એલટીસી હેઠળ જમ્મુ-કાશ્મીર, લડાખ ને આંદામાન નિકોબારનો સીધો વિમાન પ્રવાસના ભાડાં ક્લેઈમ કરવાની છૂટ આપી

એલટીસી હેઠળ જમ્મુ-કાશ્મીર, લડાખ ને આંદામાન નિકોબારનો સીધો વિમાન પ્રવાસના ભાડાં ક્લેઈમ કરવાની છૂટ આપી
સામાન્ય નિયમ મુજબ તેઓ ફ્લાઇટ ક્લેમ કરી શકતા નથી, પરંતુ આ યોજના હેઠળ તેઓ પણ ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનો માર્ગ ખોલી આપ્યો
અમદાવાદ,ગુરૂવારઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓને એલટીસી હેઠળ જમ્મુ-કાશ્મિર, લડાખ ને આંદામાન નિકોબારનો સીધો વિમાન પ્રવાસ કરવાની નવેસરથી છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી આ રીતે જમ્મુ-કાશ્મિર, લડાખ, અંદમાન-નિકોબારની ફ્લાઈટ લેવાની છૂટ મળતી નહોતી. આમ વિમાન પ્રવાસ માટેની કાયદેસર મંજૂરી ધરાવતા કેન્દ્ર સરકારના કર્માચારીઓને તેમના મૂળ શહેરથી એટલે કે પોતાનું એક ‘હોમ ટાઉનથી લીવ ટ્રાવેલ કન્વેયન્સને કન્વર્ટ કરાવીને ઉત્તર-પૂર્વ, જમ્મુ-કાશ્મીર, લડાખ કે અંદમાન-નિકોબારની વિમાન મુસાફરી કરી શકશે.જે કર્મચારીઓ સામાન્ય રીતે ટ્રેન કે બસમાં પ્રવાસ કરવા માટેની પાત્રતા ધરાવે છે તેમને વિમાન પ્રવાસ માટેની આ સુવિધાનો લાભ મળશે નહિ. અલબત્ત સામાન્ય નિયમ મુજબ તેઓ ફ્લાઇટ ક્લેમ કરી શકતા નથી, પરંતુ આ યોજના હેઠળ તેઓ પણ ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરી શકશે.
ભારતના કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં નોકરી કરતા કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ કે અધિકારીઓને નવો પરિપત્રની જોગવાઈઓનો લાભ મળશે. જોકે રાજ્ય સરકારના કર્મચારીઓને સીધી રીતે આ પરિપત્રની જોગવાઈઓેનો આપમેળે લાભ મળતો નથી. પરંતુ, જે રાજ્ય સરકારો પોતાના લીવ ટ્રાવેલ કન્વેયન્સના નિયમોમાં કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકારની સનદી સેવાઓને લગતા નિયમો-1988ને અપનાવે કે પછી ના ધોરણે અલગથી પરિપત્ર બહાર પાડે તો જે તે રાજ્યના કર્મચારીઓને પણ આ વ્યવસ્થાનો લાભ મળી શકશે. આ યોજનાનો લાભ લેવાને પાત્ર બનતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને 25મી સપ્ટેમ્બર 2028 સુધી તેનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. ભારતના ચોક્કસ વિસ્તારના પ્રવાસન-ટુરિઝમને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વિશ્વા ટ્રાવેલ્સના પ્રમોટર પરેશ શાહનું કહેવું છે.
કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલે નવમી સપ્ટેમ્બરે બહાર પાડેલા આ પરિપત્રમાં કર્મચારીઓને તેમની હવાઈ સફરની પાત્રતાને આધારે એટલે કે કલાસ-૧ અને ઉચ્ચ કલાસ-૨ના અધિકારીઓ તેમના પોતાના વસવાટના કે નોકરીના શહેરથી જમ્મુકાશ્મીર, લડાખ અને અંદામાન નિકોબારની સીધી ફ્લાઈટ બુક કરાવીને તેનો ખર્ચ એલટીસી-લીવ ટ્રાવેલ કન્વેયન્સ થકી મેળવી શકશે. હા, નોકરીની શરતો હેઠળ હવાઈ મુસાફરીનો ક્લેઈમ મેળવવાની પાત્રતા તેઓ ધરાવતા હોવા જોઈએ.
