ડિજિટલ બેંકિંગ ફ્રોડમાં છેતરાઈને OTP શેર કરનારને પણ હવે વળતર મળશે
ડિજિટલ બેંકિંગ ફ્રોડમાં છેતરાઈને OTP શેર કરનારને પણ હવે વળતર મળશે
ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આ યુગમાં બેંકિંગ ફ્રોડ અને સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી એવો સામાન્ય નિયમ હતો કે જો ગ્રાહક પોતાની ભૂલથી કે લાલચમાં આવીને કોઈ અજાણી વ્યક્તિ સાથે OTP કે પાસવર્ડ શેર કરે, તો બેંક તેને ગ્રાહકની પૂરતી બેદરકારી ગણીને વળતર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતી હતી. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા પ્રસ્તાવિત નવા ફ્રેમવર્ક હેઠળ આ નિયમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આ
વનારા આ નવા નિયમો મુજબ, જો કોઈ ગ્રાહક સાયબર ઠગોની ચાલબાજી કે છેતરપિંડી (Social Engineering)નો ભોગ બનીને OTP શેર કરી બેસે, તો માત્ર OTP શેર કરવા માત્રથી જ વળતર મેળવવાનો તેનો હક છીનવાઈ જશે નહીં.
કોને મળશે વળતર?
આ નવા નિયમ હેઠળ વળતર મેળવવા માટે અમુક શરતો નક્કી કરવામાં આવી છે. એક, નાની રકમનો ફ્રોડ થયો હોય તો આ નિયમ માત્ર ₹50,000 સુધીનું નુકસાન ધરાવતા નાના ડિજિટલ ફ્રોડ માટે જ લાગુ પડશે.
છેતરાયેલા ગ્રાહકો: જે ગ્રાહકોને બેંક અધિકારી, ડિલિવરી એજન્ટ કે સગા-સંબંધિના નામે ફેક કોલ (Spoofed Call) કરીને, ભય કે ઉતાવળ ઊભી કરીને છેતરવામાં આવ્યા હોય તેમને આ સુરક્ષા મળશે. આ યોજના હેઠળ ગ્રાહકને તેના સમગ્ર આયુષ્યમાં માત્ર એકજ વાર વળતરનો લાભ મળશે.
કેટલું અને કેવી રીતે વળતર મળશે
ડિજિટલ ફ્રોડની રકમના 85 ટકા નાણઆં અથવા મહત્તમ રૂ. 2ી 85 ટકા રકમ અથવા તો મહત્તમ રૂ. 25000નું વળતર આપવામાં આવશે. આ બેમાંથી જે ઓછી રકમ હશે તે ચૂકવવામાં આવશે. આ રકમની ચૂકવણી બેન્ક દ્વારા કરવામાં આવશે. કોઈ ગ્રાહકના ખાતામાંથી છેતરપિંડી દ્વારા રૂ. 40,000 ટ્રાન્સફર થઈ જાય તો રૂ. 40,000ના 85 ટકા એટલે કે રૂ. 34000 નહિ, પરંતુ મહત્તમ રૂ. 2500ના વળતરની શરતને ધ્યાનમાં રાખીને રૂ. 25000નું વળતર છેતરપિંડીનો ભોગ બનેલા બેન્કના ખાતેદારને બેન્ક ચૂકવી આપશે.
ગ્રાહકે વળતર મેળવવા શું કરવું પડશે?
વળતર મેળવવાની પ્રક્રિયા માટે ગ્રાહકે નીચે મુજબના પગલાં ભરવાં જરૂરી છે. એક, ફ્રોડ થયાના પાંચ દિવસની અંદર જ ગ્રાહકે પોતાની બેંકમાં તેમજ સાયબર ક્રાઇમ પોર્ટલ પર કે હેલ્પલાઇન નંબર 1930 પર તુરંત જ ફરિયાદ નોંધાવવી પડશે. બે, પાંચ દિવસ પછી કરવામાં આવેલી ફરિયાદ પર વળતર મળશે નહીં. ગ્રાહકે સાબિત કરવું પડશે કે તેણે સ્વેચ્છાએ પૈસા મોકલ્યા નથી પણ તેને છેતરવામાં આવ્યો હતો. ત્રણ છેતરપિંડી થઈ હોવાનું સાબિત કરવા માટે છેતરાયેલી વ્યક્તિએ અજાણ્યા નંબરથી આવેલા કૉલ રેકોર્ડ્સ આપવા પડશે. ચાર, ફ્રોડસ્ટર દ્વારા મોકલવામાં આવેલા મેસેજ અથવા વૉટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ રજૂ કરવા પડશે. ફ્રોડ થયાનો ચોક્કસ સમય અને રકમની વિગત પણ આપવી પડશે.
બેંક કેવી રીતે નક્કી કરશે કે ગ્રાહક છેતરાયો છે કે બેદરકાર હતો?
