ગુજરાતમાં સંભવિત જળસંકટને પહોંચી વળવા ખેડૂતો, પ્રજા અને ઉદ્યોગો તૈયાર રહે
ગુજરાતમાં સંભવિત જળસંકટને પહોંચી વળવા ખેડૂતો, પ્રજા અને ઉદ્યોગો તૈયાર થાય: 13મી સપ્ટેમ્બર 2026 સુધીની સ્થિતિ પરથી જણાય છે કે ઓણસાલ ગુજરાત અને દેશમાં વરસાદની અછત રહેવાની મજબૂત સંભાવના
ભારતમાં ૨૦૨૬નું ચોમાસું ૨૦૦૯ પછીનું સૌથી નબળું ચોમાસું સાબિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 13મી સપ્ટેમ્બર સુધીના આંકડા અને ઓગસ્ટના અંત સુધીના વિશ્લેષણ મુજબ જૂન મહિનામાં શરૂઆતમાં જ ૩૫ ટકા જેવી ભારે અછત નોંધાઈ હતી. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના પ્રારંભ સુધી દેશમાં લાંબા ગાળાની સરેરાશ કરતાં વરસાદ ૧૩ ટકાથી ૧૫ ટકા સુધી ઓછો રહેવાનો અંદાજ છે. આ નબળા ચોમાસા પાછળનું મુખ્ય કારણ ‘એલ નીનો’ (El Niño) ની મજબૂત થઈ રહેલી અસર છે. એલનિનોની અસર 2027 સુધી લંબાય તો પરિસ્થિતિ વધુ કપરી બનવાની સંભાવના રહેલી છે. ખરીફ અને રવિ પાક પર તેની ખાસ્સી અસર જોવા મળી શકે છે.
વરસાદી ખેતી પર નિર્ભર કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા ખરીફ પાકોને ભેજની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, જળાશયો અને ભૂગર્ભજળનું સ્તર ન રિચાર્જ થવાથી આગામી રવી સીઝનમાં ઘઉં, રાયડો અને સરસવના વાવેતર પર જોખમ ઊભું થયું છે.
ગુજરાતમાં કયા વિસ્તારોમાં પાણીની અછતનું વધુ જોખમ
ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અને ચોમાસાની પેટર્ન મુજબ 13મી સપ્ટેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓ મુખ્યત્વે વરસાદ અને ભૂગર્ભજળ પર આધારિત છે. અહીં ઓછો વરસાદ જળાશયોમાં પાણીનો પુરવઠો ઘટાડે છે. કચ્છ પ્રદેશમાં ચોમાસું પહેલેથી જ ટૂંકું હોય છે. સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાતાં કચ્છના ગ્રામીણ અને પશુપાલન વિસ્તારોમાં પીવાના તથા ચારાના પાણીની અછત સર્જાય છે. સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીની તીવ્ર અછત વરતાઈ રહી છે. સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને રાજકોટના કેટલાક સૂકા વિસ્તારોમાં ચેકડેમો અને તળાવો પૂરા ભરાયા નથી, જેના કારણે ખેતી માટે સિંચાઈના પાણીની ખેંચ ઊભી થઈ છે.
2026-2027નું સંભવિત સંકટ અને એલ નીનો હેઠળનું આગોતરૂં આયોજન
જો સપ્ટેમ્બરમાં ચોમાસું વહેલું પાછું ખેંચાઈ જાય અને વર્ષ 2027માં પણ એલ નીનોની સક્રિયતાને કારણે સતત બીજા વર્ષે વરસાદ ન પડે નર્મદા ડેમ આધારિત વોટર ગ્રીડનો વ્યવસ્થિત ઉપયોગ કરવો પડશે. સરદાર સરોવર ડેમમાંથી પીવાના પાણીનું રિઝર્વ આયોજન પ્રથમ પ્રાથમિકતા બનાવવું પડશે. તમામ બોરવેલ અને કૂવાઓ પાસે “રેન વોટર હાર્વેસ્ટિંગ” અને ચેકડેમોનું ડી-સિલ્ટિંગ યુદ્ધના ધોરણે હાથ ધરવી પડશે. પરિણામે વધુ જળસંચય થઈ શકશે.
કૃષિ ક્ષેત્રનું આયોજન
ઓછા પાણીના પાકો: ખેડૂતોને કપાસ કે શેરડી જેવા વધુ પાણી માંગતા પાકોને બદલે બાજરી, જુવાર, તલ, કઠોળ અને તેલીબિયાં જેવા ઓછા પાણીમાં થતા પાકો તરફ વાળવા પડશે. ટપક-ડ્રીપ અને ફુવારા પદ્ધતિથી ખેતી કરવાના વિકલ્પને ૧૦૦ ટકા ફરજિયાત બનાવવો પડશે. ગુજરાતની જનતાએ સૌથી પહેલા તો સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય વહેલી થશે, તો જળાશયોનું સ્તર નીચું રહેશે. આ સ્થિતિમાં પાણીનો દરેક ટીપો માત્ર બચાવવાનો નથી, પરંતુ તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે. સામાન્ય જનતાએ પણ પાણીના વપરાશમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો કરવો પડશે. ઘરગથ્થુ વપરાશમાં પાણીનો બગાડ અટકાવવો પડશે. વાહનો ધોવા કે બગીચામાં પીવાનું પાણી વાપરવું બંધ કરવું પડશે. સોસાયટી સ્તરે હાર્વેસ્ટિંગ કરવું પડશે. જે બિલ્ડરોએ પરકોલેટિંગ વેલને નામે મજાક કરી હોય તે દરેક બિલ્ડરોને આકરાંમાં આકરી સજા કરવી જોઈએ. શહેરી વિસ્તારોમાં રહેણાંક સોસાયટીઓએ વરસાદના બાકી રહેલા દિવસોમાં છતનું પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવી જોઈએ.
ખેડૂતોએ લેવાના પગલાં
રવી મોસમમાં ઘઉંનું વાવેતર કરતી વખતે ઉપલબ્ધ સિંચાઈનું ગણિત ચોક્કસ કરી લેવાનું રહેશે. કઠોળ અને તલ-રાઈ જેવા ઓછા પાણીના પાકોને પસંદગી આપવી પડશે. જમીનનો ભેજ જળવાઈ રહે તે માટે વ્યવસ્થિત મલ્ચિંગ કરવું પડશે. જમીનમાં ભેજ જાળવી રાખવા પ્લાસ્ટિક કે ઓર્ગેનિક મલ્ચિંગનો ઉપયોગ કરવો જેથી બાષ્પીભવન ઘટશે. ખેતરમાં રોપેલા પાકને જોઈતું પાણી જમીનમાં વધુ વખત સચવાઈ રહેશે. શિયાળા અને ઉનાળા માટે પશુચારાનો સંગ્રહ અત્યારથી જ કરી રાખવાનો રહેશે
ઉદ્યોગોએ પણ સહકાર આપવો પડશે
પ્રોસેસિંગ અને કેમિકલ ઉદ્યોગોએ વાપરેલા પાણીનો ૧૦૦ ટકા રિસાયકલ કરીને ફરીથી ઉપયોગ કરવો પડશે. તેમ જ પાણીના ઔદ્યોગિક વપરાશ પર કાપ મૂકવો પડશે. ટેક્સટાઈલ અને પેપર જેવા વધુ પાણી વાપરતા ઉદ્યોગોએ ભૂગર્ભજળ ઉપાડવા પર સ્વૈચ્છિક કસર અને મર્યાદા નક્કી કરવી પડશે. વર્ષ ૨૦૨૬નું નબળું ચોમાસું માત્ર કૃષિ ક્ષેત્ર પૂરતું સીમિત ન રહેતાં ખાદ્ય ફુગાવો અને ગ્રામીણ અર્થતંત્ર પર દબાણ લાવી શકે છે. જો આગામી વર્ષ ૨૦૨૭માં પણ એલ નીનોની અસર રહે, તો અત્યારથી જ કરવામાં આવેલું જળ સંચાલન અને પાણી વપરાશની કસર જ ગુજરાતને મોટા આર્થિક અને સામાજિક સંકટથી બચાવી શકશે.
ભારતમાં 2009 પછીનું સૌથી નબળું ચોમાસું
ભારત ૨૦૦૯ પછીના સૌથી નબળા દક્ષિણ-પશ્ચિમ મધ્ય ચોમાસા તરફ આગળ વધી રહ્યું છે, જેણે કૃષિ ઉત્પાદન, ગ્રામીણ આવક અને ખાદ્ય પદાર્થોના ભાવ અંગે ચિંતાઓ ઊભી કરી છે. ૨૪ ઓગસ્ટ સુધીમાં, ૧ જૂને ચોમાસાની સીઝન શરૂ થઈ ત્યારથી દેશમાં લાંબા ગાળાની સરેરાશ કરતાં આશરે ૧૩ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. તાજેતરના અહેવાલોમાં દર્શાવવામાં આવેલા હવામાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીઝનનો કુલ વરસાદ અંતે સામાન્ય કરતાં ૧૫ ટકા સુધી ઓછો રહી શકે છે.
૨૦૨૬ના ચોમાસાને લગભગ બે દાયકામાં સૌથી નબળું ચોમાસું બનાવશે. ચોમાસું ભારતીય કૃષિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જે દેશના વાર્ષિક વરસાદના લગભગ ૭૦ ટકા પૂરો પાડે છે અને લાખો હેક્ટર વરસાદ આધારિત ખેતીલાયક જમીનને આધાર આપે છે. ખાસ કરીને જૂન મહિના દરમિયાન વરસાદમાં ભારે અછત જોવા મળી હતી, જ્યારે દેશમાં લગભગ ૩૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓગસ્ટનો વરસાદ પણ સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછો હતો.
નબળા પડી રહેલા ચોમાસાએ ખરીફ પાકો, ખાસ કરીને કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ માટે વધતી ચિંતાઓ ઊભી કરી છે, જે પર્યાપ્ત અને સુસંગત વરસાદ પર ભારે આધાર રાખે છે. વરસાદની અછતનો અર્થ એ નથી કે પાક સંપૂર્ણ નિષ્ફળ જશે કારણ કે સિંચાઈ અને પ્રાદેશિક વરસાદની પરિસ્થિતિઓ તેની અસર ઘટાડી શકે છે, પરંતુ પાકના વિકાસના નિર્ણાયક તબક્કા દરમિયાન સતત સૂકો સ્પેલ (વરસાદ વિનાનું વાતાવરણ) ઉપજ અને ખેતરની નફાકારકતાને અસર કરી શકે છે. આગામી રવિ સીઝન માટે પણ આ પરિસ્થિતિ અગત્યની છે કારણ કે પર્યાપ્ત ચોમાસાનો વરસાદ જળાશયો અને ભૂગર્ભ જળને પુનઃભરવામાં મદદ કરે છે અને શિયાળુ વાવેતર પહેલાં જમીનની ભેજ સુધારે છે. પાણીની ઓછી ઉપલબ્ધતા વર્ષમાં પાછળથી ઘઉં, રાઈ, સરસવ અને અન્ય રવિ પાકો પર વધારાનું દબાણ ઊભું કરી શકે છે.
આ અસર પ્રદેશો વચ્ચે નોંધપાત્ર રીતે ભિન્ન હોવાની અપેક્ષા છે. જ્યારે પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં વરસાદમાં ભારે અછતનો અનુભવ થયો છે, ત્યારે અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો છે. આ કથળતા આઉટલુક પાછળનું મુખ્ય પરિબળ મજબૂત થઈ રહેલી એલ નીનોની હવામાન પેટર્ન છે, જે સામાન્ય રીતે ભારતમાં નબળા ચોમાસાની સ્થિતિ સાથે સંકળાયેલી છે. હવામાન અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો સપ્ટેમ્બરનો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે અને ચોમાસું સામાન્ય કરતાં વહેલું પાછું ખેંચાશે તો વરસાદની અછત વધુ વધી શકે છે. તેના પરિણામો કૃષિથી આગળ વધીને ખાદ્ય ફુગાવો, ગ્રામીણ વપરાશ અને સમગ્ર અર્થતંત્ર સુધી લંબાઈ શકે છે.

