ક્રેડિટ નોટ પર જીએસટી બાદ લેવાને માટે આગોતરા એગ્રીમેન્ટની નકલ આપવી પડશે નહિ

ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ અને પોસ્ટ સેલ ડિસ્કાઉન્ડ કે કેશ ડિસ્કાઉન્ટ આપવાની કાર્યવાહી સરળ બની જશે. તેને માટે આગોતરા કરારની જરૂર રહેશે નહિ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ક્રેડિટ નોટ પર જીએસટી બાદ લેવા માટે આગોતરા એગ્રીમેન્ટની શરત આજે સંસસદમાં રજૂ કરવામાં આવેલા બજેટના માધ્યમાંથી કાઢી નાખવામાં આવી છે. પરંતુ સામેના વેપારીએ તેની ઇનપુટ ટેક્સ તેટલા પ્રમાણમાં રિવર્સ કરેલી હોવી જોઈએ તે શરત હવે પણ ફરજિયાત રહશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની કલમ 15(3)માં ક્રેડિટ નોટ વેપારી આપે તો તે તેને માટે વેપારીએ કોઈ આગોતરા કરાર કર્યા હોય અને કસ્ટમરે ઇનપુટે ટેક્સ ક્રેડિટ રિવર્સ કરેલી હોય તો જ વેપારી ક્રેડિટ નોટ પર જીએસટીની રકમ બાદ કરી આપવામાં આવતી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે કે આમ કલમ 34માં પણ ક્રેડિટ નોટ ઇશ્યૂ કરતી વખતે આગોતરા એગ્રીમેન્ટ આપવાની શરત આજે બજેટના માધ્યમથી કાઢી નાખવામાં આવી છે. બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઈને પરિણામે વેપારીઓના ધંધાકીય વહેવારો કરવા અત્યંત સરળ બની જશે. તેમ જ ક્વોન્ટિ ડિસ્કાઉન્ટ અને પોસ્ટ સેલ ડિસ્કાઉન્ડ કે કેશ ડિસ્કાઉન્ટ આપવાની કાર્યવાહી સરળ બની જશે. તેને માટે આગોતરા કરારની જરૂર રહેશે નહિ.
જીએસટીના વેપારીઓ માટે કરવામાં આવેલા ત્રીજા સુધારમાં નિકાસકારને રૂ 1000થી ઓછું રિફંડ આપવાનું હોય તો તેવા કેસમાં પહેલા તે આપવાનું રહેતું નહોતું. પરંતુ હવે આ લિમિટી શૂન્ય રૂપિયાની કરી દેવામાં આવી છે.
વિદેશથી કમિશન ચૂકવવામાં આવતા કમિશન પર જીએસટી લાગશે નહિ
આઈજીએસટીની કલમ 13(8)માંથી ક્લોઝ બી, ઇન્ટરમિડિયરી સર્વિસની જોગવાઈ રદ બાતલ કરી દેવામાં આવી છે. બજેટમાં લેવામાં આવેલા આ નિર્ણયને પરિણામે ઇન્ટરમિડિયરી એટલ કે દલાલ કે એજન્ટ કે પછી કોઈ વિદેશની પાર્ટી હોય અને તેમને સર્વિસ આપવામાં આવી હોય અને તેમને કોઈ કમિશન ચૂકવવામાં આવતા કમિશન પર જીએસટી લાગશે નહિ હા, આ કમિશન વિદેશથી ચૂકવવામાં આવેલું હોવુ જોઈએ. બજેટમાં દાખલ કરવામાં આવેલી નવી જોગવાઈને કારણે ભારતીય કંપની વિદેશમાં કમિશનની ચૂકવણી કરશે ત્યારે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ તેના પર જીએસટી લાગુ પડશે એમ લાગી રહ્યું છે.
એડવાન્સ રૂલિંગના નિયમમાં ફેરફાર કર્યો
જીએસટી એક્ટની કલમ 101-એ (1એ)માં ફેરફાર કરીને નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આ જોગવાઈ મુજબ બે અલગ અલગ રાજ્યના એડવાન્સ રૂલિંગ એક જ વિષય પર વિરોધાભાસી હોય તો તેવા સંજોગોમાં નેશનલ એડવાન્સ રૂલિંગ ટ્રિબ્યુનલ ન બને ત્યાં સુધી કોઈ જીએસટી ટ્રિબ્યુનલ કે અન્ય કોઈ બોડીને આ વિરોધાભાસી નિર્ણય પર ચૂકાદો આપવા માટે વિનંતી કરી શકાશે.
ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં પણ 90 ટકા રિફંડ મળશે
જીએસટી એક્ટની કલમ 54(6)માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં રિફંડની અરજીમાં દર્શાવેલી રકમના 90 ટકા રિફંડ માત્ર એક્સપોર્ટર્સને આપી દેવામાં આવતું હતું. હવે ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં આવતા વેપારીઓને પણ અરજીમાં માગેલા રિફંડની રકમના 90 ટકા રકમ અરજી કર્યાના સાત જ દિવસમાં આપી દેવાનું રહેશે. પરિણામે વેપારીઓની વર્કિંગ કેપિટલની સમસ્યા હળવી થઈ જશે. નવી મૂડી ઉમેરવાની જફામાંથી મુક્તિ મળશે.