બેંક હવે માત્ર “OTP શેર થયો હતો કે નહીં” તે જોવાને બદલે ટ્રાન્ઝેક્શન પાછળના ગ્રાહકના ઇરાદા અને સંજોગોની પણ તપાસ કરશે. બીજું, નાણાં ટ્રાન્સફર એવી વ્યક્તિ કે એકાઉન્ટમાં થયા છે કે જેને ગ્રાહકે પહેલાં ક્યારેય પૈસા મોકલ્યા નથી? આ બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ત્રીજું, ટ્રાન્ઝેક્શન પહેલાં કોઈ અજાણ્યા કે સાયબર ફ્રોડ હિસ્ટ્રી ધરાવતા નંબર પરથી કૉલ આવ્યો હતો? ચોથું, ટ્રાન્ઝેક્શનમાં બિનજરૂરી ઉતાવળ, વારંવાર નિષ્ફળ ગયેલા પ્રયાસો અથવા ગ્રાહકના સામાન્ય ખર્ચના પેટર્ન કરતાં અલગ રકમ ટ્રાન્સફર થઈ છે?
ગ્રાહકો માટે પડકારો અને ધ્યાન રાખવા જેવી બાબતો
છેતરપિંડીનો નિર્ણય લેવાની સત્તા બેંક પાસે હોવાથી સ્પષ્ટ આધાર વગર બેંક દાવાને ફગાવી પણ શકે છે. રૂ. 50,000થી વધુ રકમનો થયો હોય તો તેવા કિસ્સાઓમાં વળતર આપવા માટેના સૂચિત નિયમ હેઠળ સંપૂર્ણ સુરક્ષા મળતી નથી. પાંચ દિવસની સમયમર્યાદામાં જો ગ્રાહક ફરિયાદ કરવામાં નિષ્ફળ જાય તો વળતરનો હક જતો રહે છે.
Tags: 50000 સુધીના ફ્રોડ પર વળતર bank account fraud compensation bank compensation for online fraud bank customer fraud rights bank fraud compensation policy cyber crime compensation claim cyber fraud compensation India cyber fraud reporting window digital banking safety rules digital fraud compensation India digital payment security financial fraud compensation how to get compensation for OTP fraud Indian banking fraud regulations online banking fraud compensation online money fraud compensation online scam recovery India OTP fraud compensation rules OTP scam compensation RBI compensation limit 50000 RBI cyber crime report 1930 RBI digital fraud compensation rules RBI digital fraud framework RBI digital payment fraud rules RBI digital transaction fraud rules RBI fraud guidelines explained RBI fraud intent assessment RBI fraud liability guidelines RBI fraud reporting 5 days deadline RBI new fraud guidelines 2027 RBI new rules January 2027 RBI OTP sharing compensation RBI social engineering fraud rules UPI fraud compensation rules આરબીઆઈ ગ્રાહક વળતર નીતિ આરબીઆઈ ગ્રાહક સુરક્ષા નિયમ આરબીઆઈ ડિજિટલ પેમેન્ટ સુરક્ષા આરબીઆઈ ડિજિટલ ફ્રોડ વળતર નિયમો આરબીઆઈ નવા ફ્રોડ નિયમો આરબીઆઈ નવો નિયમ 2027 આરબીઆઈ ફ્રોડ ગાઇડલાઇન્સ આરબીઆઈ સાયબર ફ્રોડ વળતર ઓટીપી ફ્રોડ બેંક જવાબદારી ઓટીપી ફ્રોડ વળતર ઓટીપી શેર કરવા પર વળતર ઓટીપી સ્કેમ રિફંડ ઓનલાઇન છેતરપિંડી વળતર ઓનલાઇન પૈસા ચોરી વળતર ઓનલાઇન સ્કેમ વળતર ગુજરાતી બેંકિંગ ન્યૂઝ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફ્રોડ ડિજિટલ ફ્રોડ ક્લેમ પ્રક્રિયા ડિજિટલ ફ્રોડ નુકસાન ભરપાઈ ડિજિટલ બેંકિંગ ફ્રોડ નિયમો નાણાકીય છેતરપિંડી વળતર બેંક એકાઉન્ટ ફ્રોડ વળતર બેંક છેતરપિંડી વળતર નિયમ બેંક ફ્રોડ વળતર યોજના બેંકિંગ ગ્રાહક અધિકાર બેંકિંગ ફ્રોડ નવી માર્ગદર્શિકા સાયબર ક્રાઇમ ફરિયાદ પ્રક્રિયા સાયબર ક્રાઇમ વળતર મેળવવાની રીત સાયબર ફ્રોડ 5 દિવસની સમયમર્યાદા સાયબર ફ્રોડ પુરાવા સાયબર સિક્યોરિટી નિયમો સાયબર હેલ્પલાઇન 1930
