• 26 April, 2026 - 8:14 AM

ગુજકોમાસોલ જોર્ડનની કંપની એમએનજી સાથે કરાર કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેત તરફ વાળશે

 

  • ગુજકોમાસોલ અને જોર્ડનની એમએનજી કંપની વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ આ કુદરતી ખાતર માત્ર ને માત્ર ગુજકોમાસોલના માધ્યમથી જ સમગ્ર દેશના ખેડૂતોને પહોંચાડવામાં આવશે
  • એક એકર જમીનમાં પચાસ કિલો ત્રિદેવ નાખવાથી મગફળીના ફૂલોનો વિકાસ સારો થાય છે અને મગફળીના દાણાનું કદ મોટું થાય છે.
  • ડાંગર પર કરેલા અખતરાને અંતે જોવા મળ્યું હતું કે એક હેક્ટર જમીનમાં 8347 કિલો ડાંગર થઈ હતી.
  • એમએનજીના ખાતરનો ઉપયોગ કરીને ઘઉંની ખેતી કરવામાં આવતા મૂળનો વિકાસ થાય ત્યારથી જ ફરક દેખાવા માંડયો અને મૂળ વધુ આવતા ઘઉંની તન્દુરસ્તી સુધરી ગઈ હતી
  • એમએનજી ક્લાસિક પ્લસ છોડના પાન પર તેનો છંટકાવ કરવાથી તેના પોષક તત્વો પૂરા છોડના કોશમાં પહોંચી જાય છે
  • એમએનજીના કુદરતી ખાતરથી ખેતી કરવાને પરિણામે બટાકાના કદમાં 30થી 40 ટકા જેટલો વધારો થઈ ગયો હોવાનું જોવા મળ્યું

જોર્ડનની કંપની એમએનજીના પ્રોડક્ટ્સના પ્રોડક્ટ્સની આયાત કરીને કુદરતી ખેતી કરનારા ખેડૂતોને પહોંચાડવાનું આયોજન ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજકોમાસોલ અને જોર્ડનની એમએનજી કંપની વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ આ કુદરતી ખાતર માત્ર ને માત્ર ગુજકોમાસોલના માધ્યમથી જ સમગ્ર દેશના ખેડૂતોને પહોંચાડવામાં આવશે. પરિણામે ગુજકોમાસોલની આવકમાં વધારો થશે. તેનો સીધો લાભ તેના સભાસદોને ડિવિડંડના સ્વરૂપમાં મળશે, એમ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતું. ગુજકોમાસોલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દિનેશ સુથારનું કહેવું છે કે આગામી થોડા અઠવાડિયાઓમાં ગુજકોમાસોલના દરેક સેન્ટર અને કૃષિ સહકારી મંડળીઓના માધ્યમથી એમએનજીનુ કુદરતી ખાતર રાસાયણિક ખાતરથી પણ ઓછા દામે મળતું થઈ જશે.

હવે આપણે એમએનજીના કુદરતી ખનીજોમાંથી તૈયાર કરવામાં આવેલા ખાતરની અસરોને જાણવા થોડા ઊંડા ઉતરીએ. તેનાથી કયા પાકને કેટલો લાભ થયો તેની સમજણ મેળવીએ. વિદેશમાં મળેલા પરિણામો પર વિશ્વાસ કરીને સમજૂતી કરાર નથી કરવામાં આવ્યા. એમએનજીના કુદરતી ખાતરના ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક વરસ સુધી અખતરા કરીને આપેલા અહેવાલનો અભ્યાસ કરીને અને કુદરતી ખનીજોમાંથી બનતા પ્રાકૃતિક ખાતરના મળતા પરિણામોની ચકાસણી કરીને એમએનજી કંપનીના પ્રોડક્ટ્સ અસરકારક અને પ્રભાવક હોવાની હકીકતને સમર્થન આપ્યું તે પછી કરાર કરવામાં આવ્યા હોવાનું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ડાંગર, ઘઉં, બટાકા, મકાઈ, શક્કરિયા, સનફ્લાવર, રાયડો પર કરેલા અખતરાઓ સફળ રહ્યા છે. તદુપરાંત અન્ય પાક, શાકભાજી અને બોર તથા અન્ય પ્લાન્ટ્સ પર તેના અખતરાઓ કર્યા છે.

