• 4 February, 2026 - 11:08 AM

ઓસવાલ–ગ્રીન્ઝો એનર્જીઝને કંડલામાં ભારતનો પ્રથમ પોર્ટ આધારિત 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો

–   પ્રોજેક્ટ કાર્યરત થયા પછી દર વર્ષે અંદાજે 8,650 ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે અને પોર્ટની કામગીરીમાં સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપશે

અમદાવાદ: ઓસવાલ એનર્જીઝ લિમિટેડ અને ગ્રીન્ઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના સંયુક્ત સાહસ ઓસવાલ ગ્રીન્ઝો એનર્જીઝને ભારત સરકારની સાગરમાલા યોજના હેઠળ કંડલા ખાતે દીનદયાલ પોર્ટ પર પાંચ  મેગાવોટ ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને ટેસ્ટિંગ કરીને ચાલુ કરી આપવાનો મોટો અને મહત્વનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

કંડલા પોર્ટ પરનો આ પ્રોજેક્ટ ભારતના કોઈ મોટા પોર્ટ પર સ્થાપવામાં આવનારો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટથી દીનદયાલ પોર્ટને મેરિટાઇમ ડિકાર્બનાઇઝેશન ક્ષેત્રમાં અગ્રણી કંપની તરીકેનો દરજ્જો અપાવશે. આ પ્રોજેક્ટને એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શનના કામકાજને આધારે અમલમાં મૂકવામાં આવશે અને તેમાં ભવિષ્યમાં સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 10 મેગાવોટ સુધી વિસ્તરણ કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે.

પ્રોજેક્ટ કાર્યરત થયા પછી દર વર્ષે અંદાજે 8,650 ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે, જે પોર્ટની કામગીરીને તેમ જ મોબિલિટી સેક્ટરમાં સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ ભારતની નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન સાથે સુસંગત છે અને મેરિટાઇમ, લોજિસ્ટિક્સ તથા પરિવહન ક્ષેત્રોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતાં ઓસવાલ એનર્જીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રતન બોકાડિયા એ જણાવ્યું હતું કે ભારતના પ્રથમ પોર્ટ આધારિત ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટનો ભાગ બનવું કંપની માટે ગૌરવની વાત છે. આ પ્રોજેક્ટ કંપનીની ટેક્નિકલ કુશળતા, એન્જિનિયરિંગ ક્ષમતા અને અદ્યતન હાઈડ્રોજન સિસ્ટમ્સ અમલ કરવાની મજબૂત ક્ષમતાનો પુરાવો છે. તેમણે વૈશ્વિક ધોરણો અનુસાર પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તથા ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તનમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દીનદયાલ પોર્ટ પ્રોજેક્ટ ભારતીય એન્જિનિયરિંગ કંપનીઓ માટે ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. ઓસવાલ એનર્જીઝ વિશ્વસ્તરીય ઈપીસી સોલ્યુશન્સ પૂરા પાડવા સાથે ભારતના સસ્ટેનેબિલિટી-ટકાઉપણા અને ડિકાર્બનાઇઝેશન-કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના લક્ષ્યોને પહોંચી વળવામાં સક્રિય યોગદાન આપતી રહેશે.

આ કોન્ટ્રાક્ટ પર 28 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીધામ ખાતે ઓસવાલ એનર્જીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રતન બોકાડિયા, ગ્રીન્ઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી કુશલ અગરવાલ અને દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે સહી કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ દ્વારા ઓસવાલ–ગ્રીન્ઝો જોઈન્ટ વેન્ચર ભારત તેમજ વૈશ્વિક બજારો માટે સ્કેલેબલ-એટલે કે મોટા  પાયા સુધી લઈ જઈ શકાય તેવી ક્ષમતા છે. સ્વદેશી અને ભવિષ્ય માટે તૈયાર ગ્રીન હાઈડ્રોજન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં પોતાની વધતી ભૂમિકા મજબૂત કરે છે. ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન અને ઇનોવેશન આધારિત ઉકેલોના ક્ષેત્રમાં મજબૂત અનુભવ ધરાવે છે. તેની સાથેના જોઈન્ટ વેન્ચરથી ભારતને ઓછા કાર્બન ઉત્સર્જન અને ટકાઉ ઊર્જાના નિર્માણ-ઉત્પાદનના ભવિષ્ય તરફ આગળ ધપાવશે.

 

Read Previous

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પરિણામે યુરોપિયન સંઘના દેશોમાં ભારતની દવાની નિકાસ ચાર વર્ષમાં 15 અબજ ડૉલરની થઈ જશે

Read Next

આજે શેરબજારમાં શું કરી શકાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular