સરકારે કાર્બન ઉત્સર્જન નિયમોમાં રાહત આપી, પણ ઓટોમેકર્સને EV-હાઇબ્રિડ વાહનો બનાવવા તરફ ધકેલ્યા

કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સીના નવા નિયમોનો મુસદ્દો જાહેર કરીને ભારત સરકારે વાહન ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ફેરફાર દાખલ કર્યા છે. નવા મુસદ્દા હેઠળ તૈયાર કરવામાં આવેલા નિયમો 2027 થી 2032 દરમિયાન અમલમાં મૂકવામાં આવશે. જોકે નવા નિયમોના મુસદ્દા હેઠળ વાહનોના માધ્યમથી થતાં કાર્બન ઉત્સર્જન માટેના લક્ષ્યાંકો થોડા હળવા બનાવવામાં આવ્યા છે. આ નિયમો અગાઉના ડ્રાફ્ટની તુલનામાં ઓટોમોબાઈલ કંપનીઓ માટે રાહતરૂપ છે.
કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સીના-CAFE-કાપેના નવા નિયમો હેઠળ દરેક ઓટોમોબાઈલ કંપનીએ પોતાના વેચાતા તમામ વાહનોનું સરેરાશ ઇંધણ વપરાશ અને ઉત્સર્જન નક્કી મર્યાદામાં રાખવું પડે છે. આ વ્યવસ્થા હેઠળ એક કાર નહીં, પરંતુ સમગ્ર ફ્લીટ-કારના કાફલાનો સરેરાશ કાર્બન ઉત્સર્જનને ગણતરીમાં લેવામાં આવે છે.
નવા મુસદ્દામાં શું ફેરફાર કર્યા?
કાર્બન ઉત્સર્જન માટેના નવા મુસદ્દા હેઠળ તૈયાર કરવામાં આવેલા નિયમોમાં કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો થોડા હળવા બનાવવામાં આવ્યા છે. તેમાંય ખાસ કરીને નાની કાર માટેના કાર્બન ઉત્સર્જનો વધુ હળવા બનાવવામાં આવ્યા છે. આમ નાની કાર ખરીદનારાઓને વિશેષ રાહત આપવામાં આવી છે. આ અંગેના અગાઉના કડક નિયમોમાં નરમાઈ લાવવામાં આવી રહી છે. આ તમામ ફેરફાર મોટરના ઉત્પાદકો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો સાથે ચર્ચાવિચારણા કરીને કરવામાં આવ્યા છે. આ પગલાં ઓટોમોબાઈલ કંપનીઓ માટે અનુરૂપ છે, જેથી તેઓ નિયમો સરળતાથી પાલન કરી શકે.
EV અને હાઇબ્રિડ તરફ મોટો ધક્કો
નિયમો હળવા બનાવાયા હોવા છતાં, સરકારનો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ છે. ઓટોમેકર્સને ઇવી-ઇલેક્ટ્રિક વેહિકના અને હાઈબ્રિડ વેહિકલના ઉત્પાદન તરફ ખેંચી જવા તરફનું રહ્યું છે. આમ ઓછા કાર્બન ઉત્સર્જનવાળા વાહનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમ જ વાહન ઉત્પાદકોને નવી ટેક્નોલોજી અપનાવવા માટે પ્રેરણાં આપવામાં આવી રહી છે. અંતે લાંબા ગાળે ગ્રીન મોબિલિટીને વેગ આપવાનો છે.
ઓટો ઇન્ડસ્ટ્રી માટે શું અર્થ?
નવા નિયમોનું પાલન કરવું કંપનીઓ માટે સરળ બનશે. કંપનીઓએ નવી ટેક્નોલોજીમાં રોકાણ વધારવું પડશે. ઇલેક્ટ્રિક વેહિકલ અને હાઇબ્રિડ સેગમેન્ટમાં સ્પર્ધા વધશે. ઘણા ઓટોમેકર્સે નવા નિયમોના મુસદ્દાથી રાહતની લાગણી અનુભવી છે.
જોકે ઉદ્યોગો સામે નવા પડકારો આવી રહ્યા છે. તેમણે નવા નિયમોનું પાલન કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડી શકે છે. પરિણામે મોટર સહિતના વાહનોના ભાવમાં વધારો આવી શકે છે. જોકે તેનાથી પર્યાવરણને તો લાભ જ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. કારણ કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. વાહનો ચલાવવા માટેના ઇંધણ ખર્ચમાં બચત થશે. સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવું સરળ બનશે.
CAFE-3 નો નવો ડ્રાફ્ટ સંતુલિત અભિગમ અપનાવે છે. એક, એક તરફ ઉદ્યોગને રાહત મળે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. બે, ઇલેક્ટ્રિક વેહિકલ અને હાઈબ્રિડ વાહનોના ઉત્પાદન તરફ વાહન ઉદ્યોગને ધકેલવામાં આવી રહ્યો છે. આ પગલું ભારતને સ્વચ્છ અને ટકાઉ પરિવહન સિસ્ટમ તરફ આગળ વધારશે.