મગફળી

આણંદ કૃષિ યુનિવર્સિટીએ મગફળીના પાક પર કરેલા અખતરામાં જોવા મળ્યું છે કે તેના ફૂલોનોવિકાસ બહુ જ સારો થાય છે. તેની અંદરની ફળીનું કદ મોટું હોવાનું જોવા મળ્ છે. એક હેક્ટર જમીનમાં 50 કિલોની એક બોરી કામ પૂરું કરી શકે છે. મગફળીના એક એકરના ખેતરમાં માત્ર 50 કિલો ત્રિદેવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ એક એકરે માત્ર એક થેલી ખાતરનો જ વપરાશ થાય છે.

ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને ડીસા, મહેસાણા, પાલનપુર જેવા વિસ્તારોમાં, જ્યાં બટાકાનું મોટા પાયે ઉત્પાદન થાય છે. તેથી જ અમે આ પ્રયોગ બટાકામાં પણ કરવાનો છે. તમે બટાકામાં આ જોઈ શકો છો. ઉપર બતાવેલો બટાકો સામાન્ય રીતે ઉગાડેલો છે. એમએનજી ખાતરથી ઉગાડેલા બટાકાનું કદ મોટું રહેતું હોવાનું જોવા મળે છે. રશિયામાં બટાટાની ખેતી પર જોર્ડનની એમએનસીના કુદરતી ખાતરનો અખતરો કરવામાં આવ્યો હતો. તેને પરિણામે ઉપજમાં અંદાજે 22.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એક હેક્ટર જમીનમાં અંદાજે 2 કિલો ખાતર નાંખવું પડે છે. સોઈલ ટેસ્ટ કરાવ્યા પછી કયા તત્વો ખૂટે છે તે જોઈને પછી કયું ખાતર ઉપયોગમાં લઈ શકાય તેનો નિર્ણય લેવામાં આવે છે. બહુધા દરેક ખાતર દરેક પાકમાં વાપરી શકાય છે.

શક્કરિયાની ઉપજ 27 ટકા વધી

શક્કરિયા પર પણ એમએનજીના કુદરતી ખાતરનો ઉપયોગ કર્યા પછી શક્કરિયાની ઉપજમાં અંદાજે 23.6 ટકાનો વધારો થયોછે. તેમાં સુગરનું કન્ટેન્ટ 5 ટકા વધારે હોવાનું જોવા મળ્યું છે. પરિણામે હેક્ટરદીઠ ઊપજ પર અંદાજે 27.3 ટકા વધારે મળ્યો છે.શક્કરિયાના નોર્મલ છોડ કરતાં એમએનજી નાખીને પકવેલા શક્કરિયાનો છોડ લગભગ 50 ટકા મોટો થતો હોવાનુો જોવા મળ્યું છે. એક હેક્ટર જમીનમા માત્ર અઢી કિલો ખાતર નાખવું પડે છે.

ડાંગર પર કરેલા અખતરાનો પરિણામો

ડાંગર પર ભારતની બહાર ફિલિપિન્સમાં ડાંગર પર કરેલા અખતરાને અંતે જોવા મળ્યું હતું કે એક હેક્ટર જમીનમાં 8347 કિલો ડાંગર થઈ હતી. આ પાક લીધા પછી તેમણએ અવલોકન કર્યું છે કે એમએનજીના ખાતરનો ઉપયોગ કરીને ડાંગરનો પાક લેવામાં આવતા ડાંગરને ખરાબ કરતી જીવાતો તેના પર આક્રમણ કરી શક્તિ નથી. આમ એમએનજીના ખાતરને કારણએ જમીન વધુ કસયુક્ત બની હતી. તેમ જ ડાંગરની કંઠીના પાન વધુ સશક્ત બન્યા હતા. ડાંગરની કંઠીના પાનનો રંગ પણ સુધર્યો હતો. ડાંગરની કંઠીનો વિકાસ પણ મજબૂત રહ્યો હતો. એમએનજીના ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની માટીની તન્દુરસ્તી એટલી સુધરી જાય છે કે તેને પરિણામે જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરવો પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પણ ઊભી થતી નથી. હા, તેને માટે વધારે પડતાં ખાતરનો પણ ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. તમને સાંભળીને નવાઈ લાગશે કે એક હેક્ટર જમીનમાં ત્રણ વાર આ ખાતર નાખવું પડે છે. ત્રણવારમાં માત્ર બે કિલો ખાતરનો જ વપરાશ થાય છે. આ ખાતરનો છોડના પાંદડાં પર છંટકાવ કરીને પણ છોડને પોષણ આપી શકાય છે. આમ એમએનજીના કુદરતી ખાતર સોઈલ કન્ડિશનર છે. તેમ જ હર્બિસાઈડ સ્પ્રે પણ છે.

