તમારા ભાવિની સલામતી માટે બચતનું આયોજન કેવી રીતે કરશો?

રૂ.1 લાખના પગારમાં ઘર ખર્ચ, બાળકોનું શિક્ષણ, નિવૃત્તિ માટે કેવી રીતે નાણાં ફાળવશો?
યુવાન નોકરી કરતો થાય તે પછી ઘર ખરીદવું અને બાળકના ભવિષ્ય માટે શિક્ષણ ભંડોળ એકઠું કરવું અને આરામદાયક નિવૃત્તિ માટે બચત કરવાની ત્રેવડી જવાબદારી તેને માથે હોય જ છે. આજે આ ત્રણેય લક્ષ્યો મોટાભાગના ભારતીય પરિવારો માટે સૌથી મહત્વના છે. પરંતુ સમસ્યા એ છે કે એક સાથે ત્રણેય માટે પૂરતા પૈસા ભાગ્યે જ હોય છે.
પગારના નાણાંના ખર્ચનું આયોજન કેવી રીતે કરાય
તેંત્રીસ વર્ષના વ્યક્તિને જો દર મહિને ₹1 લાખ પગાર મળે તો આગામી 4 વર્ષ સુધીમાં ઘરની ડાઉન પેમેન્ટ માટે લગભગ રૂ.15–18 લાખની જરૂરિયાત માટે નાણાં ભેગા કરી શકે છે. તેવી જ રીતે 16 વર્ષ પછી બાળકના ઉચ્ચ શિક્ષણ માટે અંદાજે ₹80–90 લાખ એકઠાં કરી રાખવા પડે છે. તેમ જ 28 વર્ષ પછી આરામદાયક નિવૃત્તિ માટે આશરે રૂ. 6–7 કરોડ એકઠાં થયેલા હોવા જરૂરી છે.
આ ત્રણેય લક્ષ્યો માટે આજની કિંમત પ્રમાણે દર મહિને લગભગ રૂ. 80,000–82,000 બચત કરવી પડે છે. તેમાં હોમ લોનના EMI અને ઘરખર્ચની રકમનો સમાવેશ થતો નથી. તેથી જ મોટાભાગના નોકરિયાતો પહેલા ઘર ખરીદી લે છે. ત્યારબાદ નિવૃત્તિ તથા લાંબા ગાળાની બચતનો વિચાર કરે છે. જિંદગીના આરંભના વરસોમાં તેને માટે બચત કરવાનું ટાળે છે. પરિણામે ભવિષ્યની નાણાકીય સ્વતંત્રતા જોખમમાં પડી જાય છે.
રૂ. 1 લાખના પગારમાંથી બચત કેવી રીતે કરાય?
સામાન્ય રીતે ચોવીસે જાન અને સત્તાવીસે સંતાનની થિયરીને અનુસરવાનું દરેક નોકરિયાતે પસંદ કરવું જોઈએ. આ આયોજન પ્રમાણે સ્કૂલના ખર્ચ બાદ અંદાજે 45ની વયની આસપાસ તેમણે સંતાનના એજ્યુકેશન માટે મોટો ખર્ચ કરવાની શરૂઆત કરવી પડી શકે છે. 27થી 30 તમને 50 વર્ષની વયે લક્ષ્ય શું છે તે કરતાં મહત્વનું એ છે કે પૈસા કેટલા વર્ષ પછી જોઈએ.
સૌથી પહેલા ઘરનું આયોજન કરવાનું બધાં પસંદ કરે છે. તેને માટે નોકરીના આરંભથી જ બચત કરવાની શરૂઆત કરી દેવી જરૂરી છે. આમ 4 વર્ષમાં ઘર બચાવા માટેના ડાઉન પેમેન્ટના પૈસા જમા થઈ જાય તે પછી ઘર ખરીદી માટે લોન લેવાય છે. તેમ જ તેના હપ્તા પણ ચાલુ થાય છે. લોન લીધા પછી વહેલામાં વહેલી ચૂકવાઈ જાય તેની તકેદારી રાખવી જોઈએ. શરૂઆતના વરસોમાં બચત પર ફોકસ ન કરનારાઓ આખી જિંદગી નાણાં ભીડ અનુભવતા રહે છે. શરૂઆતમાં ખર્ચા ઓછા હોવાથી બચત વધારે કરી લેવી જોઈએ.
