• 29 August, 2026 - 9:18 AM

ભારતની મૂન રેસ: હવે ચંદ્ર પર રોકાણ કરવા માટેની કવાયત શરૂઃ સહિયારા સાહસ માટે અમેરિકાનું ભારતને આમંત્રણ

ભારતની મૂન રેસ: હવે ચંદ્ર પર વસવાટ કરવાની કવાયત શરૂ

ઓગસ્ટ 5-6 ના રોજ બેંગલુરુમાં આયોજિત નવમી ઇન્ડિયા-યુએસ એટલે કે ભારત અને અમેરિકા વચ્ચેની સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠકમાં  ભારતને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ગગનયાન ભારતને લોકોને અવકાશમાં મોકલતા શીખવી રહ્યું છે; સ્પેસ સ્ટેશન તેમને ત્યાં ટકાવી રાખતા શીખવશે. ચંદ્ર પર બેઝ (આધાર) બનાવવો એ હવે પછીનું તાર્કિક પગલું હોઈ શકે છે.જ

ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડ થયું હતું, જેનાથી ભારત આ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ હાંસલ કરનાર પ્રથમ દેશ બન્યો હતો.

ભારત દ્વારા 2008માં લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-1 એ ચંદ્રના કાયમી ધોરણે છાયા ધરાવતા ધ્રુવીય પ્રદેશોમાં બરફના સ્વરૂપમાં પાણીના પુરાવા શોધ્યા હતા. પંદર વર્ષ પછી, ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડ થયું, જેનાથી ભારત આ મુશ્કેલ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ મેળવનાર પ્રથમ દેશ બન્યો છે. હવે ચાલી રહેલી મૂન રેસ માત્ર ત્યાં પહોંચવા વિશે નથી. પરંતુ  ચંદ્ર પર રોકાણ કરવા માટેની છે.

ભારતની વધતી જતી ચંદ્ર પર જવાની સતત વધી રહેલી ક્ષમતાઓનો અર્થ એ છે કે તે હવે માત્ર આ રેસ જોઈ નથી રહ્યું. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા – NASA)એ ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ઇસરોને તેના મૂન બેઝ પ્રોગામમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. ઓગસ્ટ 5-6 ના રોજ બેંગલુરુમાં આયોજિત નવમી ઇન્ડિયા-યુએસ એટલે કે ભારત અને અમેરિકા વચ્ચેની સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠકમાં આ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે તેની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે: નાસાએ નિર્દિષ્ટ કર્યું નથી કે ઇસરો શું બનાવી શકે છે અથવા ફંડ આપી શકે છે, અને ભારતે જાહેરમાં આ માળખાના ચોક્કસ ભાગ માટે વચન આપ્યું નથી.

આ એક મહત્વપૂર્ણ આમંત્રણ છે, પરંતુ હજુ સુધી કોઈ જ કરાર થયા નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવનું આકર્ષણ તેના અંધકારમાં રહેલું છે. કેટલાક ક્રેટર્સ (ખડ્ડાઓ) ક્યારેય સૂર્યપ્રકાશ જોતા નથી અને અબજો વર્ષોથી અત્યંત ઠંડા રહ્યા છે, જે એવી પરિસ્થિતિઓ બનાવે છે જે પાણીના બરફને જાળવી શકે છે. તે પાણી એક દિવસ એસ્ટ્રોનોટ્સ માટે પીવાનું પાણી અને ઓક્સિજન પૂરું પાડી શકે છે અથવા હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત થયા પછી, સંભવિતપણે રોકેટ ઇંધણ બની શકે છે. તે ચંદ્રનો અર્થ બદલી નાખે છે. માત્ર એક વૈજ્ઞાનિક ચોકી નહીં, પરંતુ એક પ્રયોગશાળા, એક સંસાધન ડેપો અને અવકાશમાં આગળ વધવા માટેનું એક પ્લેટફોર્મ (સ્પ્રિંગબોર્ડ) પૂરું પાડે છે.

