• 14 August, 2026 - 4:55 AM

દિલ્હી-ફુકેટ એર ઈન્ડિયાના ઈજાગ્રસ્ત મુસાફરોને કેટલું વળતર મળી શકે?

અકસ્માતનું ગંભીર ઘટનાનું વર્ગીકરણ કરવામાં આવે તો દિલ્હી-ફુકેટ એર ઈન્ડિયાના ઈજાગ્રસ્ત મુસાફરોને રૂ. 1.8 કરોડનું વળતર મળી શકે

12મી ઓગસ્ટે દિલ્હીથી ફુકેટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઉડાન દરમિયાન સર્જાયેલા ભારે ટર્બ્યુલન્સ (આંચકા)ને કારણે અનેક મુસાફરો ચાલુ ફ્લાઈટે ટેમની સીટ પરથી ફંગોળાયા હતા, જેમાં ઘણાને ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા બે મુસાફરો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર હોનારત બાદ હવે સૌથી મોટો પ્રશ્ન ઈજાગ્રસ્ત મુસાફરોને મળનારા વળતરનો ઉભો થયો છે, કારણ કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો દ્વારા આ ઘટનાને માત્ર એક ‘ગંભીર ઘટના’ ગણવામાં આવે છે કે ‘અકસ્માત’  તેના પર વળતરનો આંકડો નિર્ભર છે. જો આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ તેને ‘અકસ્માત’ વર્ગીકૃત કરવામાં આવશે, તો મોન્ટ્રીયલ કન્વેન્શન મુજબ એરલાઈનની ભૂલ સાબિત કર્યા વગર પણ દરેક ઈજાગ્રસ્ત મુસાફરને ₹1.8 કરોડ સુધીનું અધધ વળતર મળવાનો કાનૂની માર્ગ મોકળો થઈ શકે છે. મોનટ્રીયલ કન્વેન્શન હેઠળ દરેક મુસાફરને વળતર મેળવવાનો અધિકાર છે.

એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો તેને ગંભીર ઘટના અથવા અકસ્માત તરીકે વર્ગીકૃત કરશે, આ વર્ગીકરણ વળતર અને ભવિષ્યના સુરક્ષા પગલાંને પણ અસર કરે છે.અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત મુસાફરોમાંથી બે હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ઘણાને હાડકાંમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓ થઈ છે. સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશનના સ્થાપક અને એવિએશન સેફ્ટી એક્સપર્ટ અમિત સિંઘના જણાવ્યા અનુસાર, ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનના એનેક્સ 13 હેઠળ ઈજાગ્રસ્ત મુસાફરો દરેક ₹1.8 કરોડ સુધીના વળતર માટે હકદાર છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે આ ઘટનાની તપાસ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. ેએવિએશન તપાસ એજન્સી તેને ગંભીર ઘટના અથવા અકસ્માત તરીકે વર્ગીકૃત કરશે, જે વળતર અને ભવિષ્યના સુરક્ષા પગલાંને પણ અસર કરે છે. આ એક અકસ્માત હતો, કોઈ ગંભીર ઘટના નહીં. ICAO એનેક્સ 13 સ્પષ્ટ છે: એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિ તેને અકસ્માત બનાવે છે. 48 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું, હાડકાંનું ફ્રેક્ચર, અતિશય રક્તસ્ત્રાવ સાથેનો ઊંડો ઘા — કોઈપણ વ્યક્તિ આ માપદંડને પૂર્ણ કરે છે.

અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત મુસાફરોમાંથી બે હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ઘણાને ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ થઈ છે. ભારતે અગાઉ પણ આવો જ એક કિસ્સો જોયો છે, જેમાં AAIB એ અગાઉના કેસમાં આ નિયમ લાગુ કર્યો હતો. વિસ્તારા UK775, મુંબઈ-કોલકાતા, 7 જૂન 2021: લેન્ડિંગ દરમિયાન ભારે ટર્બ્યુલન્સ (ઝટકા), ગંભીર ઈજાઓ, પરંતુ કોઈનું મોત નહોતું થયું. AAIB એ તેને અકસ્માત તરીકે વર્ગીકૃત કર્યો હતો. વિસ્તારા હવે એર ઈન્ડિયા જ છે,” તેમણે કહ્યું.

Read Previous

સેબીએ માન્ય રોકાણકારો માટે રૂ 5 કરોડના એસેટ ટેસ્ટનો પ્રસ્તાવ મૂક્યો: કોણ પાત્ર બની શકે?

Most Popular