લોન લીધા પછી બચત વ્યવસ્થિત કરીને લોન પ્રી પેમેન્ટ કરી દેવી જોઈએ. લોનના પ્રીપેમેન્ટ માટે કોઈ જ ચાર્જ ચૂકવવો પડતો નથી. બાળકના શિક્ષણના એટલે કે કૉલેજ શિક્ષણના ખર્ચ વધે તે પહેલા જ હોમ લોન ચૂકવીને નવરા પડી જવાનું આયોજન કરવું જોઈએ. મોટાભાગની બેન્કો લોન આરામથી ચૂકવવાની સલાહ આપે છે. પરંતુ એક ઉદાહરણ તમને આપી દઉં. 30 વર્ષના યુવાને રૂ. 1.5 કરોડનું ઘર વસાવ્યું હતું. તેને માટે પિતાની મદદથી રૂ. 1 કરોડ 20 લાખ મેળવ્યા હતા. રૂ. 70 લાખની લોન લીધી હતી. આ અગાઉ બચત કરવાનું પીપીએફ સિવાયનું બીજું કોઈ જ પ્લાનિંગ કર્યું નહોતું. તેણે ત્રણ વર્ષ દસ મહિના સુધી દર મહિને રૂ. 57,333નો હપ્તો ભર્યો. તેણે સ્ટેટમેન્ટ મેળવ્યું. તેણે જોયું તો તેણે જમા કરાવેલા અંદાજે 26 લાખમાંથી વ્યાજ પેટે રૂ. 25.25 લાખ ગયા હતા અને મુદ્દલમાંથી માત્ર રૂ. 75000 જ કપાયા હતા. આ જોઈને તેના હોંસ ઊડી ગયા. સિનિયર સિટીઝને રૂ. 1 કરોડની લોન લીધી. 20 વર્ષે તે ચૂકવે તો તેને રૂ. 3.06 કરોડ ચૂકવવાના આવતા હતા. તેથી તેણે માત્ર 24થી 30 મહિનામાં લોન ચૂકવી દીધી. તેને માટે તેણે રૂ. 12થી 15 લાખ વ્યાજનો બોજ ખમવાનો આવ્યો હતો. જો પૂરી મુદતને અંતે લોન પૂરી કરવાનું આયોજન કર્યું હોત તો તેણે વ્યાજ પેટે જ રૂ. 2.06 કરોડ ચૂકવવા પડ્યા હોત. લોનની વહેલી ચૂકવણી કરવી દરેકના હિતમા જ છે. હોમ લોન ચૂકવવાના ટાર્ગેટ નક્કી કરીને આગળ વધવું જોઈએ.
હોમલોન વહેલી ચૂકવી દો
લોન વહેલી ચૂકવી દેવાથી એજ્યુકેશન લોન લેવી પડે તો હોમ લોન અને એજ્યેકશન લોન એમ બંનેના હપ્તા ચાલુ થઈ જતાં આવતું ભારણ વધતું નથી. હોમ લોન ચૂકવાની સાથેસાથે જ એજ્યુકેશનના ખર્ચ માટે પૈસા જમા કરવાનું ચાલુ રાખવું જોઈએ. બાળકના એજ્યુકેશનની જવાબદારી 15 વર્ષે આવે ત્યાં સુધીમાં સારી બચત કરી શકાય છે. આજકાલ તો પતિપત્ની બંને નોકરી કરતાં હોવાથી તેઓ એકનો પગાર બચાવીને બીજાના પગારને ખર્ચીને સમગ્ર આયોજન કરી શકે છે. તેની સાથે સાથે જ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે પછી ફુગાવાથી વધુ વળતર આપવાને સક્ષમ એસઆઈપીમાં રોકાણ કરવું જોઈએ. એસઆઈપીમાં પણ સો ટકા શેર્સમાં રોકાણ કરતી સ્કીમને બદલે શેર્સ, ડેટ ઇન્સ્ટુમેન્ટ અને ગોલ્ડમાં કે અને કિમતી ધાતુમાં રોકાણ કરતી સ્કીમને પસંદ કરવી જોઈએ. તેની સાથે વ્યાજની આવક થતી હોય તો તે ઊભી કરીને તેને રિ-ઇન્વેસ્ટ કરવાનું પણ આયોજન કરવું જોઈએ.
ભવિષ્યના વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં રાખો
દરેક આયોજનને અમલમાં મૂકતી વખતે મોંઘવારીને અવગણના ન કરવી જોઈએ. આજે જે ઘર રૂ. 80 લાખમાં મળે છે તે પાંચ વર્ષ બાદ રૂ. 1 કરોડમાં મળતું હશે. તેમ જ આજે જે શિક્ષણ પાછળ રૂ. 25 લાખનો ખર્ચ થાય છે તે જ શિક્ષણ પાછળ 16 કે 20 વર્ષ બાદ રૂ. 86 લાખથી મંડીને રૂ. 1 કરોડ સુધીનો થઈ જવાની સંભાવના રહેલી છે. આજે માસિક રૂ. 30 હજારમાં ઘરનો ખર્ચ નીકળી જતો હોય તો આગામી 28 વર્ષ પછી ઘર ખર્ચ રૂ. 3 લાખનો થઈ જવાની ધારણા રાખીને બચતનું આયોજન કરવું પડશે. આમ મોંઘવારી અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરવું પડશે.
