• 6 September, 2026 - 4:00 PM

એપ્રિલ-જૂન 2026માં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ ૩.૬ ટકા રહ્યો

એપ્રિલ-જૂન 2026માં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ ૩.૬ ટકા રહ્યો

એપ્રિલથી જૂન દરમિયાન પૂર અને ભારે ગરમીના કારણે પશુપાલન અને પશુધન ક્ષેત્રોમાં ઓછા ઉત્પાદનની અસરોને લીધે હોઈ શકે છે.

અંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા તાજેતરના ડેટા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલથી જૂન 2026ના ત્રિમાસિક ગાળામાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો ૩.૬ ટકાનો ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ થયો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં નોંધાયેલા ૪.૪ ટકાથી ઓછો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ઘટાડો એપ્રિલથી જૂન દરમિયાન પૂર અને ભારે ગરમીના કારણે પશુપાલન અને પશુધન ક્ષેત્રોમાં ઓછા ઉત્પાદનની અસરોને લીધે હોઈ શકે છે. બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે, “અમારું અનુમાન છે કે FY27 માં સમગ્ર વર્ષ માટે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ લગભગ ૩.૫-૪ ટકા રહી શકે છે, જે આ ક્ષેત્રના લાંબા ગાળાના વલણને અનુરૂપ છે પરંતુ તે ઘટાડા તરફ ઝૂકેલો છે.” તેમણે ઉમેર્યું કે વરસાદમાં સુધારો થયો હોવા છતાં, ખરીફ વાવેતરનો વિસ્તાર ગયા વર્ષ કરતાં ઓછો રહેશે.
દરમિયાન, ડેટા દર્શાવે છે કે ચાલુ ભાવે, FY2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ ૭.૫ ટકા હતો, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં ૪.૭ ટકા હતો. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીના કૃષિ વિભાગના તાજેતરના ડેટા અનુસાર, ખરીફ પાકોનું વાવેતર લગભગ ૧૦૯ મિલિયન હેક્ટર જમીનમાં પૂર્ણ થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળા કરતા ૧.૭ ટકા ઓછું છે.
રાજસ્થાન સરકારે યુરિયા સરપ્લસ હોવાનો દાવો કર્યો, વિપક્ષે ખાતરની અછતનો મુદ્દો ઉઠાવ્યો
રાજસ્થાનમાં કોંગ્રેસ યુનિટે આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ખેડૂતોને સમયસર ખાતર મળી રહ્યું નથી, જ્યારે રાજ્ય સરકારનો દાવો છે કે ખરીફ પાક માટે ખાતરની કોઈ અછત નથી. રાજસ્થાન સરકારના કૃષિ અને બાગાયત વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મંજુ રાજપાલના જણાવ્યા અનુસાર, રાજસ્થાન પાસે અત્યાર સુધીમાં ઉપલબ્ધ કુલ યુરિયા સ્ટોક ૧૩,૧૨,૦૦૦ મેટ્રિક ટન છે. ખરીફ સીઝન (એપ્રિલ-ઓગસ્ટ) માટે ૩,૮૦,૦૦૦ મેટ્રિક ટન ડીએપીની માંગ સામે અત્યાર સુધીમાં ૩,૪૧,૦૦૦ મેટ્રિક ટન ડીએપી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે આયાતી ડીએપીના પુરવઠામાં વિક્ષેપ છતાં, ખેડૂતો માટે વૈકલ્પિક ફોસ્ફેટિક ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧,૭૧,૦૦૦ મેટ્રિક ટન એનપીકે અને ૩,૭૬,૦૦૦ મેટ્રિક ટન સુપર ફોસ્ફેટ-એસએસપી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ખેડૂતો પાક બચાવવા માટે જરૂરી ખાતર પણ મેળવી શકતા નથી. તેમણે કહ્યું, “તેમને ડીએપીની માત્ર થોડી ગુણો મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડે છે. સરકારે ખાતર વિતરણ વ્યવસ્થાને તુરંત સુવ્યવસ્થિત કરવાની જરૂર છે.”

Read Previous

LIC હાઉસિંગ ફાઇનાન્સ રૂ. ૧,૩૨૨ કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઇએ એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા સામે ગુનો નોંધ્યો

Read Next

શેરબજારની સંસ્થાઓ સામે વધતા સાયબર જોખમો વચ્ચે સેબીએ સાયબર રિપોર્ટિંગના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા

Most Popular