ચંદ્રની મુલાકાત લેવી અને ત્યાં રોકાવું એ ખૂબ જ અલગ સમસ્યાઓ છે. એક ટૂંકું મિશન તેની જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ સાથે લઈ જાય છે. પરંતુ એક બેઝે તેના રહેવાસીઓને જે જરૂર છે તે બનાવવું અથવા રિસાયકલ કરવું પડે છે, પાવર અને કોમ્યુનિકેશન્સ ચાલુ રાખવા પડે છે, અને રોબોટ્સ અને લાઈફ-સપોર્ટ સિસ્ટમ્સ પર આધાર રાખવો પડે છે જે વર્ષો સુધી કામ કરી શકે. ત્યાં કોઈ શ્વાસ લેવા યોગ્ય વાતાવરણ નથી, રેડિયેશન એ એક મોટો ખતરો છે, તાપમાન અત્યંત તીવ્ર હોય છે, અને ધૂળ મશીનરીને નુકસાન પહોંચાડી શકે છે. દક્ષિણ ધ્રુવ નજીક, ઊંડા ખાડા, સીધા ઢોળાવ અને અંધકારનો લાંબો સમયગાળો આવા મિશનને વધુ કઠિન બનાવે છે.

ભારતીય અંતરિક્ષ સ્ટેશન આવે છે, જેનું પ્રથમ મોડ્યુલ 2028 માટે લક્ષ્યાંકિત છે અને સ્ટેશન 2035 સુધીમાં સ્થાપિત કરવાનું આયોજન છે. ભારતે 2040 સુધીમાં ભારતીય એસ્ટ્રોનોટને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે

એટલા માટે આમંત્રણ મહત્વનું છે. ચંદ્રયાન-3 એ દર્શાવ્યું કે ભારત આ વિસ્તારમાં સુરક્ષિત રીતે લેન્ડ કરી શકે છે. ચંદ્રયાન-4 ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરવા અને પરત લાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યારે જાપાન સાથેની ભાગીદારીમાં લુનાર પોલર એક્સપ્લોરેશન (જેને ચંદ્રયાન-5 પણ કહેવાય છે) ધ્રુવીય વાતાવરણ અને સંસાધનોની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાસાના પ્રોગ્રામમાં મોટી ભૂમિકા આ પ્રયાસોને વ્યાપક મંચ આપી શકે છે, જેનાથી ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોબોટિક્સ, નેવિગેશન, પાવર અને રિસોર્સ સિસ્ટમ્સ પર કામ કરવાની તક મળશે જે કાયમી આઉટપોસ્ટ માટે જરૂરી છે.

ભારતનો હ્યુમન-સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ પણ આમાં યોગદાન આપે છે. ગગનયાન એ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવસહિત સ્પેસફ્લાઇટ પ્રદર્શિત કરવા માટે છે. ત્યાર બાદ ભારતીય અંતરિક્ષ સ્ટેશન આવે છે, જેનું પ્રથમ મોડ્યુલ 2028 માટે લક્ષ્યાંકિત છે અને સ્ટેશન 2035 સુધીમાં સ્થાપિત કરવાનું આયોજન છે. ભારતે 2040 સુધીમાં ભારતીય એસ્ટ્રોનોટને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. અંતરિક્ષ સ્ટેશન એ જગ્યા છે જ્યાં ભારત ઘરથી દૂર લોકોને જીવંત રાખવાનું, ડ્રાઇવિંગ ડાકિંગ, લાઇફ સપોર્ટ અને ઇમરજન્સી મેનેજ કરવાનું શીખશે. ચંદ્ર ભૂલની ઓછી શક્યતા સાથે આ કૌશલ્યોની માંગ કરશે. નાસાનો અનુભવ તે શીખવાની પ્રક્રિયાને ટૂંકી કરી શકે છે. તેમાં નાણાં બનાવવાની તક પણ છે. લુનાર ઇકોનોમીને સેન્સર્સ, રોબોટિક્સ, કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને સ્પેશિયલાઇઝ્ડ મટિરિયલ્સની જરૂર પડશે. ભારતનું વધતું જતું ખાનગી અવકાશ ક્ષેત્ર તે સપ્લાય ચેઇનમાં જોડાઈ શકે છે.