ઘઉંનો છોડ તન્દુરસ્ત બન્યો, રોગપ્રતિકારક શક્તિ વધી

શિયાળુ ઘઉંના પાક પર પણ દેશની બહાર રોમાનિયાના જિમ્બોલિયામાં કરવામાં આવેલા અખતરામાં જોવા મળ્યું છે કે મૂળનો વિકાસ થાય ત્યારથી જ ફરક દેખાવા માંડે છે. તેના મૂળ વધુ આવે છે. તેથી ઘઉંની તન્દુરસ્તી સુધરતી જોવા મળી છે. પરિણામે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ વધુ કરવો પડ્યો જ નથી. ઘઉંના પાક માટે એમએનજી ક્લાસિક પ્લસનો ઉપયોગ કરી શકાય છે. એમએનજી ક્લાસિક પ્લસ છોડને તન્દુરસ્ત રાખવા ઉપરાંત ઉત્પાદનમાં વધારો કરે છે. તેમ જ એમએનજી ક્લાસિક પ્લસ છોડના પાન પર તેનો છંટકાવ કરવાથી તેના પોષક તત્વો પૂરા છોડના કોશમાં પહોંચી જાય છે. આમ પોષક તત્વોનો પણ છોડના વિકાસ માટે મહત્તમ ઉપયોગ થતો જોવા મળે છે. તેનાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને વધુ વેગ મળે છે. છોડનો વિકાસ સારો થાય છે. જમીનની તન્દુરસ્તી સુધારીને ખેતી માટે ઉપયોગી બેક્ટેરિયાના વિકાસ અને તન્દુરસ્તીમાં પણ વધારો કરી આપે છે. આ તમામને અંતે તૈયાર થતા પાકની ગુણવત્તા પણ ઉત્તમ હોવાનું જોવા મળ્યું છે. આ કુદરતી ખાતરનો ઉપયોગ માત્ર ને માત્ર છોડ પર છંટકાવ કરીને જ કરવાનો છે.

એક્વાસેવઃ ઓછા પાણીથી ખેતી કરાવતું ખાતર

એક્વોસેવ નામની પ્રોડક્ટ્સને જળરક્ષક તરીકે પણ ઓળખાવી શકાય તેવું છે. જમીનમાં પાણીનો સંગ્રહ વધારે છે. એક્વાસેવનો છંટકાવ કર્યા પછી 60 ટકા જળ જમીનમાં સચવાઈ રહેશે. છોડને જરૂર પડે ત્યારે તે જળ છોડને માટે મુક્ત કરે છે. આ વરસે ચોમાસું નબળું રહેવાના સંકેત મળી રહ્યા છે ત્યારે આ પ્રોડક્ટ્સ બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એક્વાસેવમાં કોઈ જ રસાયણ નથી. તેથી આ ખાતર પાણીમાં મિક્સ કરીને માનવ તે શરબત તરીકે પી શકે છે. તેનાથી માનવ આરોગ્યને કોઈ જ હાનિ થતી નથી. તેથી પાકને કોઈ નુકસાન થવાનો સવાલ જ ઊભો થતો નથી. આ ભૂમિગત ખનીજોમાંથી બનાવેલું એક પ્રાકૃતિક પ્રોડટ્સ છે. જમીનની માટે પર છંટકાવ કરવાનો હોય છે. છોડ પર પણ તેના પાવડરનો છંટકાવ કરી શકાય છે. એક્વાસેવ છ ટકા પાણીનો સંગ્રહ કરીને સાચવી શકે છે.