પાત્રતા ધરાવતા અધિકારીઓના આખા પરિવારના સભ્યો એટલે કે પત્ની,પતિ, નિર્ભર બાળકો અને માતા-પિતાની વિમાન ટિકીટનું સો ટકા ભાડું એટલે કે હેડક્વાર્ટરથી લઈને ગંતવ્ય સ્થાન સુધીની વિમાન ટિકિટનું ૧૦૦ ટકા ભાડું એલટીસી હેઠળ સરકાર પાસેથી મેળવી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો અમદાવાદ કે દિલ્હીથી પોર્ટ બ્લેર (અંદમાન) કે લેહ-લડાખની ૪-૫ સભ્યોના પરિવારની વિમાન ટિકિટનો ખર્ચ રૂ. ૧ લાખથી રૂ. ૧.૫ લાખ સુધી થઈ શકે છે. આ આખો ખર્ચ હવે સરકાર ભોગવશે.
ટ્રેન-બસમાં જવાની પાત્રતા ધરાવનાર ઇકોનોમિ ક્લાસમાં વિમાન મુસાફરી કરી શકશે
જે કર્મચારીઓ સામાન્ય રીતે ટ્રેન કે બસમાં પ્રવાસ કરવા માટેની પાત્રતા ધરાવે છે તેમને વિમાન પ્રવાસ માટેની આ સુવિધાનો લાભ મળશે નહિ. અલબત્ત સામાન્ય નિયમ મુજબ તેઓ ફ્લાઇટ ક્લેમ કરી શકતા નથી, પરંતુ આ યોજના હેઠળ તેઓ પણ ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરી શકશે. પરંતુ તેમણે ઉત્તર-પૂર્વના રાજ્યોના પ્રવાસે જવા માટે પોતાના શહેરથી કોલકાતા કે ગુવાહાટી સુધી ટ્રેનમાં જવું પડશે અને ત્યારબાદ કોલકાતા કે ગુવાહાટીથી ઉત્તર-પૂર્વના કોઈપણ સ્થળે ફ્લાઇટમાં જવાની વ્યવસ્થા કરવી પડશે. આ જ રીતે અંદમાન જવા માટે તેમણે પોતાના શહેરથી કોલકાતા, ચેન્નઈ કે વિશાખાપટ્ટનમ સુધી ટ્રેનમાં જવાનું રહેશે. ત્યારબાદ ત્યાંથી પોર્ટ બ્લેર સુધી ફ્લાઇટમાં જવું પડશે. આ જ રીતે જમ્મુકાશ્મીર કે લડાખ જવા માટે આ કર્મચારીઓ પોતાના શહેરથી દિલ્હી કે અમૃતસર સુધી ટ્રેનમાં જવાનું રહેશે. ત્યારબાદ ત્યાંથી શ્રીનગર કે લેહ સુધી ફ્લાઇટમાં જવાની છૂટ મળશે. જો તેઓ પોતાના હેડક્વાર્ટરથી સીધી ફ્લાઇટ લે, તો તેમને નિયમ મુજબ મંજૂર કરેલી મર્યાદા પ્રમાણેનો જ વિમાન ખર્ચ મળશે.
સામાન્ય રીતે ટ્રેન ભાડું મેળવતા કલાસ-૩ કર્મચારીઓને પણ પરિવાર સાથે વિમાન પ્રવાસ કરવાનો લ્હાવો મળશે અને ટ્રેન ભાડા સિવાયનો વિમાન પ્રવાસનો હજારો રૂપિયાનો મોટો ખર્ચ સરકાર ઉપાડશે.
નવા નોકરિયાતોને પણ સુવિધા મળશે
નવા નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને ૪ વર્ષના બ્લોકમાં સામાન્ય રીતે વધુ ‘હોમ ટાઉન લીવ ટ્રાવેલ કન્વેયન્સ મળે છે. તેઓ ૪ વર્ષના ગાળામાં એકને બદલે બે વાર કન્વર્ઝન મેળવી શકે છે. તેમાંથી ૧ કન્વર્ઝન ખાસ જમ્મુ-કાશ્મીર કે લડાખ માટે વાપરી શકાય છે. આમ ચોક્કસ વિસ્તારોમાં ટુરિઝમને વેગ આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