પરંતુ નવી દિલ્હીએ માત્ર સપ્લાયર બનવાથી બચવું જોઈએ. ધ્યેય ક્ષમતા બનાવવાનો હોવો જોઈએ, માત્ર સબકોન્ટ્રેક્ટર બનવાનો નહીં. ત્યાં જ ચીનની પ્રગતિને અવગણવી અશક્ય છે. ચાંગ’ઈ-4 એ 2019 માં ચંદ્રની બીજી બાજુ (ફાર સાઈડ) પર પ્રથમ લેન્ડિંગ હાંસલ કર્યું હતું. ચાંગ’ઈ-5 એ 2020 માં ચંદ્રના નમૂનાઓ પાછા લાવ્યા, અને ચાંગ’ઈ-6 એ 2024 માં ચંદ્રની બીજી બાજુથી એકત્રિત કરાયેલા પ્રથમ નમૂનાઓ પાછા લાવ્યા. ચીને 2022 થી સતત માનવસહિત સ્પેસ સ્ટેશન ‘તિયાંગોંગ’ પણ જાળવી રાખ્યું છે, જે તેને લાંબા સમયગાળાના સ્પેસફ્લાઇટનો વર્ષોનો અનુભવ આપે છે જેની તરફ ભારત હજુ પણ આગળ વધી રહ્યું છે. બેઇજિંગ 2030 પહેલા માનવસહિત ચંદ્ર લેન્ડિંગનું આયોજન કરી રહ્યું છે અને તે તેના પોતાના આંતરરાષ્ટ્રીય લુનાર રિસર્ચ સ્ટેશનનો વિકાસ કરી રહ્યું છે. ચાંગ’ઈ-7 નો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કરવાનો છે, જેમાં તેના પાણી-બરફના સંસાધનો પણ સામેલ છે.

ચંદ્ર કદાચ યુદ્ધભૂમિ નહીં બને, પરંતુ જે કોઈ તેનું પ્રારંભિક માળખું બનાવશે તે આગળ આવનારી બાબતોને આકાર આપતા ધોરણો અને પદ્ધતિઓમાં કહેવા માટે સક્ષમ હશે.

સાચી વાર્તા ચીનની વ્યક્તિગત સિદ્ધિઓ નથી પરંતુ તેમને જોડતી સાંકળ છે. રોબોટિક સંશોધન, સેમ્પલ રિટર્ન, હ્યુમન સ્પેસફ્લાઇટ, સ્પેસ સ્ટેશન અને હવે લુનાર બેઝ માટેની યોજનાઓ. ભારત આવી જ એક સાંકળ ભેગી કરી રહ્યું છે, જે પ્રક્રિયામાં માત્ર શરૂઆતના તબક્કામાં છે. નાસાનું આમંત્રણ તેને દરેક ભાગ એકલા બનાવ્યા વગર વધુ ઝડપથી આગળ વધવામાં મદદ કરી શકે છે. આમાં ભૌગોલિક રાજકીય પરિમાણ પણ છે. ચંદ્ર કદાચ યુદ્ધભૂમિ નહીં બને, પરંતુ જે કોઈ તેનું પ્રારંભિક માળખું બનાવશે તે આગળ આવનારી બાબતોને આકાર આપતા ધોરણો અને પદ્ધતિઓમાં કહેવા માટે સક્ષમ હશે. અમેરિકન આર્ટેમિસ દ્વારા એક ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે; ચીન બીજી. ભારતે પોતાના પ્રોગ્રામને આગળ ધપાવતા આર્ટેમિસ એકોર્ડ્સમાં જોડાણ કર્યું છે, જે તેને કામ કરવાની સ્વતંત્રતા આપે છે. તેણે ચીનને ચંદ્ર પર હરાવવાની કે અમેરિકનો પર નિર્ભર રહેવાની જરૂર નથી. તેને મહત્વ ધરાવવા માટે પૂરતી ક્ષમતા અને લાભ (લિવરેજ) ની જરૂર છે.

ચંદ્રયાન-1 એ પાણીના પુરાવા શોધ્યા. ચંદ્રયાન-3 એ દર્શાવ્યું કે ભારત દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડ કરી શકે છે. ગગનયાન ભારતને લોકોને અવકાશમાં મોકલતા શીખવી રહ્યું છે; સ્પેસ સ્ટેશન તેમને ત્યાં ટકાવી રાખતા શીખવશે. ચંદ્ર પર બેઝ બનાવવો હવે પછીનું તાર્કિક પગલું હોઈ શકે છે. ભારત માટે, વાસ્તવિક તક માત્ર ફરીથી ચંદ્ર સુધી પહોંચવાની નથી; દરેક વ્યક્તિએ ત્યાં પહોંચ્યા પછી શું થાય છે તેને આકાર આપવામાં મદદ કરવાની છે.

Read Previous

જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના નાના ઉદ્યોગોની નિકાસની વકરી રહેલી  સમસ્યાઓ 

Most Popular