બોરોન યુક્ત ફાલરત્ન

અન્ય એક પ્રોડક્ટ ફાલરત્ન છે. તેમાં આઠ જેટલા માઈક્રો ન્યુટ્રીઅન્ટ્સ છે. ભારતમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા જ ન્યુટ્રીઅન્ટ્સનો વધુ ઉપયોગ થતો હોવાનું જોવા મળે છે. ભારતના ખેડૂતો માઈક્રો ન્યુટ્રીઅન્ટ્સ આપવા પર વધુ ફોકસ કરતાં જ નથી. બોરોન યુક્ત આ ખાતરને ફળરત્ન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એમએનજી બોરોન તરીકે તેનું માર્કેટિંગ થશે.  પ્રકૃતિમાં આવતા દરેક પરિવર્તનથી પ્રભાવિત થતાં સંવેદનશીલ છોડવાઓને પરિવર્તનનો પ્રતિકાર કરવાની ક્ષમતા એમએનજી બોરનમાં છે. એમએનજી બોરોનથી ફ્લાવરિંગ એટલે કે છોડ પર ફૂલ વધુ સંખ્યામાં બેસે છે. પાકનું ઉત્પાદન વધારે છે. છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમાં ફ્લુરિક એસિડ હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે. તેમ જ પોષક તત્વો છોડના વિકાસ માટે શોષવાની પ્રક્રિયા પણ વધુ સંગીન રીતે થાય છે. એમએનજી બોરોનમાંના કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ન્યુક્લિરિક છોડની ચયાપચયની પ્રક્રિયાને વધુ સંગીન બનાવીને ઉપજની ગુણવત્તા અને સ્વાદમાં સુધારો કરે છે. છોડ ફૂલ બેસતા પહેલા જ તેનો છંટકાવ કરવાનો હોય છે.

સર્વગુણ

ગુજકોમાસોલ દ્વારા બજારમાં મૂકવામાં આવનારું કુદરતી ખાતરનું ત્રીજું પ્રોડક્ટ્સ સર્વગુણ છે. સર્વગુણ પ્લાન્ટને મજબૂતી આપે છે. તેની શાખા પ્રશાખાઓના વિકાસને વેગ મળે છે. છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાયના પ્રોડક્ટ્સનું નામ ત્રિદેવ છે. તેમાં કેલ્સિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરથી ભરપૂર માત્રામાં હોય છે. માટીની ક્ષમતામાં કે કસમાં વધારો કરે છે.  લોહ શક્તિ અન્ય એક પ્રોડક્ટ છે. તેમાં ભરપૂર માત્રામાં લોહ તત્વે છે. લોહતત્વની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. ઉત્પાદનમાં વધારો કરે છે. ક્લાઈમેટ ચેન્જના માહોલમાં છોડને ટકાવી રાખવામાં મદદ કરે છે.  હરિયાળી નામની પ્રોડક્ટ્સ છોડને જોઈતું મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં ધરાવે છે. રોપાના વિકાસને મજબૂત બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને વેગ આપે છે.

સુરજમુખી

રશિયામાં સુરજમુખીના પાક પર જોર્ડનની એમએનજીના કુદરતી ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિણામે ઉપજમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એક હેક્ટર જમીનમાં ત્રણ વાર બે બે કિલો ખાતર નાખવું પડે છે. પાંચ હેક્ટર જમીનમાં તેના અખતરાઓ કરવામાં આવ્યા હતા. ભારત અને ગુજરાતમાં માત્ર દસ બાય દસ ફૂડની કે વાર જગ્યામાં તેના અખતરાઓ કરવામાં આવે છે.

રાયડાના ઉત્પાદનમાં 36 ટકાનો વધારો થયો

રાયડાના પાક પર કરવામાં આવેલા અખતરા પછી ઉપજમાં અદાજે 36.5 ટકાનો વધારો જોવામ મળ્યો હતો. એક હેક્ટરે 5100 કિલો રાઈને બદલે 6964 કિલો રાઈનું ઉત્પાદન થયું હતું. આમ હેક્ટરદીઠ  નફામાં અંદાજે એક લાખ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. એમએનજીના ખાતર નાખ્યા હોય તે ખેતરમાં રાઈના દાણા સામાન્ય કરતાં મોટા કદના નીકળ્યા હતા. રાઈના ખેડૂતે એક હેક્ટર જમીનમાં માત્ર 1.5 કિલો ખાતર એક જ વાર નાખવું પડે છે.

કોફીનો છોડ એક મહિનો વહેલો તૈયાર થઈ ગયો

કોફીના પાક પર પણ એમએનજીના ખાતરનો અખતરો ક્રયા પછી છોડનો વિકાસ ચારથી પાંચ મહિનામાં જ ખાસ્સો થઈ ગયો હતો. સામાન્ય રીતે તેને તૈયાર થતાં છ માસથી વધુ સમય લાગે છે. કોફીના પ્લાન્ટ પર નર્સરીમાં કરવામાં આવેલા અખતરાઓમાં જ આ પુરવાર થયું છે.

