ચોથી ઓક્ટોબરથી બેન્કમાં જમા કરાવો અને બે જ કલાકમાં તમારા ખાતામાં પૈસા આવી જશે
૪ આક્ટોબર ૨૦૨૫થી અમલમાં આવશે અને તબક્કાવાર રીતે જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં દેશભરમાં લાગુ કરાશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા નિયમો મુજબ બેંકો હવે ચેક ક્લિયરિંગ માટે બેચ સિસ્ટમને બદલે સતત ક્લિયરિંગ(Constant clearing) પદ્ધતિ અપનાવશે
અત્યારે બે ત્રણ કલાકમાં જમા આવતા તમામ ચેક ક્લિયરિંગ માટે સામટા મોકલવામાં આવે છે. હવે ચેક ક્લિયરિંગ માટે આવે એટલે તરત જ મોકલી દેવામાં આવશે.
ચેક ક્લિયરિંગની અત્યારની સિસ્ટમમાં ખાતામાં રકમ જમા દેખાતા એકથી દોઢ દિવસ કે બે દિવસ લાગી જાય છે. તેને બદલે ચોથી ઓક્ટોબરથી અમલમાં આવનારી સિસ્ટમને કારણે જે તે દિવસે જ કે બેન્ક બંધ થાય તે પહેલા જ તમારા ખાતામાં ચેકની રકમ જમા આવી જશે. કારણ કે તમે બેન્કમાં ચેક જમા આપશો કે તરત જ બેન્ક કર્મચારી ચેક સ્કેન કરીને ક્લિયરિંગ માટે ચેક ટ્રન્કેશન સિસ્ટમ(cheque truncation system)થી ક્લિયરિંગ માટે મોકલી આપશે. અત્યારે ચાલતી ચેક ટ્રન્કેશન સિસ્ટમ પર જ ચેકની ઇમેજને ક્લિયર કરવા માટે મોકલવાની આવશે. સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી બેન્ક સતત ચેક સ્કેન કરીને ઇમેજ ક્લિયરિંગ હાઉસમાં ક્લિયરિંગ માટે અપલોડ કરવાનુ ચાલુ રાખી શકશે.
રિઝર્વ બેન્ક(RBI) દ્વારા દાખલ કરવામાં આવી રહેલી નવી ચેક ક્લિયરિંગની સિસ્ટમ(new cheque clearing System)ને કારણે ખાતેદારને ઝડપથી રકમ મળતી થશે. ચેકક્લિયર થવામાં મોડું થશે નહીં. પરિણામે વ્યક્તિગત તથા નાના વ્યવસાયોને (Benefit to MSME)રોકડની અત્યારે પડતી અછત ઓછી થઈ જશે. તેમના નાણાંકીય વહેવારો ઝડપી બની જશે. બેન્ક ખાતેદારોને તરત જ નાણાં મળી જશે. ગ્રાહકોને અંદાજ આવશે કે ક્યારે રકમ તેના ખાતામાં આવી જશે. જોકે ચેક ઇશ્યૂ કરનાર ખાતામાં પૂરતા બેલેન્સ વિના ખાતામાંથી ચેક ફાડશે (Don’t issue cheque without Balance)તો તેણે ભારે પેનલ્ટીનો સામનો કરવાની નોબત આવી શકે છે.
ચેક ટ્રન્કેશન સિસ્ટમ
અવિરત ક્લિયરિંગની સિસ્ટમથી બેન્કોને પણ તેનાથી લાભ થશે. સતત ક્લિયરિંગની સિસ્ટમનથી બેંકો તેમના દૈનિક નાણાં પ્રવાહ સારી રીતે જાળવી કે સંભાળી શકશે. થોડા વરસો પહેલા દાખલ કરવામાં આવેલી ચેક ટ્રન્કેશન સિસ્ટમનો વધુ કાર્યક્ષમતાથી ઉપયોગ થશે. બીજું ચેક ગુમ થવું, ચેકના નાણાં મળવામાં વિલંબ થવાની શક્યતા ઓછી થઈ જશે. ઘણીવાર બેન્કો ખાતેદારના ખાતામાં રકમ જમા આપવામાં વિલંબ કરે છે. કેટલીકવાર આ ગાળો ૨૪થી ૪૮ કલાક સુધીનો હોવાનું જોવા મળે છે. પેન્શનરના નાણા જમા આપવામાં ખાનગી બેન્કો પણ ભયંકર વિલંબ કરતી હોવાનું જોવા મળે છે.
ટેક્નોલોજીમાં બેન્કે ખર્ચ કરવો પડશે
ચોથી ઓક્ટોબરથી ચેક ટ્રન્કેશન સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવા માટે દરેક બેન્કોએ નવી ટેકનોલોજી અને સિસ્ટમને અપગ્રેડ (Additionl expense for infrastructure)કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે. બેન્કના કર્મચારીઓએ ચેકની ઇશ્યૂ કરનારની સહીની ચકાસણી કરવાના દબાણ હેઠળ રહેવું પડશે. ફ્રોડ ચેક, સિગ્નેચર મિસમેચ કે અન્ય ભૂલોને પકડી પાડવા માટે ઝડપથી કામગીરી કરવી પડશે. આ કામગીરી કરવી તેમને માટે તકલીફ દાયક બનશે. નાની નાણાકીય સંસ્થાઓ માટે સતત રકમ નીકળતી રહે એ એક પડકાર બની શકે છે. તેમણે તેમના નવા ચેક માટેની રકમ ખાતામાં જમા રાખવી પડશે. અન્યથા ચેક બાઉન્સ થવાની સમસ્યા વકરી શકે છે. બીજું, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ખાતામાં સિલક નહિ હોય તો ચેક ઇશ્યૂ કરવાનું પસંદ કરશે નહિ. પહેલાની જેમ ચેક બાઉન્સ થવાની સમસ્યા સમય જતાં હળવી બની જવાની સંભાવના છે.
ચોથી ઓક્ટોબરથી આ નવી સિસ્ટમનો અમલ કરવામાં આવે ત્યારે શરૃઆતમાં ટેકનિકલ ખામીઓ, સ્ટાફ તાલીમ અને પ્રોસેસ બદલાવને કારણે કેટલાક અવરોધ આવી શકે છે. ગામડાંની બેન્કો અને દૂરસુદૂરના વિસ્તારની મુશ્કેલી વધી શકે છે. તેમની પાસેનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું ન હોય તો તેમને માટે તકલીફ વધી જશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન ધરાવતા વિસ્તારોમાં સતત ક્લિયરિંગ સુવ્યવસ્થિત રીતે અમલમાં લાવવી મુશ્કેલ બની શકે છે. ચેક ટ્રન્કેશન સિસ્ટમમાં ત્વરિત ક્લિયરિંગને કારણે બેન્કોએ વધારાના ખર્ચને કરવો પડશે. આ ખર્ચ બેન્કો ગ્રાહકોને માથે નવી ફી લાદીને તેમની પાસેથી વસૂલ કરી શકે છે.
નવી વ્યવસ્થા અમલમાં મૂક્યાના થોડા સમયમા ંજ ચેક ક્લિયરિંગના નવા ચાર્જ ગ્રાહકોને માથે બેન્કો નાખે તેવી સંભાવના