• 11 September, 2026 - 12:00 PM

અદાણી પોર્ટ્સ એન્ડ SEZના સીઈઓ કરણ અદાણી, સીએફઓ બી રવિએ PMC પ્રોજેક્ટ્સ કેસમાં SEBI કાર્યવાહી પતાવવા વ્યક્તિગત રૂ. 13.65 લાખ ચુકવ્યા

અદાણી પોર્ટ્સ એન્ડ SEZના સીઈઓ કરણ અદાણી, સીએફઓ બી રવિએ PMC પ્રોજેક્ટ્સ કેસમાં SEBI કાર્યવાહી પતાવવા વ્યક્તિગત રૂ. 13.65 લાખ ચુકવ્યા
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZL)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કરણ અદાણી અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) બી રવિએ PMC પ્રોજેક્ટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (PMC)ને લગતી એક બાબતમાં વ્યક્તિગત રીતે એટલે કે દરેક વ્યક્તિએ રૂ. 13.65-13.65 લાખની સેટલમેન્ટ રકમ ચૂકવીને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા શરૂ કરાયેલી લવાદની કાર્યવાહીનો ઉકેલ લાવ્યા છે.
આ કાર્યવાહી PMC, APSEZL અને તેની સહાયક કંપનીઓ વચ્ચે બેંકિંગ વ્યવહારો અને આંતર-કોર્પોરેટ સિક્યોરિટી થાપણો સંબંધિત સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956, SEBI એક્ટ, 1992 અને SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015 (LODR રેગ્યુલેશન્સ) ની જોગવાઈઓના પાલન અંગેની SEBI તપાસ બાદ કરવામાં આવી હતી.
સેબીએ એવો આક્ષેપ કર્યો હતો કે મિસ્ટર રવિ અને મિસ્ટર અદાણીએ લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસક્લોઝર રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સના શેડ્યૂલ II ના ભાગ B ના રેગ્યુલેશન 17(8) અને SCRA ની કલમ 21 નું ઉલ્લંઘન કર્યું છે. સેબીએ 22 નવેમ્બર 2023 ના રોજ બે અરજદારોને કારણ દર્શક નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે શા માટે તપાસ ન કરવી જોઈએ અને કથિત ઉલ્લંઘનો માટે સેબી એક્ટની કલમ 15HB અને SCRA ની કલમ 23H હેઠળ શા માટે દંડ ન લાદવો જોઈએ.
અરજદારોએ, તેમના અધિકૃત પ્રતિનિધિઓ સિરિલ અમરચંદ મંગળદાસ દ્વારા, જાન્યુઆરી 2024 માં SCN ના જવાબો સબમિટ કર્યા હતા. ત્યારબાદ, તેઓએ SEBI (સેટલમેન્ટ પ્રોસીડિંગ્સ) રેગ્યુલેશન્સ, 2018 હેઠળ લવાદની કાર્યવાહીનો ઉકેલ લાવવાની માગણી કરતી સેટલમેન્ટ અરજીઓ દાખલ કરી હતી. સેટલમેન્ટ પ્રક્રિયા દરમિયાન, અરજદારોના પ્રતિનિધિઓએ 8 મે 2024 અને 15 જુલાઈ 2024 ના રોજ સેબીની આંતરિક સમિતિ સાથે બેઠકો યોજી હતી. સેબીની આંતરિક કમિટીએ સેટલમેન્ટ નિયમો અનુસાર ગણતરી કરીને, દરેક અરજદાર માટે ₹13.65 લાખની સૂચિત સેટલમેન્ટ રકમની ભલામણ કરી હતી. અરજદારો બાદમાં ભલામણ કરેલ રકમ ચૂકવવા સંમત થયા હતા.
સેબીની હાઇ-પાવર્ડ એડવાઇઝરી કમિટીએ તેની 29 જૂન 2026 ની મીટિંગમાં, દરેક અરજદાર દ્વારા ₹13.65 લાખની ચુકવણી કરીને આ બાબતનો ઉકેલ લાવી દેવા ભલામણ કરી હતી. આ ભલામણને 13 ઓગસ્ટ 2026 ના રોજ હોલ-ટાઇમ મેમ્બર્સ (WTMs) ની પેનલ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. 5 સપ્ટેમ્બર 2026 ના રોજ, અરજદારોએ સેબીને ને જાણ કરી હતી કે સેટલમેન્ટની રકમ મોકલી દેવામાં આવી છે, અને માર્કેટ રેગ્યુલેટરે ચુકવણીઓ મળ્યાની પુષ્ટિ કરી હતી.
સેટલમેન્ટ રકમ મળ્યા પછી સેબીએ સેટલમેન્ટ શરતોના આધારે સેટલમેન્ટ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 23(1) સાથે વંચાણે લેવાતી સેબી એક્ટની કલમ 15JB અને SCRA ની કલમ 23JA હેઠળ નવેમ્બર 2023 ના SCN દ્વારા શરૂ કરાયેલી લવાદની કાર્યવાહીનો નિકાલ કર્યો હતો. સેબીએ જોકે સ્પષ્ટ કર્યું છે કે સેટલમેન્ટ ઓર્ડર સેટલમેન્ટ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 28 હેઠળ પગલાં લેવાના તેના અધિકારને નુકસાન પહોંચાડતો નથી, જેમાં જો અરજદારો દ્વારા કરવામાં આવેલ કોઈપણ રજૂઆત પાછળથી અસત્ય જણાય, જો તેઓ સેટલમેન્ટ કાર્યવાહી દરમિયાન રજૂ કરાયેલ કોઈપણ બાંહેધરી અથવા છૂટછાટનો ભંગ કરે, અથવા જો સેટલમેન્ટની શરતો પર પહોંચવામાં કોઈ વિસંગતતા જણાય તો સેટલમેન્ટ ઓર્ડર હેઠળ આવરી લેવામાં આવેલી કાર્યવાહીને પુનઃસ્થાપિત કરવા અથવા શરૂ કરવાના પગલાંનો સમાવેશ થાય છે.

Read Previous

પર્યુષણનો ધસારો: વેસ્ટર્ન રેલવે ૧૬ સપ્ટેમ્બરે ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Read Next

એલટીસી હેઠળ જમ્મુ-કાશ્મીર, લડાખ ને આંદામાન નિકોબારનો સીધો વિમાન પ્રવાસના ભાડાં ક્લેઈમ કરવાની છૂટ આપી

Most Popular