• 4 September, 2026 - 7:05 AM

ઘસારાની અસ્વીકૃતિ બાદ પણ જો કરપાત્ર આવક ન થાય તો ચેરિટેબલ ટ્રસ્ટોને દં ડ ન થઈ શકેઃ ITAT

ઘસારાની અસ્વીકૃતિ બાદ પણ જો કરપાત્ર આવક ન થાય તો ચેરિટેબલ ટ્રસ્ટોને દં ડ ન થઈ શકેઃ ITAT

ITAT નો મહત્વપૂર્ણ ચુકાદો: આવકવેરા કલમ 270A હેઠળ દંડ ફટકારવા સામે ટ્રસ્ટોને મોટું રક્ષણ મળ્યું

કરવેરા અધિકારીઓની મનસ્વી રીતે દંડ ફટકારવાની ટેવ પર આ નિર્ણયથી લગામ લાગશે, જેથી ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટમાં અપીલોનું ભારણ ઘટશે.

અમદાવાદઃ દેશમાં સમાજસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવતા ચેરિટેબલ ટ્રસ્ટો માટે આવકવેરા અપીલેટ ટ્રિબ્યુનલે-આઈટીએટીએ  એક નવો અને અત્યંત મહત્વનો ચુકાદો આપીને તેમને આકવેરા ધારાની કલમ 270 હેઠળ થતાં દંડ સામે રક્ષણ આપ્યું છે. આવકવેરા અધિકારી ચેરિટેબલ ટ્રસ્ટના ઘસારાનો દાવો અમાન્સ્વીય કરે અને ટ્રસ્ટની કુલ કરપાત્ર આવક શૂન્ય રહેતી હોય અને વેરાને પાત્ર ન બનતી હોય, તો આવકવેરા કાયદાની કલમ 270A હેઠળ દંડ લાદી શકાય નહીં. આકારણી અધિકારીઓ ચેરિટેબલ ટ્રસ્ટને કુલ આવકના 200 ટકા સુધીનો દંડ કરી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી આવકવેરા કાયદામાં આવેલા ફેરફારોને કારણે ચેરિટેબલ ટ્રસ્ટોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. એક, ઘસારા ખર્ચ અંગે દાવો કરવામાં ગૂંચવણો ઊભી થઈ રહી છે. ભૂતકાળમાં ટ્રસ્ટો જ્યારે કોઈ મૂડીગત સંપત્તિ ખરીદે ત્યારે તેને આવકનો વપરાશ ગણવામાં આવતો હતો અને ત્યારબાદ તે સંપત્તિ પર ઘસારો પણ બાદ મળતો હતો. પરંતુ કાયદાકીય સુધારાઓ બાદ બેવડા લાભ-ડબલ ડિડક્શન અટકાવવાના નામે કરવેરા અધિકારીઓ ઘસારાના દાવાને રદ કરી દે છે.
બીજું, ઘસારો ના મંજૂર થતાં જ આવકવેરા વિભાગ તેને વાસ્તવિક આવક કરતાં ઓછી આવક બતાવી હોવાનું જણાવીને આવકવેરા ધારાની  ગણીને કલમ 270A હેઠળ અન્ડર રિપોર્ટિંગ ઓફ ઇન્કમ માટે  ભારે દંડ ફટકારી દે છે. તેથી ટ્રસ્ટો પર નાણાકીય અને માનસિક બોજ વધતો હતો.
ત્રીજું, ચેરિટેબલ ટ્રસ્ટો કોઈ વ્યાપારી એકમ નથી. તેમની પાસે આવકના સ્ત્રોત મર્યાદિત હોય છે. કાનૂની લડાઈઓ અને દંડની નોટિસોને કારણે ટ્રસ્ટોનો કિંમતી સમય અને નાણાં સમાજસેવાના બદલે લિટિગેશનમાં ખર્ચાઈ જાય છે.