શેરડીના પાકમાં 24 ટકાનો વધારો થયો

શેરડીના પાક માટે પણ એમએનજીનો કુદરતી ખાતરથી પાક લેવો લાભદાયી સાબિત થઈ શકે છે. શેરડીના કદમાં વધઆરો થાય છે. તેમ જ તેની જાડાઈ પણ વધે છે. જર્મનીમાં કરવામાં  આવેલા અખતરામાં પાકના ઉતારામાં 24 ટકા સુધીનો વધારો આવ્યો હતો. એમએનજી જોર્ડનના ખાતરોના લાભ કેમિકલ ખાતરો કરતાં વધુ સારા છે, કારણ કે તેઓ જમીનને પ્રદૂષિત કરતા નથી. જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો, જે ખેતીમાં મદદરૂપ થાય છે, તેમની સંખ્યામાં પણ વધારો થાય છે. ઉદાહરણ તરીકે, શેરડીમાં ભેજમાં વધારો થાય છે, અને પાણીમાં કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય છે, જે પાણી શેરડી સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. રાસાયણિક ખાતરથી ઉગાડવામાં આવેલા ફળો ઘણાં ઓછા ટકાઉ હોય છે. અને બજારમાં પહોંચે એ પહેલાં જ સડવા લાગે છે. બીજની ગુણવત્તાના કારણે ઘણું નુકસાન સહન કરવું પડે છે.

કાકડીનું ઉત્પાદન 22 ટકા વધ્યું

કાકડીના પાક લેનારા ખેડૂતોએ પણ એમએનજીના ખાતરના અખતરા કરીને પરિણામ જાણવાની કોશિશ કરી છે. એક હેક્ટરમાં કાકડીની ઉપજમાં અદાજે 17.6થી 22.9 ટકાનો વધારો થયો છે. જમીનમાં 50 ટકા ઓછું ખાતર નાખવું પડ્યું હતું. કાકડીમાં સુગરનું પ્રમાણ નોર્મલ કરતાં વધારે જોવા મળ્યું હતું. કાકડીની ગુણવત્તા અને કદ પર નોર્મલ કરતાં સારા હોવાનું જોવામળ્યું હતું. કાકડીના છોડ પણ નોર્મલ કરતાં વધુ તન્દુરસ્ત હોવાનું જોવા મળ્યું હતું. કાકડીની ખેતી કરનારા ખેડૂતે એક હેક્ટર જમીનમાં છ વાર દોઢ દોઢ કિલો ખાતર નાખવું પડે છે. આમ એક વાર પાક લેવામ માટે કૂલ 9 કિલોની આસપાસ ખાતર વપરાય છે.

ચેરી દસ દિવસ વહેલી તૈયાર થઈ ગઈ

ચેરી પર કરવામાં આવેલા અખતરામાં જાણવા મળ્યું હતું કે ચેરી 10 દિવસ વહેલી તૈયાર થઈ ગઈ હતી. ચેરીના ટેસ્ટમાં સુધારો આવ્યો હતો.  એમએનજીના ખાતરનો ઉપયોગ ગોલ્ફકોર્સ તૈયાર કરવા માટે, ફૂટબોલની પીચ તૈયાર કરવા માટે, રગ્બિનું મેદાન તૈયાર કરવા માેટ તથા બગીચા બનાવવા માટે પણ કરવામાં આવે છે.

રાસાયણિક ખાતરના જોખમોથી મુક્તિ

છેલ્લા કેટલાક વર્ષોમાં એવું સાબિત થયું છે કે દરેક ચોથા ઘરમાં કેન્સરના દર્દી છે. રાસાયણિક ખાતરથી કરાતી ખેતીએ આ નોબત લાવી દીધી છે. હવે જોર્ડનની કંપની પાસેથી કુદરતી ખનીજોમાંથી મેળવેલું ખાતર મળશે. તેનો ઉપયોગ ટકાઉ અને સ્વાસ્થ્ય વર્ધક ખેતીના સાધન તરીકે થશે. તેનાથી તૈયાર થનારા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ખેડૂતો માટે વિશેષ આવકનો સ્ત્રોત બનશે.

Read Previous

કરદાતાએ હવે ફ્યુચર એન્ડ ઓપ્શનના ટ્રેડિંગ અને ઇન્ટ્રાડે ટ્રેડનો ટર્નઓવરની વિગતો આવકવેરા રિટર્નમાં અલગથી દર્શાવવીપડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular