ફાર્મસી ગ્રેજ્યુએટ્સ અનુસ્નાતકનો અભ્યાસ કરી શકે તે માટે સ્કોલરશીપ યોજના ફરી જાહેર કરી

Digi-Pharmed પોર્ટલ પર જ નોડલ ઓફિસરની વિગતો બદલવા માટે અરજી કરવાની રહેશે. હવે ઈમેલ દ્વારા કરેલી વિનંતી સ્વીકારવામાં આવશે નહીં
વિદ્યાર્થીઓની ફરિયાદો પણ માત્ર PCIના ઓનલાઇન grievance પોર્ટલ દ્વારા જ કરવી પડશે.
અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ-PCIએ જાહેર કર્યું છે કે સંસ્થાઓ માટે ડિજિ ફાર્મ્ડ-Digi-Pharmed પોર્ટલ પર ખાસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા એટલે કે પ્રધાનમંત્રી સ્કોલરશીપ ફોર ફાર્મસી પોસ્ટ ગ્રેજ્યુએટ્સ-PMSPPS (Pradhan Mantri Scholarship for Pharmacy Post Graduate Studies) માટે નોડલ ઓફિસરની વિગતો તૈયાર કરી દીધી છે. આ વિગતોને અપડેટ કરવામાં આવશે. આ નિર્ણય સંસ્થાઓ તરફથી મળેલી અનેક ફરિયાદો અને પ્રશ્નોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
નવી સેવા શું છે?
PCIના રજીસ્ટ્રાર-કમ-સેક્રેટરી Anil Mittalએ જણાવ્યું કે Digi-Pharmed પોર્ટલ પર હવે નોડલ ઓફિસર (Maker & Checker) બનાવવાની અને અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે આ સેવા હેઠળ Graduate Pharmacy Aptitude Test (GPAT) સ્કોલરશિપ પોર્ટલ માટે લાગુ કરવામાં આવી રહી છે. તેમજ Aadhar Enabled Biometric Attendance System (AEBAS) માટે પણ આ સુવિધા આપવામાં આવી રહી છે તેની પાછળનો મૂળભૂત હેતુ ડેટા સિક્યોરિટી વધારવાનો, ડેટા લીકેજ અટકાવવાનો અને સમગ્ર પ્રોસેસને સરળ બનાવવાનો છે.
સંસ્થાઓ માટે સૂચનાઓ
PCIએ તમામ M.Pharm સંચાલિત સંસ્થાઓને સૂચના આપી છે કે Digi-Pharmed પોર્ટલ પર જ નોડલ ઓફિસરની વિગતો બદલવા માટે અરજી કરવાની રહેશે. રજીસ્ટર્ડ ઇમેલ અને મોબાઇલ નંબર સંસ્થાના નિયંત્રણમાં હોવા જોઈએ. હવે ઈમેલ દ્વારા કરેલી વિનંતી સ્વીકારવામાં આવશે નહીં વિદ્યાર્થીઓની ફરિયાદો પણ માત્ર PCIના ઓનલાઇન grievance પોર્ટલ દ્વારા જ કરવી પડશે.
PMSPPS સ્કોલરશિપ માહિતી
PCI દ્વારા PMSPPS યોજના હેઠળ GPAT પાસ થયેલા વિદ્યાર્થીઓને રૂ.12,400 પ્રતિ મહિના સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ PCI-મંજૂર M.Pharm કોર્સ માટે માન્ય રહેશે. આ યોજના Pharmacy Act 1948ની કલમ 12 હેઠળ આવે છે. PCIએ અગાઉ તમામ ફાર્મસી સંસ્થાઓને નોડલ ઓફિસર નિયુક્ત કરવા જણાવ્યું હતું. તે મુજબ સ્કોલરશિપ પોર્ટલ પર વિદ્યાર્થી વિગતો લિંક કરે તે જરૂરી છે. PCI સાથે સંકલન (coordination) રાખવાનું રહેશે. વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનું સંચાલન કરે તે પણ જરૂરી છે.
GPAT વિશે
National Testing Agency (NTA) દ્વારા GPAT પરીક્ષા લેવામાં આવે છે. ત્રણ કલાકની કમ્પ્યુટર આધારિત ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા M.Pharm પ્રવેશ માટે ઉપયોગી ગણાય છે. AICTE-મંજૂર સંસ્થાઓ માટે જ તે માન્ય ગણાશે. સ્કોલરશિપ અને નાણાકીય સહાય માટે પણ ઉપયોગી છે.
આમ તો સ્કોલરશીપની આ યોજના 2023માં જાહેર કરવામાં આવી છે. તેના નોડલ ઓફિસરને લગતા ફેરફારોની માહિતી અત્યારે આપવામાં આવી છે. આ યોજના પાછળનો મૂળભૂત હેતુ તો ક્વોલિટી ફાર્મસી એજ્યુકેશન આપવાનો છે. ફાર્મસીના ક્ષેત્રમાં સંશોધન અને નવસંસ્કરણ-ઇન્નોવેશનને પ્રોત્સાહન આપવાનો છે. તેમ જ ફાર્મસીના સેક્ટરના કર્મચારીઓની કાર્યકુશળતામાં વધારો કરવાનો પણ ઇરાદો આ યોજનાની જાહેરાત પાછળનો છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ્સ થયા પછી આગળ અભ્યાસ કરી શકે તે માટે પણ આ સ્કોલરશીપ આપવામાં આવે છે. એક ફાર્મસીમાં ગ્રેજ્યુએટ્સ-બી ફાર્મ કરનાર વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ્સનો એમ.ફાર્મનો અભ્યાસ કરવા માટે આગળ વધે તે જોવાનો પણ છે.
આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આઇવે છે. તેમને ટ્યુશન ફીન, ચોપડીઓ અને માસિક ખર્ચ ચલાવવામાં તેનાથી તકલીફ પડતી નથી. તેમનો આર્થિક બોજો ઓછો કરે છે. સંશોધનના ક્ષેત્રમાં વધુ વિદ્યાર્થીઓ આવી શકે છે. ભારતના ફાર્મા ઉદ્યોગ માટે નવા વિજ્ઞાનીઓનું સર્જન કરવામાં મદદ કરે છે. આ યોજના હેઠળ મેરિટ-ગુણવત્તાને આધારે જ સ્કોલરશીપ આપવામાં આવે છે. તેથી પાત્રતા ધરાવતા શહેરી અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવાની તક મળે છે. ફાર્માસ્યૂટિકલ્સનું સેક્ટર તેનાથી મજબૂત બને છે. વિશ્વસ્તરે ભારતીય ફાર્મા ઉદ્યોગ વધુ સંગીન સ્થિતિમાં આવે છે.
આ યોજનાની મદદથી ફાર્માસ્યૂટિક્સ, ફાર્માકોલોજિસ્ટ, ફાર્માસ્યૂટિકલ કેમેસ્ટ્રી અને ક્વોલિટી એસ્યોરન્સના સેક્ટરમાં કામ કરનારા કુશળ વ્યક્તિઓની ફોજમાં ઉમેરો થાય છે. ફાર્મસી સેક્ટરમાં એમ.ફાર્મ કરનારાઓને ફાર્મા કંપનીઓમાં કે રિસર્ચ લેબમાં જોબ મળી શકે છે. ફાર્માસીના સેક્ટરની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવાનો જોબ મળી શકે છે. ફાર્માસ્યૂટિકલ્સને લગતી નિયંત્રક સંસ્થાઓમાં પણ તેમને નોકરી મળી શકે છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મંજૂર કરેલી સંસ્થાઓના વિદ્યાર્થીઓને તેનો લાભ મળે છે. હા, તેમની શિક્ષણની કારકીર્દિ ઝળહળતી હોવી જરૂરી છે. સ્કોલરશીપ માટે મર્યાદિત શીટ્સ જ હોવાથી તેમાં કોમ્પિટીશન પણ સારી થાય છે. વિદ્યાર્થીઓ ફૂલટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએટ્સનો કોર્સ કરવા આગળ આવે તે માટે પ્રોત્સાહન પણ આપવામાં આવે જ છે.