ITATનું અવલોકન શું છે 

ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુલનના આ નિર્ણયથી ટ્રસ્ટોને બિનજરૂરી દંડમાંથી મોટી રાહત મળી છે. જો ઘસારો ના મંજૂર થવા છતાં ટ્રસ્ટની આવકનો ૮૫ ટકા હિસ્સો ચેરિટેબલ હેતુ માટે વપરાઈ ગયો હોય અને કરપાત્ર આવક ન બનતી હોય, તો દંડની આંકડાકીય કે કાનૂની શરત પૂરી થતી નથી. તેથી કલમ 270A હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટોને અન્ડર રિપોર્ટિંગ ઓફ ઇન્કમને નામે દંડ કરી શકાય નહિ. દંડ ત્યારે જ લાગી શકે જ્યારે તેનાથી કરપાત્ર આવકમાં વધારો થાય અને ટેક્સની જવાબદારી ઊભી થાય. આ સિદ્ધાંત સ્પષ્ટ થવાથી ટ્રસ્ટો આકારણી વખતે ચેરિટેબલ ટ્રસ્ટો પોતાનો મજબૂત બચાવ કરી શકશે. બીજીતરફ કરવેરા અધિકારીઓની મનસ્વી રીતે દંડ ફટકારવાની ટેવ પર આ નિર્ણયથી લગામ લાગશે, જેથી ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટમાં અપીલોનું ભારણ ઘટશે. જોકે આઈટીએટીના પ્રસ્તુત ચૂકાદો માત્ર દંડ  રદ કરવા અંગેનો હોવાથી ઘસારાના દાવાની સ્વીકૃતિ અંગેનો મૂળ વિવાદ હજુ પણ કાનૂની ગૂંચવણ ધરાવે છે. બીજું, દંડ ન લગાવી શકવાના કારણે અધિકારીઓ હવે ટ્રસ્ટની અન્ય બાબતો એટલે કે ૮૫ ટકા રકમના વપરાશની શરતો અને નોંધણીની શરતો પર વધુ બારીકાઈથી તપાસ કરીને અન્ય રીતે કરપાત્ર આવક ઊભી કરવા પ્રયાસ કરી શકે છે.

સમસ્યાનો કાયમી ઉકેલ અને ભવિષ્યની રાહ

આ પરિસ્થિતિમાં ચેરિટેબલ ટ્રસ્ટો અને આવકવેરા વિભાગ બંને માટે નીચે મુજબના ઉકેલો વર્તમાન સમયની માગ છે. ચેરિટેબલ ટ્રસ્ટોએ પોતાની બેલેન્સ શીટ અને ટેક્સ રિટર્ન-આઈટીઆર-7 તૈયાર કરતી વખતે ઘસારા અંગેની હિસાબી નીતિ ખૂબ જ સ્પષ્ટ રાખવી જોઈએ. જો ઘસારાનો દાવો કરવામાં આવે તો તેની સાથે યોગ્ય નોટ્સ મૂકવી જોઈએ. તેમ કરવાથી તેને માહિતી છુપાવી હોવાનું ગણવામાં આવશે જ નહિ. .
આ સ્થિતિમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ-સીબીડીટીએ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ કે જેથી આકારણી અધિકારીઓ બિનજરૂરી રીતે કલમ 270A ની નોટિસો  મોકલતા અટકી જશે. તેમ જ ચેરિટેબલ ટ્રસ્ટને લિટીગેશનમાં જઈને લોક સેવા માટેના નાણાં કાનૂની લડાઈ માટે ખર્ચવા પડશે નહિ. તેમ જ ચેરિટેબલ ટ્રસ્ટો માટેના ટેક્સ કાયદાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાની જરૂર છે જેથી સમાજસેવાની પ્રવૃત્તિઓ અટકે નહીં. ITAT નો આ ચુકાદો ચેરિટેબલ ટ્રસ્ટો માટે ન્યાયની દિશામાં એક મોટું પગલું છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય જ છે કે માત્ર ટેકનિકલ અથવા હિસાબી ના-મંજૂરીના આધારે ટ્રસ્ટો પર દંડ લાદી શકાય નહીં. ટ્રસ્ટોએ આ ચુકાદાનો ઉપયોગ કરીને પોતાની કાનૂની લડાઈને વધુ મજબૂત બનાવી શકશે.

Read Previous

જીએસટીનું નિલ રિટર્ન ફાઈલ કરતા હોવાથી વેપારીનું રજિસ્ટ્રેશન રદ ન કરી શકાય

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular