડિકલ સ્ટોરવાળા આ દવાઓ ગ્રાહકને સીધી નહીં વેચી શકે. તેમણે-મેડિકલ સ્ટોર ચલાવનારાઓએ નીચે મુજબની તકેદારી રાખવી પડશે.

  • ગ્રાહક પાસેથી ડૉક્ટરનું ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન (ચિઠ્ઠી) માંગવું પડશે.
  • પોતાના રજિસ્ટરમાં કયા ડૉક્ટરે દવા લખી, કયા દર્દીએ ખરીદી અને કેટલી માત્રામાં ખરીદી—તેનો આખો રેકોર્ડ ઓછામાં ઓછો ૩ વર્ષ સુધી સાચવી રાખવો પડશે. આ રેકોર્ડ સાત વરસ સુધી પણ સાચવવાની સૂચના આ અગાઉ આપવામાં આવી છે.

વેચાણમાં તાત્કાલિક ઘટાડો થઈ શકે

ઘણી જગ્યાએ આવી હાઈ-આલ્કોહોલ ધરાવતી દવાઓ કે ટિંકચરનો ઉપયોગ લોકો ડૉક્ટરની સલાહ વગર, સીધા મેડિકલ સ્ટોર પરથી ખરીદીને નશો કરવા માટે કે નાની-મોટી તકલીફોમાં જાતે જ કરતા હતા. હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આનું વેચાણ અશક્ય બનતાં, કંપનીઓના વેચાણમાં મોટો ઘટાડો આવી શકે છે.

સપ્લાય ચેઈન અને મોનિટરિંગ મજબૂત બનશે

સરકાર હવે આ દવાઓના ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધી પહોંચવા સુધીના આખા રસ્તા (Supply Chain) પર કડક નજર રાખશે. દવાઓ બ્લેક માર્કેટમાં ડાયવર્ટ થતી અટકશે. જે જેન્યુઈન અને પ્રમાણિક ફાર્મા કંપનીઓ છે, તેમને લાંબા ગાળે ફાયદો થશે કારણ કે બજારમાં નકલી કે દુરુપયોગ માટે બનતી દવાઓ બંધ થઈ જશે.

નવી ફોર્મ્યુલા શોધવા તરફ આકર્ષણ

આ કડક નિયમો અને લાયસન્સની ઝંઝટમાંથી બચવા માટે ઘણી ફાર્મા કંપનીઓ પોતાની દવાની ફોર્મ્યુલા બદલવા તરફ વિચારશે. તેઓ પ્રયત્ન કરશે કે દવામાં ઇથિલ આલ્કોહોલનું પ્રમાણ ૧૨% ની અંદર જ રાખવામાં આવે અથવા આલ્કોહોલના વિકલ્પો શોધવામાં આવે, જેથી કરીને દવા ‘મુક્તિની કેટેગરી’ માં જ રહે અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ વેચી શકાય. આ નિર્ણયથી ફાર્મા ઉદ્યોગમાં ચોખ્ખાઈ આવશે. જે કંપનીઓ માત્ર નશાના હેતુ માટે કે નિયમોની છટકબારીનો ઉપયોગ કરીને દવાઓ વેચતી હતી તેમનો ધંધો બંધ થશે, જ્યારે સાચી સારવાર માટે દવા બનાવતી કંપનીઓએ હવે થોડી કાનૂની પ્રક્રિયાઓ વધુ કરવી પડશે

Read Previous

વર્લ્ડ બેંકે ભારતના રૂફટોપ સોલાર પ્રોગ્રામ માટે ૮૯૦ મિલિયન ડોલર મંજૂર કર્યા

Most Popular