• 4 February, 2026 - 12:37 PM

કસ્ટમ્સ કમિશનર પબ્લિક નોટિસ પાછી ખેચી લે તેવી કસ્ટમ્સ બ્રોકરોની માગણી

 

અધિકારીઓને નામે પૈસા માગતા કસ્ટમ્સ બ્રોકર અંગેની નોટિસનો વિવાદ વકર્યો

દેશની ૨૦ કમિશનર કચેરીને તથા નાણાં મંત્રીને નોટિસ મોકલી, પબ્લિક નોટિસ તત્કાળ પાછી ખેંચી લો

ચેન્નઈના કસ્ટમ્સ કમિશનર પબ્લિક નોટિસ બિનશરતી પાછી ખેંચે અને કસ્ટમ્સ બ્રોકરોની માફી માગી લે

અમદાવાદ: આયાત અને નિકાસ કરનારાઓના આયાત અને નિકાસના કન્સાઈનમેન્ટ ક્લિયર કરાવવા માટે  તેમની પાસેથી કસ્ટમ્સ અધિકારીઓને નામે પૈસાની માગણી કરવાથી દૂર રહેવાની કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ કે કસ્ટમ્સ બ્રોકરને જાણ કરતી પબ્લિક નોટિસ કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સને ખોટી રીતે બદનામ કરતી હોવાનું જણાવીને આ પબ્લિક નોટિસ પાછી ખેંચી લેવાની કસ્ટમ્સ કમિશનરને ફરજ પાડવાની માગણી કરતી એક નોટિસ કસ્ટમ્સ હાઉસ બ્રોકર્સ એસોસિયેશન તરફથી ચેન્નઈના કસ્ટમ્સકમિશનરને આપવામાં આવી છે.

ભારતના રેવન્યુ સેક્રેટરી, સીબીઆઈસીના ચેરમેન, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને દેશભરના ચીફ કસ્ટમ્સ કમિશનરનીક કચેરીને નોટિસ આપીને ચેન્નઈના કમિશનરે બહાર પાડેલી પબ્લિક નોટિસ પાછી ખેંચી લેવાની માગણી ફેડરેશન ઓફ કસ્ટમ્સ બ્રોકર એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ આયાતકાર અને નિકાસકાર પાસેથી કન્સાઈનમેન્ટ ક્લિયર કરાવવા અધિકારીઓને નામે પૈસા માગતા હોવાની વાત બિનજરૂરી અવલોકનને આધારે કરવામાં આવેલી વાત છે. આ પબ્લિક નોટિસમાં કસ્ટમ્સ બ્રોકરો-કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ સામે કરવામાં આવેલા આક્ષેપ પાયાવિહોણા છે. ચેન્નઈ કમિશનરની પબ્લિક નોટિસથી ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ મુજબ કસ્ટમ્સ બ્રોકરોની ખોટી રીતે બદનામી થઈ રહી છે.

નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ચેન્નઈના કમિશનર પબ્લિક નોટિસના માધ્યમથી કસ્ટમ્સ બ્રોકર્સને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને નુકસાન પહોંચાડી રહ્યા છે. કાર્યકુશળ અને પારદર્શક વહીવટને નામે પબ્લિક નોટિસના માધ્યમથી કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સને ડરાવવાનો, તેમને ભયના ઓઠા હેઠળ લાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કસ્ટમ્સ કમિશનરે આ પ્રકારની તેમને મળેલી ફરિયાદો અને તેનો નિકાલ કઈરીતે  કર્યો તેની વિગતો આપવી જોઈએ.

FCBAના સેક્રેટરી પાર્થિક વિજયકુમાર દવેએ તેમની નોટિસમાં કસ્ટમ્સ કમિશનર, ચેન્નાઈ કસ્ટમ્સ બ્રોકરોને બદનામ કરતી પબ્લિક નોટિસ બિનશરતી પાછી ન ખેંચે તો કસ્ટમ્સ બ્રોકર બિલ ઓફ એન્ટ્રી અને શિપિંગ બિલ ફાઈલ કરવાનું જ બંધ કરી દેશે તેવી ચિમકી પણ આપી છે. કસ્ટમ્સ બ્રોકરો બિલ ઓફ એન્ટ્રી કે શિપિંગ બિલ ફાઈલ કરવાનું બંધ કરી દેશે તો તેનાથી દેશમાં મોટી અફરાંતફરી મચી જશે. આયાતકારો અને નિકાસકારોમાં ફફડાટ ફેલાઈ જશે. આયાત અને નિકાસનો વેપાર પણ ભયમાં મૂકાઈ જશે. પરિણામે કોઈપણ જાતની શરત વિના જ ચેન્નઈ કમિશનરે બહાર પાડેલી પબ્લિક નોટિસ પાછી ખેંચી લેવાની અને કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સની માફી મંગાવી લેવાની માગણી પણ કરવામાં આવી છે.

 

Read Previous

Customs Brokers Demand Withdrawal of Public Notice Issued by Customs Commissioner of Chennai

Read Next

ત્રણ દરવાજાથી પાનકોર નાકાના વિસ્તારના અને દુકાનદારો વચ્ચે વધી રહેલો તનાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular