જાન્યુઆરી માસના વેચાણનું બિલ માર્ચના રિટર્નમાં બતાવે તો બાકી ટેક્સ પરનું વ્યાજ આપમેળે ઉમેરાઈ જશે

જીએસટીની વ્યાજ ગણતરીની સિસ્ટમમાં જાન્યુઆરીથી ફેરફાર થયોઃ વિલંબથી ચૂકવેલા જીએસટી પર વેપારી વ્યાજ જમા નહિ કરાવે તો જીએસટીઆર-૩બી અપલોડ જ નહિ થાય
અમદાવાદઃ વેપારીઓએ જાન્યુઆરીમાં કરેલા વેચાણના ઇન્વોઈસ અને તેના ફેબુ્રઆરીની ૨૦મી સુધીમાં ભરવાનો થતો જીએસટીઆર-૩બીમાં કેટલાક ઇન્વોીસ બતાવવાના અને તેના પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવાનો રહી જાય અને તે વિગતો વેપારી તેના માર્ચ માસમાં જમા કરાવેલા જીએસટીઆર-૩બીમાં બતાવશે તો જાન્યુઆરીમાં ભરવાના રહી ગયેલા ટેક્સ પર સિસ્ટમ આપોઆપ જ ઉમેરી લેશ. અત્યારે વેપારીઓ વિલંબથી જીએસટી જમા કરાવવા પર ભરવાનું થતું વ્યાજ નહોતા ભરતા તો પણ સિસ્ટમમાં આપોઆપ રિટર્ન સ્વીકારાઈ જતું હતું. હવે સિસ્ટમમાં એવી ગોઠવણ કરી દેવામાં આવી છે કે વિલંબથી જીએસટી જમા કરાવનારા તેના પરનું વ્યાજ જમા ન કરાવે તો સિસ્ટમ તેમનું રિટર્ન સ્વીકારશે જ નહિ. હા, જે વેપારીના ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં બેલેન્સ પડયું હશે તેમના વ્યાજ તે બેલેન્સ સામે જ આપોઆપ એડજસ્ટ થઈ જશે. તેમણે અલગથી વ્યાજ ભરવું પડશે નહિ, એમ જીએસટીના એક્સપર્ટ નયન શેઠનું કહેવું છે.
જીએસટીના એક્સપર્ટ વારિસ ઇશાનીનું કહેવું છે કે ત્યારે તો ૨૦મી તારીખ સુધીનું રિટર્ન ૨૨મી તારીખે ભરે અને તેમાં બાકી રકમ પરનું બે દિવસનું વ્યાજ જમા ન કરાવે તો પણ જીએસટીએનની સિસ્ટમ તે રિટર્ન સ્વીકારી લે છે. પરંતુ હવે પછી એટલે કે જાન્યુઆરી ૨૦૨૬ પછી તે શક્ય બનશે નહિ, એમ જીએસટીએન કાઉન્સિલે બહાર પાડેલી એડવઈઝરીમાં જણાવવામાં આવ્યું છે. જીઆસટીઆર ૩બીમાં વેચાણના ઇન્વોઈસની સાથે સાથે ખરીદીના બિલ પણ મૂકીને વેપારીની વાાસ્તવિક વેરો ભરવાની જવાબદારી કેટલી આવે છે તે જણાવવામાં આવે છે. આ જ રીતે જીએસટીઆર-૧માં આઉટવર્ડ સપ્લાયની વિગતો આપવામાં આવે છે. તેમાં વેચાણની કોઈ વિગતો દર્શાવવાની રહી જાય તો તે જીએસટીઆર-૧એમાં દર્શાવી શકાય છે. તેમાં પણ દર્શાવવામાં ચૂક કરે અને ત્યારબાદના મહિનામાં વેચાણના ઇન્વોઈસ અને ટેક્સ લાયેબિલીટી વેપારી બતાવે તો પણ તેના પરનું વ્યાજ પણ સિસ્ટમમાં દેખાવા માંડશે. ટેકનિકલ ભાષામાં ંતેને ઓટો પોપ્યુલેટેડ ઇન્ટરેસ્ટ લાયેબિલીટી તરીકે ઓળખાવવામાં આવે છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં અત્યારે પ્રવર્તતી જોગવાઈ મુજબ પહેલા આઈજીએસટી પરની ત્યારબાદ સીજીએસટી પરની અને છેલ્લે એસજીએસટીની પેન્ડિંગ ક્રેડિટ લેવા દેવામાં આવે છે. પરંતુ કાયદાકીય જોગવાઈ મુબજ પહેલા આઈજીએસટી પરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા દીધા બાદ બાકીના સીજીએસટી અને એસજીએસટીની ટેક્સ ક્રેડિટ પરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ૫૦-૫૦ ટકાના ધોરણે આપવી જોઈએ. પહેલા આ શક્ય નહોતું. પરંતુ જીએસટીએન કાઉન્સિલે ફેરફાર કરીને હવે સીજીએસટી અને એસજીએસટી પરની પેન્ડિંગ ટેક્સ ક્રેડિટ ૫૦-૫૦ ટકાના પ્રમાણમાં સાથે જ મળે તેવી કાયદાકીય પદ્ધતિને પ્સ્થાપિત કરી દીધી છે.