ટાર્ગેટ નક્કી કરી લો
દરેક આયોજનને અમલમાં મૂકતા પહેલા ટાર્ગેટ નક્કી કરી લેવો જરૂરી છે. પહેલા નિવૃત્તિની બચત કરવી છે કે પછી ઘર લેવા માટે અથવા તો બાળકના શિક્ષણ માટેના ખર્ચની જરૂરિયાત પૂરી કરવાનું આયોજન કરવું છે તે નક્કી કરી લેવું જોઈએ. ઘર મોડું થઈ શકે છે, લોન લઈ શકાય છે. પરંતુ નિવૃત્તિ માટે લોન મળતી નથી. આજે કરેલી બચત જ આવતીકાલે કામ આવશે.ઘર ખરીદવા માટે કરેલી બચતને સારુ વળતર આપતા ડેટ ફંડમાં, રિકરિંગ ડિપોજિટમાં કે પછી કન્ઝર્વેટિવ હાઈબ્રિડ ફંડમાં રોકી શકાય છે. શિક્ષણ માટેના ભંડોળ માટે ઇક્વિટિ મ્યુચ્યુઅલ ફંડમાં, બેલેન્સ્ડ ફંડમાં કે પછી લાંબા ગાળાના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકી શકાય છે. નિવૃત્તિ માટેનું ભંડોળ એકત્રિત કરવા માટે લાર્જ કેપ કે પછી મલ્ટી કેપ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકાય છે. તેમ જ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ અથવા તો નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકાય છે. ઉંમર વધતી જાય તેમ તેમ આ રોકાણ સામેના જોખમો ઓછા કરવા જોઈએ. ઉંમર વધે તેમ ધીમે ધીમે જોખમ ઓછું કરવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો ઊંચા વળતરની આશાએ જોખમી રોકાણ વધુ કરવું ન જોઈએ.
દરેક આયોજન માટે ફંડ નક્કી કરી લો
એક લાખના પગારદારે ઘર, શિક્ષણ અને નિવૃત્ત માટે અનુક્રમે રૂ. 36,000, શિક્ષણ માટે રૂ. 17,500 અને નિવૃત્તિ માટે રૂ. 28,000નું રોકાણ કરી શકાય છે. નોકરીના આરંભના કાળમાં આ પ્રકારે બચતનું આયોજન થઈ શકે છે. સમય જતાં પગારના વધારા સાથે ઘર ખર્ચને થોડો થોડો વધવા દઈને આ આયોજનનો અમલ ચાલુ રાખી શકાય છે. પરંતુ આ બચત કરવામાં શિસ્ત રાખવું જરૂરી છે. તમે રૂ. 45000ની જ બચત કરી શકતા હોવ તો નિવૃત્તિ માટેની બચતમાં ઘટાડો કરશો નહિ. ઘર લેવા માટેની બચતમાં ઘટાડો કરશો તો ચાલી જશે. ઘર મોડું મળશે તે ચાલી જશે. પરંતુ ભવિષ્ય માટે બચત નહિ થાય તો તકલીફ પડી જશે.
પ્લાનનું દર વર્ષે પુનરવલોકન કરો
ભાવિની સલામતી માટેની બચતના આયોજન કરવાની શરૂઆત કરો તે પછી દર વર્ષે તેનું પુનરવલોકન કરતાં રહેવું જોઈએ. પગારમાં વધારો થાય તેમ તેમ આયોજન બદલતા રહેવું જોઈએ. એક વ્યક્તિએ પગાર રૂ. 25000 હતો ત્યારે રૂ. 11,000 પહેલા જ પગારમાંથી બચત પેટે અલગ રાખી દેવાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ પગાર વધીને 35000 થયો તો બચત વધારીને 16000 કરી દીધી હતી. પગાર 50,000 થયો ત્યારે બચત વધારીને 28000 કરી દીધી હતી. આ આયોજન સાથે નિવૃત્તિ કાળ સુધી પહોંચતી વખતે તેની પાસે રૂ. 1.5 કરોડની બચત પર રૂ. 12 લાખની વાર્ષિક વ્યાજની આવક થઈ ગઈ. અત્યારના સંજોગોમાં વાર્ષિક રૂ. 12 લાખની વ્યાજની આવક એક પરિવારને ટકાવી રાખવા માટે પૂરતી છે. ત્રણેય સફળતાપૂર્વક હાંસલ કરી શકો છો.




