• 19 June, 2026 - 12:18 PM

સરકારે નાણાકીય વર્ષ ૨૬ માટે EPF પર ૮.૨૫ ટકા વ્યાજ દરને મંજૂરી આપી

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર ૮.૨૫% વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૬ માટે ૮.૨૫% EPF વ્યાજ દરને મંજૂરી આપી; આ મહિને ૭ કરોડ સભ્યોને ચૂકવણી મળશે

નાણા મંત્રાલયે ૨૦૨૫-૨૬ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર ૮.૨૫% વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. આ વ્યાજ આ મહિને ૭ કરોડથી વધુ ફાળો આપતા સભ્યોના ખાતામાં જમા કરવામાં આવશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ આ વર્ષે માર્ચમાં ૨૦૨૫-૨૬ માટે ૮.૨૫ ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો. નાણાકીય વર્ષ ૨૪ માં, EPFO એ વ્યાજ દર અગાઉના વર્ષના ૮.૧૫ ટકા થી વધારીને ૮.૨૫ ટકા કર્યો હતો. નાણાકીય વર્ષ ૨૨ માં વ્યાજ દર ચાર દાયકાના સૌથી નીચલા સ્તરે ૮.૧ ટકા પર આવી ગયો હતો. આ નિવૃત્તિ ફંડ સંસ્થા તેની કુલ સંપત્તિના ૬૭.૫ ટકા સરકારી સિક્યોરિટીઝમાં, ૨૦.૩૪ ટકા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, ૧.૯2 ટકા ટૂંકા ગાળાના ડેટમાં અને લગભગ ૧૦.૨૩ ટકા ઇક્વિટીમાં રોકાણ કરે છે.

હાલમાં, EPFO દ્વારા ઓફર કરવામાં આવતો વ્યાજ દર તમામ ડેટ-ઓરિએન્ટેડ (વ્યાજ આધારિત) ઉત્પાદનોમાં સૌથી વધુ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક વર્ષથી બે વર્ષથી ઓછા સમયની થાપણો માટે ૬.૨૫ ટકા ઓફર કરી રહી છે, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ વાર્ષિક ૮.૨ ટકા અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) વાર્ષિક ૭.૧ ટકા ઓફર કરે છે.

જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ EPF માં ફાડા પર વર્ષે ૧,૫૦,૦૦૦ રૂપિયા સુધીની ટેક્સ મુક્તિ મળે છે. વ્યાજની રકમ ટેક્સ ફ્રી છે. જો કે, જો કર્મચારીનો ફાળો વર્ષમાં ૨.૫ લાખ રૂપિયાથી વધુ હોય, તો વધારાની રકમ પર મળતું વ્યાજ કરપાત્ર બને છે. અગાઉ, શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, EPFO એ મજબૂત નાણાકીય શિસ્ત જાળવી રાખી છે, અને વ્યાજ સસ્પેન્સ એકાઉન્ટ પર બોજ નાખ્યા વિના સ્થિર અને સ્પર્ધાત્મક વળતર આપ્યું છે. ૮.૨૫ ટકા વ્યાજ દરે, EPFO ને નાણાકીય વર્ષ ૨૬ માં ૯૪૪ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular