• 3 July, 2026 - 2:39 AM

એફએમસીજી કંપનીના માલનો 7 લાખ દુકાનદારો, ૬૦ હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ બહિષ્કાર કરશે

કંપનીઓને દસ દિવસમાં પત્ર લખીને સમસ્યા ઉકેલવા જણાવવામાં આવશે, ત્યારબાદ એક માસમાં કંપનીઓ કોઈ પગલાં નહિ લે તો ડિસ્ટ્રીબ્યુટર્સ-રિટેઈલર્સ માલનો બહિષ્કાર ચાલુ કરશે.

છૂટક દુકાનદારો અને ડિસ્ટ્રીબ્યુર્સ સાથે મનમાની કરી રહેલી ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓને આગામી દસ દિવસમાં તેમને કરવામાં આવી રહેલા અન્યાયની જાણ કરતાં પત્રો વેપારીઓના એસોસિયેશન, ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિયેશન તથા ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર્સે એસોસિયેશનના હોદ્દેદારો દસ દિવસ સુધીમાં પત્ર વ્યવહાક કરીને તેમને કરવામાં આવી રહેલા અન્યાય બંધ કરવાની માગણી કરશે. ત્યારબાદ પણ એફએમસીજી કંપનીઓ નહિ માને તો તેવા સંજોગોમાં દુકાનદારો ને ડિસ્ટ્ર્યીબ્યુટર્સ તેના માલન બહિષ્કાર કરશે.

અત્યારે મહિને રૂ. 1.5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારાઓ 9000 સભ્યો છે. અમને નાના વેપારીઓ તરફથી સંખ્યાબંધ ફરિયાદો આવવા માંડી છે. તેથી અણે નાના દુકાનદારોને માત્ર રૂ. 100 લઈ બંને એસોસિયેશનના સભાસદ બનાવવાનું ચાલુ કરી રહ્યા છીએ.  ત્યારબાદ સહુ એકજૂટ થઈને કંપનીઓ સામે લડત છેડશે.

બંને એસોસિયેશનના હોદ્દેદારોનું કહેવું છે કે પહેલા અમે એફએમસીજી કંપનીઓને પત્ર લખીને તેમની માગણીઓની જાણ કરીશું. કંપનીઓ તેમની વાતનો સ્વીકાર નહિ કરે તો તેવા સંજોગોમાં તેમના માલનો બહિષ્ક્રાર કરવાનું ચાલુ કરવામાં આવશે. નાના વેપારી કે મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ તેમના માલ ઉપાડીને બજારમાં તેનું વિતરણ કરશે નહિ. આ લડત આગામી એકથી સવા મહિનામાં ચાલુ કરી દેવામાં આવશે. આ રીતે મોટા ડિસ્ટ્રીબ્યુટર્સની અને નાના દુકાનદારોની સલામતીની રક્ષા કરવામાં આવશે.

પહેલા નાના ડિસ્ટ્રીબ્યુટર્સના માધ્યમથી શરૂઆત કરાવીને મોલમાં પોતાની મેળે સપ્લાય ચાલુ કરી દઈને ડિસ્ટ્રીબ્યુટર્સના કામ છીનવી લેવામાં આવ્યા છે. બીજીતરફ પેમેન્ટની બાબતમાં જોખમી જણાય તેવા નાના નાના મોલ ડિસ્ટ્રીબ્યુટર્સના સપ્લાય માટે ખૂલ્લા રાખવામાં આવ્યા છે. પરિણામે ડિસ્ટ્રીબ્યુટર્સના પૈસા સલવાઈ જવાની નોબત આવી ગઈ છે. પરિણામે કંપનીઓ અને વેપારીઓ માટે કેન્દ્ર સરકારે રચેલા નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડની રજૂઆત કરી છે. કંપનીના નિયમોને કારણે ડિસ્ટ્રીબ્યુટર્સના પૈસા સલવાયા છે તેવા કિસ્સાઓમાં કંપનીઓ તેમના ધંધામાંથી 5થી 10 ટકા રકમ રિઇમ્બર્સ કરીને ડિસ્ટ્રીબ્યુટર્સને ચૂકવે દેવી જોગવાઈ કરવાની માગણી કરવામાં આવી છે. તેમ નહિ થાય તો ડિસ્ટ્રીબ્યુટર્સ ડૂબી જશે અને તેમના માણસો બેરોજગાર બની જશે.

ગૂજરાતમા નોંધાયેલા સિત્તેર લાખ દુકાનોમાંથી 7 લાખ જેટલી દુકાનો બધ પડી ગઈ છે. પરંતુ એફએમસીજી કંપનીઓ 92 ટકા બિલિંગનો આગ્રહ રાખે છે. 92 ટકા બિલિંગ ન કરનારાઓ ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવે છે. બીજીતરફ કંપનીની ન વેચાતી વસ્તુઓ પણ વેચી આપવાની સેલ્સ મેનને ફરજ પાડવામાં આવી રહી છે. તેથી સેલ્સ મેન ખોટા બિલ બનાવીને ભળતા જ નામના ચેક બનાવીને આપી દે છે. આ ચેક બાઉન્સ થાય છે. તેમાં પણ ડિસ્ટ્રીબ્યુટર્સના નાણાં સલવાઈ જાય છે. તેથી બંધ પડી ગયેલી દુકાનોને એફએમસીજી કંપનીઓ તત્કાળ તેની યાદીમાંથી દૂર કરે તેવી માગણી કરવામાં આવી છે.

ગુજરાતમાં ટ્રેડર્સ બોર્ડની રચના કરવામાં આવશે

હું નાના વેપારીઓની વાતને સમજી રહ્યો છું. તેને માટે સ્ટાન્ડર્ટ ઓપરેટીવ પ્રોસિજર તૈયાર કરવા જણાવી રહ્યો છું. ત્યારબાદ વન ટુ વન ચર્ચા કરીશું. તેમની તમામ સમસ્યાનો ઉકેલ લાવીશું. ગુજરાતમાં પણ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડની રચના કરવાની સૂચના અમે ગુજરાતના મુખ્યમંત્રીને પણ આપી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં ગુજરાત ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડની રચના થઈ જશે. દરેક ડિસ્ટ્રીક્ટ લેવલે કમિટીઓની રચના કરવામાં આવશે. દિલ્હી, મધ્યપ્રદેશમાં બોર્ડ બની રહ્યા છે. આ રીતે દરેક રાજ્યના ટ્રેડર્સને એકજૂટ કરીશું. તેમની સમસ્યાઓને ઉકેલવા માટે કંપનીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય પર આવીશું, એમ કેન્દ્ર સરકારે રચેલા નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના પ્રેસિસડન્ટ સુનિલ સિંઘીએ જણાવ્યુ હતું.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

7 Lakh Retailers, 60,000 Distributors to Boycott FMCG Products

Most Popular