• 28 February, 2026 - 7:49 AM

એમેઝોન અને આઈઆઈટી રૂરકી ભાગીદારીમાં ખેતરના કચરામાંથી બાયોડિગ્રેડેબલ પેકિંગ બેગ બનાવશે

  • ઘઉંના તણખા અને બગાસ જેવા કૃષિ અવશેષોને ઓટોક્લેવ ડાઇજેસ્ટર દ્વારા માવામાં પરિવર્તિત કરીને માવાને ધોઈ, ફિલ્ટર કરી લીધા બાદ સૂકવી-દબાવીને ટકાઉ ઇ-કોમર્સ બેગ્સ બનાવવા યોગ્ય કાગળ બનાવશે
  • ઘંઉની ખેચી કરનારા ખેડૂતોને કચરા તરીકે કાઢી નાખવામાં આવેલા કણસલામાંથી નાની મોટી આવક પણ થશે. સુગર મિલોને પણ આવકનો અન્ય સ્રોત મળશે

ટકાઉ પેકેજિંગ તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે, એમેઝોને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT) રૂરકી સાથે ભાગીદારી કરી છે. તેમણએ કૃષિ અવશેષમાંથી બનેલા બાયોડિગ્રેડેબલ કાગળના મેઇલર્સ-પેકિંગ બેગ્સ વિકસાવવા માટે પહેલ કરી છે. પંદર મહિનાનો પાયલોટ સંશોધન પ્રોજેક્ટ ઘઉંના તણખા અને શેરડીની બગાસ જેવા કચરાને પર્યાવરણમિત્ર ઇ-કોમર્સ પેકેજિંગ ઉકેલોમાં રૂપાંતરિત કરવા પર કેન્દ્રિત રહેશે. આ સહકારનો હેતુ પ્લાસ્ટિક પેકેજિંગ પ્રદૂષણ અને પરંપરાગત કાગળના મેઇલર્સ-બેગ્સમાં વપરાતા મૂળ લાકડાના માવા પરની ભારે નિર્ભરતા ઓછી કરવાનો છે. તેને કારણે પર્યાવરણીય માટે ઊભા થતાં પડકારોને દૂર કરવાનો પણ ઇરાદો છે.

એમેઝોન ઈન્ડિયાના ઓપરેશન્સ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે કંપની દેશના સૌથી ઝડપી અને વિશ્વસનીય ઓપરેશન્સ નેટવર્કમાંનું એક નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે. તેને વધુ પર્યાવરણમિત્ર બનાવવા માટે પ્રયત્નશીલ છે. ભારતમાં દર વર્ષે અંદાજે 50 કરોડ ટન કૃષિ કચરો ઉત્પન્ન થાય છે. તેને બાળી નાખવાને કારણે ભારે પ્રદુષણ થાય છે. હવામાંનો કાર્બનડાયોક્સાઈડ વધી જાય છે. તેમ જ રાખના રજકણો વાતાવરણમાં તરતાં થઈ જતાં હોવાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ બગડી જાય છે. પરિણામે દિલ્હી જેવા શહેરોમાં તો નાના બાળકોને શાળાએ મોકલવા પણ મુશ્કેલ બની જાય છે. બાળકોને શાળામાં રજા પાડવાની ફરજ પાડવામાં આવે છે. પરંતુ આ પ્રોજેક્ટને કારણે ઘંઉની ખેચી કરનારા ખેડૂતોને કચરા તરીકે કાઢી નાખવામાં આવેલા કણસલામાંથી નાની મોટી આવક પણ થશે. સુગર મિલોને પણ આવકનો અન્ય સ્રોત મળશે

હવે એમેઝોને કરેલી પહેલને કારણે ઓછો ઉપયોગમાં લેવાતો કચરાનો ઉપયોગ માલની ડિલીવરી કરવા માટેની થેલી બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. તેની અસર હેઠળ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઓછો થશે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ વધે છે. સેંકડો વર્ષ સુધી પ્લાસ્ટિક માટીમાં ભળી જતું નથી. તેથી જમીન અને જળ બંને ખરાબ થાય છે. આ બાયોમાસને પેકેજિંગ સામગ્રીમાં રૂપાંતરિત કરીને આ ભાગીદારી પરિપત્ર અર્થતંત્ર (સર્ક્યુલર ઇકોનોમી) મોડલને પ્રોત્સાહન આપશે, જે કચરો ઘટાડશે અને પરંપરાગત વન આધારિત સંસાધનો પરની નિર્ભરતા ઓછી કરશે. તેમ જ જે કચરાનો નિકાલ કરવા માટે ખેડૂતોએ જફા કરવી પડતી હતી તે જ કચરામાંથી ખેડૂતોને આવક પણ થશે.

આ પ્રોજેક્ટ એમેઝોનના સિંગલ-યૂઝ પ્લાસ્ટિક ઘટાડવા અને તેના લોજિસ્ટિક્સ નેટવર્કમાં પેકેજિંગ કાર્યક્ષમતા સુધારવાના વ્યાપક ટકાઉપણાના લક્ષ્યો સાથે પણ સુસંગત છે. સંશોધન અને વિકાસ કાર્ય IIT રૂરકીના પેપર અને પેકેજિંગ ટેકનોલોજી વિભાગ હેઠળ આવેલી ઇનોવેશન્સ ઇન પેપર એન્ડ પેકેજિંગ લેબમાં હાથ ધરાશે. પહેલા પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ ચાલશે તે ગાળામાં તબક્કા દરમિયાન ઘઉંના તણખા અને બેગાસ જેવા કૃષિ અવશેષોને ઓટોક્લેવ ડાઇજેસ્ટર દ્વારા માવામાં પરિવર્તિત કરવામાં આવશે. ત્યારબાદ માવાને ધોઈ અને ફિલ્ટર કરીને અશુદ્ધિઓ દૂર કરવામાં આવશે જેથી ગુણવત્તા સુનિશ્ચિત થશે. ત્યારબાદ તેને પછી સૂકવી અને દબાવીને ટકાઉ ઇ-કોમર્સ મેઇલર્સ-બેગ્સ બનાવવા માટે યોગ્ય કાગળ બનાવવામાં આવશે. પ્રયોગશાળાના સ્તરે સફળ પરીક્ષણ બાદ એમેઝોન ઔદ્યોગિક પરીક્ષણો કરવામાં આવશે. ત્યારબાદ પ્રક્રિયા માન્યતા મેળવીને અંતે વ્યાપારી ઉત્પાદન તૈયાર કરવાના નિર્ણયને સમર્થન આપવામાં આવશે. 2027ના જૂન મહિનાની આસપાસથી આ પ્રોજેક્ટના મોટા પાયે અમલીકરણનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

 

Read Previous

DGCAએ એર ટિકીટ 48 કલાકની મફત રદ કરવાની સુવિધા કરી

Read Next

અમદાવાદની રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીમાં 6.5 કરોડનું કૌભાંડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular