ચેરિટેબલ ટ્રસ્ટની કલમ ૧૨એ ને કલમ ૮૦જીની મંજૂરી માટેની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે કમિશનરે રિજેક્ટ કરેલી ૪૫૦ ફરી નિર્ણય લેવા મોકલી

અમદાવાદ અને સુરતની મળીને એક સામટી ૪૦૦ જેટલી અરજીઓ અંગે નવેસરથી વિચારણાં કરી નિર્ણય લેવા જણાવવામાં આવ્યું
અમદાવાદના આવકવેરા કમિશનર એક્ઝમ્પશન ચેરિટેબલ ટ્રસ્ટોએ કરેલી ચેરીટેબલ ટ્રસ્ટ એક્ટની કલમ ૧૨એ અને આવકવેરા ધારાની કલમ ૮૦-જીની મંજૂરી માટેની અરજીઓ રિજેક્ટ કરી દીધા પછી આવકવેરાની એપેલેટ ટ્રિબ્યુનલમાં ગયેલા ૪૫૦ જેટલી અરજીઓ નવેસરથી વિચારણા કરવા માટે આવકવેરાની એપેલેટ ટ્રિબ્યુનલે મોકલી આપી છે. મોટી સંખ્યામાં અપીલ આવતા આવકવેરાની એપેલેટ ટ્રિબ્યુનલના વાઈસ પ્રેસિડન્ટ બી.આર.આર. કુમારે તમામ અરજીઓ અંગે નવેસરથી વિચારણા કરીન ેનિર્ણય લેવા માટે અમદાવાદના આવકવેરા કમિશનર-એક્ઝમ્પશનને મોકલી આપી છે.
ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટની કલમ ૧૨-એ હેઠળ ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે અરજી કરવામાં આવે છે. તેમ જ આવકવેરા ધારાની કલમ ૮૦ – જી હેઠળ ટ્રસ્ટને મળતા ડોનેશનની રકમ આવકમાંથી પૂર્ણપણે બાદ આપવાની માન્યતા આપવા માટેની અરજી કરવામાં આવે છે. આ બંને માગણીઓ સાથેની સેંકડો અરજીઓ આવકવેરા કમિશનર એક્ઝમ્શને નકારી કાઢી હતી. પરંતુ આ તમામ અરજીઓ અંગે એક સામટી સુનાવણી બે દિવસ પહેલા યોજીના આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલના વાઈસ પ્રેસિડન્ટ બી.આર.આર. કુમારે તમામ અરજીઓ અંગે નવેસરથી વિચારણા કરીને નિર્ણય લેવા માટે આવકવેરા કમિશનર એક્ઝમ્શનને મોકલી આપી છે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડનું કહેવું છે.
ગુજરાતમાં અંદાજે ૫૦,૦૦૦થી વધુ ચેરિટેબલ ટ્રસ્ટો છે. તેમણે તેમના રજિસ્ટ્રેશનના રિન્યુઅલ માટે પણ અરજી કરવી પડે છે. વેરા માફી માટે ૮૦-જીની મંજૂરી માટે પણ અરજી કરવી પડે છે. આવકવેરાના એક્ઝમ્શન કમિશનરે આ અંગે છ મહિનાની સમયમર્યાદામાં નિર્ણય લેવાનો આવે છે. પરંતુ તેઓ છેલ્લી ઘડીએ આ અરજીઓ રદ કરી દેતા હોવાથી સંખ્યાબંધ ટ્રસ્ટોએ એપેલેટ ટ્રિબ્યુનલમાં જવું પડી રહ્યું છે.આ રીતે સેંકડો ટ્રસ્ટોની અરજીએ રદ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાંથી ૫૦૦થી ૧૦૦૦ લોકો એપેલેટ ટ્રિબ્યુનલમાં ગયા હતા. આ તમામ કેસોમાં ગઈકાલે સાગમટે સુનાવણી યોજીને પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતભરના ટ્રસ્ટોએ ૧૨-એ અને ૮૦-જીની મંજૂરી લેવા માટે અમદાવાદ જ આવવું પડતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાસ્તવમાં આવકવેરા કમિશનરના અરજીઓ અંગે પુખ્ત વિચારણા કર્યા વિના રિજેક્ટ કરી દેવાના વલણને પરિણામે ચેરિટેબલ ટ્રસ્ટોએ એપેલેટ ટ્રિબ્યુનલમાં જવા માટે સરેરાશ રૃા. ૨૫૦૦૦થી માંડીને રૃા.૧ લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. તેમાં વકીલ ફીનો પણ સમાવેશ થાય છે. કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો પણ ખર્ચ થાય છે.તદુપરાંત તેમણે હેરાનગતિનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
