• 4 February, 2026 - 7:39 AM

બજેટમાં ફેસલેસ ફેરઆકારણી કરતાં અધિકારીની વ્યાખ્યા બદલી નાખતા હજારો કેસો નીકળી જશે

પાછલી મુદતથી ચાર ફેરફારો કરવામાં આવ્યા

  • ફેસલેસ સિવાયના અધિકારીઓને કેસ રિઓપન કરવાની સત્તા આપી દેવામાં આવી
  • 20 લાખથી ઓછી સ્થાવર મિલકત સિવાયની કોઈપણ અસ્ક્યામતો બતાવવાની રહી ગઈ હોય તો તેમને પ્રોસિક્યૂશનમાંથી પહેલી ઓક્ટોબર 2024થી મુક્તિ આપી દેવાનો
  • ડિન નંબર લખ્યો ન હોય તેવા આકારણી ઓર્ડરને રદ થતાં અટકાવી દેવાનો નિર્ણય નાણાં મંત્રીએ લીધ

આવકવેરાની આકારણીના રિઓપનિંગ કેસોમાં અલગ અલગ કોર્ટના ચૂકાદાઓને કારણે ઊભા થયેલા વિવાદને પરિણામે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોનો નિકાલ લાવી દેવા માટે આવકવેરા ધારાની કલમ 148, 148એની વ્યાખ્યામાં ફેરફાર કરી દીધો છે.

આ ફેરફાર હેઠળ આકારણી અધિકારી એટલ  કે ફેસલેસ આકારણી કરનાર ઓફિસર સિવાયના તમામ અધિકારીઓને કેસ રિઓપન કરવાની સત્તા આપી દેવામાં આવી હોવાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડનું કહેવું છે. આ સત્તા તેમને પહેલી એપ્રિલ 2021થી આપવામાં આવી છે. આ ફેરફાર કરવાના નિર્ણયને પરિણામે દેશની જુદી જુદી કોર્ટમાં પેન્ડિંગ પડેલા હજારો કેસોનો સરળતાથી ઉકેલ આવી જશે. બહુધા કેસો કોર્ટમાંથી નીકળી જ જશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ઓગસ્ટ 2019ના પરિપત્ર નંબર 19માં કોમ્પ્યુટર જનરેટેડ ડૉક્યુમેન્ટઆઈડેન્ડિફિકેશન નંબર-ડિન નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. આ નંબરનો ઉલ્લેખ ન કર્યો હોય તેવા ઘણાં આકારણીના ઓર્ડર રદ કરી દેવામાં આવ્યા હતા. દેશની ઘણી કોર્ટોઓ આ કેસો કાઢી નાખ્યા હતા.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કલમ 292-બીમાં ફેરફાર કરીને આકારણી ઓર્ડરમાં ડિન નંબર લખેલો હોય અને અન્ય નોટિસમાં ડિન નંબર ન લખેલો હોય તો તેવા ઓકારણી ઓર્ડરને કાયાદસર ગણાવી દેવાનો નિર્ણય બજેટના માધ્યમથી લીધો છે. આ નિર્ણયને પહેલી ઓક્ટોબર 2019થી અમલમાં લાવવાનો નિર્ણય લીધો  હોવાથી તેની વ્યાપક અસર પડતી જોવા મળશે, એમ ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે.

તદુપરાંત નાના અને શરતચૂકથી જે કરદાતાઓ વિદેશી આવક અને અસ્ક્યામતો રિટર્નમાં દર્શાવી ન શક્યા હોય કે તેના પર ટેક્સ ભરવાનો ચૂકી ગયા હોય તેમને 20 લાખથી ઓછી સ્થાવર મિલકત સિવાયની કોઈપણ અસ્ક્યામતો બતાવવાની રહી ગઈ હોય તો તેમને પ્રોસિક્યૂશનમાંથી પહેલી ઓક્ટોબર 2024થી મુક્તિ આપી દેવાનો નિર્મણ બજેટના માધ્યમથી લેવામાં આવ્યો છે.

આવકવેરા ધારાની કલમ 153 અને 153-બીમાં પહેલી ઓક્ટોબર 2009થી ફેરફાર કરીને કલમ 144-સી (13) હેઠળ કરવામાં આવેલા ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન પેનલ-ડીઆરપીના ઓર્ડર થયા પછીના એક મહિના બાદના 30 દિવસ પછી એટલે કે ડીઆરપીનો ઓર્ડર થયા પછીના એક મહિના અને 30 દિવસની અંદર ઓર્ડર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેને પરિણામે દેશની વિવિધ કોર્ટે આપેલા ચૂકાદાઓની અસરહીન થઈ જશે. આ વિવાદા સ્પદ બનવાની સભાવના છે. તેને કારણે કલમ 153 તેમ જ કલમ 153 બી અને કલમ 144-સી અંગેના જુદાં જુદાં અર્થઘટનો પર પણ પડદો પડી જશે. આમ આવકવેરા ધારાની કલમ 92સીએ(3એ) તથા કલમ 153 અને 153બી હેઠળની વિસગતતા દૂર કરીને 60 દિવસની ડેફિનેશનમાં સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.

Read Previous

ખેતી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ તૈયાર કરાવશે

Read Next

વિદેશ પ્રવાસના પેકેજ પર હવે માત્ર બે ટકા જ ટીસીએસ કરવો પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular