• 4 February, 2026 - 6:18 AM

ખેતી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ તૈયાર કરાવશે

  • પાક અંગે ખેડૂતોને વ્યક્તિગત માર્ગદર્શન મળશે, પશુપાલકોને આર્થિક સહાય આપશે. માછીમારોને કોલ્ડ ચેઈનની વધુ સારી સુવિધા મળશે.
  • કાજુ, બદામ અને અખતોર સહિતના પાકોની ખેતી કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે.

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,રવિવાર

ખેડૂતોને પાકનું આયોજન કરવા માટે માર્ગદર્શન આપી શકે, હવામાન અંગે ચેતવણી આપી શકે, જીવાત નિયંત્રણ માટે માર્ગદર્શન આપી શકે તથા બજાર સહિતની માહિતી આપી શકે તેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બહુભાષીય ટૂલ લાવવાની આજે સંસદમાં બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે. આ ટૂલની મદદથી કૃષિને લગતી માહિતી દરેકને સરળતાથી મળી રહેશે અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે.

બહુભાષાકીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ ખેડૂતોને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકશે. તેને પરિણામે ખેડૂતો વધુ સારા નિર્ણયો લઈ શકશે. તેમની પાકની ઉપજ વધી શકશે. તેમના પાકને ઓછું નુકસાન થશે. તેમને સારા ભાવ મળવાની સંભાવના ઊભી થશે.

ખેડૂતોની આવક વધારવા અને પાકોમાં વૈવિધ્ય લાવવા માટે ઉચ્ચ મૂલ્યવાળા પાકો  એટલે કે નારીયેળ, ચંદન, કાજુ, અખરોટ, બદામ માટે વિશેષ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહાયથી જૂની બગીચાઓ પુનર્જીવિત કરવા અને ગુણવત્તા વધારો શક્ય બનશે. કાજુ, બદામ, અખરોટ સહિતના પાક માટે સરકાર તરફથી પ્રોત્સાહનો આપવાને કારણે અનાજ અને કરિયાણા કરતાં વધુ સારી આવક ખેડૂતો બજારમાંથી મેળવી શકશે. ડૉ. અંકિતા છાજેડનું કહેવં છે કે પાકમાં વિવિધતા આવતા પાક નિષ્ફળ જવાની સંભાવના પણ સીમિત થઈ જશે. ખેડૂતો પાસે વૈકલ્પિક આવકનો સ્રોત ઊભો થશે. એકરદીઠ આવકમાં ખાસ્સો વધારો થઈ જશે.

માછીમારીના ક્ષેત્રમાં વેલ્યુ એડિસનને મજબૂત કરવા માટે સ્ટાર્ટઅપ અને મહિલા-સંચાલિત ગૃપો તેમજ માછીમાર ઉત્પાદક સંગઠનો સાથે માર્કેટ લિંકેજ બનાવવા જેવાં પગલાં લેવાનો આરંભ કરશે. મત્સ્ય ઉછેરમાં કે ઉદ્યોગમાં પડેલા લોકોને સ્ટોરેજની સારી સુવિધા મળી રહેશે. કોલ્ડ ચેઈનની સુવિધા મળશે. પ્રોસેસિંગ સરળ થશે. બગાડ ઘટશે. માછીમારોની આવકમમાં વધારો કરશે.

પશુપાલન ક્ષેત્ર માટે ક્રેડિટ-લિંક્ડ સબસિડી પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો છે, જે લાયવસ્ટોક FPOs ને મજબૂત બનાવશે, કૈફિયત માટે લોન સરળ બનાવશે અને ગ્રામ્ય રોજગારી વધારશે.

ગ્રામ્ય યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ દ્વારા રોજગારી મેળવવામાં સહાય કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. ઈ સાથે જ આધુનિક કૃષિ પદ્ધતિઓને મજબૂત બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે.

પશુપાલકોને વિશ્વસનીય આવકનો સ્રોત ઊભો કરી આપવા માટે અને આખા વરસ સતત સારી આવક થતી રહે તે માટે બજેટમાં પગલાં લેવામાં આવ્યા છે. ખેડૂતોને સરળતાથી ફાઈનાન્સ મળે તેવી સુવિધા કરવામાં આવશે. પશુપાલકો તેમના પશુઓની નસલ સુધારી શકે તે માટે તેમને મદદ કરીને આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

Read Previous

ભારતનું 2026-27ના વર્ષનું બજેટ: આવકની ખોટી માહિતી આપનારને વેરાની રકમના 100 ટકા જેટલો દંડ ભરવો પડશે.

Read Next

બજેટમાં ફેસલેસ ફેરઆકારણી કરતાં અધિકારીની વ્યાખ્યા બદલી નાખતા હજારો કેસો નીકળી જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular