• 15 April, 2026 - 3:56 PM

ટ્રમ્પ હોર્મુઝ જળમાર્ગ પર નાકાબંધી કેમ કરવા માંગે છે

અમેરિકાના પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન સાથે શાંતિ ચર્ચાઓ નિષ્ફળ જતા હવે અમેરિકા વૈશ્વિક તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ હોર્મુઝની ખાડી પર નાકાબંધી શરૂ કરશે. આ જાહેરાત અચાનક થઈ,છે. ઇસ્લામાબાદમાં થયેલી વાતચીત કોઈ સમજૂતી વિના સમાપ્ત થઈ ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી છે. જોકે નાકાબંધી  સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવશે, તો તે તણાવમાં મોટો વધારો કરી શકે છે. વિસ્તારમાં ખુલ્લા સંઘર્ષની સ્થિતિ ઊભી કરી શકે છે. દરમિયાન, અમેરિકન નૌસેનાના ડિસ્ટ્રોયર જહાજો હવે આ જળમાર્ગ પર કાર્યરત છે. આ જહાજ 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષ પછી પહેલી વાર જોવા મળ્યું છે.

ટ્રમ્પ હોર્મુઝ બ્લોકેડ કેમ ઇચ્છે છે અને તે કેવી રીતે કામ કરશે?

હોર્મુઝની ખાડીને નાકાબંધી કરવાનો નિર્ણય ઇસ્લામાબાદમાં થયેલી મહત્વપૂર્ણ ચર્ચાઓ નિષ્ફળ જતા તરત જ લેવામાં આવ્યો હતો. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી.વાન્સે એ વાતની પુષ્ટિ કરી કે કોઈ કરાર થયો નથી. તેમણે કહ્યું હતું કે, “અમે તેહરાનને તેના પરમાણુ કાર્યક્રમ છોડવા અને સમુદ્રી તણાવ સમાપ્ત કરવા અંતિમ ઓફર આપી હતી, પરંતુ તેમણે શાંતિ કરતાં કડક વલણ પસંદ કર્યું હતું. તેથી મંત્રણા સફળ થઈ નથી.”

બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અર્ઘાચીએ કહ્યું હતું કે બંને પક્ષો સમજૂતીની નજીક હતા, પરંતુ અમેરિકા અચાનક પોતાના શરતો બદલવા માંડ્યું હતું. પરિણામે વાત હોર્મુઝની ખાડીની કા બંધી કરવા સુધી પહોંચી છે.

નાકાબંધી કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે?

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સવારે દસ વાગ્યે નાકાબંધી અમલમાં મૂકે છે. અમેરિકા કહે છે કે આ પગલું ઈરાનના પરમિશન આધારિત સિસ્ટમને તોડવા માટે લેવાયું છે. છેલ્લા એક મહિનાથી ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ આ માર્ગ પર નિયંત્રણ રાખી રહી હતી અને કેટલાક જહાજો પાસેથી $1 મિલિયનથી વધુ ટોલ વસૂલતી હતી. આ ટોલને ડોનાલ્ડ ટ્રમ્પે આને ગેરકાયદેસર ગણાવી અને જણાવ્યું હતું કે જે કોઈ જહાજ ઈરાનને ટોલ ચૂકવે છે, તેને અમે રોકીશું. હવે બધું જ બધાંને જવા દો અથવા કોઈને પણ ન જવા દોની નીતિ પર જ આધારિત રહેશે.”

નાકાંબંધીનો અર્થ

મિત્ર કે દુશ્મન, કોઈપણ જહાજને નિયંત્રિત વિસ્તારમાં પ્રવેશ અથવા બહાર જવા દેવામાં આવશે નહીં. આ નિર્ણય પછી સમુદ્રી નિયમો સંપૂર્ણ બદલાઈ ગયા છે. હવે મહત્વનું એ છે કે જહાજ ક્યાં જઈ રહ્યું છે. જો કોઈ ભારતીય જહાજ ઈરાનના બંદરો (જેમ કે ખારગ આઇલેન્ડ અથવા બંદર અબ્બાસ) તરફ જશે, તો તેને રોકી શકાય છે. જો તે અન્ય દેશો (કુવૈત, ઇરાક, UAE) તરફ જઈ રહ્યું હોય, તો તેને પસાર થવા દેવામાં આવશે.

ભારત જેવા દેશો માટે આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતને જોઈતો લગભગ 60 ટકા ઊર્જા અને ખાતર સપ્લાય આ માર્ગથી જ પસાર થાય છે. ભારતના  હાલમાં લગભગ 150 ઓઇલ ટેન્કર અટવાઈ ગયા છે.  જેના કારણે શિપિંગ ખર્ચ વધી રહ્યો છે. વિલંબ વધી રહ્યા છે. વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર થઈ રહી છે.

પગલાંનો ઉદ્દેશ

અમેરિકા ઈરાનની આવકના મુખ્ય સ્ત્રોતને અટકાવવા માંગે છે. એક, અમેરિકા ઈરાનના બંદરોમાં જહાજોની અવરજવર રોકવા માગે છે. બે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર દબાણ લાવવા માગે છે. બીજીતરફ ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપી છે કે “આ વિસ્તાર દુશ્મન માટે જીવલેણ બની શકે છે.”

તેલના ભાવ અને બજાર પર અસર

નાકાબંધીની બ્લોકેડની જાહેરાત પછી બજારમાં તરત અસર જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ સાત ટકા વધીને 102.31 અમેરિકી ડૉલરની સપાટીને વળોટી ગયા છે. વિશ્વનો લગભગ 20 ટકા ઓઈલ સપ્લાય આ જ માર્ગથી પસાર થાય છે. પરિણામે એશિયાઈ દેશો (ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા) પર સૌથી વધુ અસર થશે.

21 કલાકની ચર્ચા નિષ્ફળ

અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક ચાલેલી ચર્ચા કોઈ પરિણામ વગર પૂર્ણ થઈ ગઈ છે.
અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ ઈરાન પરમાણુ હથિયાર ન બનાવે તેની ખાતરી રાખવાનો છે. બીજીતરફ ઈરાનનું કહેવું છે કે અમેરિકા ખૂબ વધુ શરતો મૂકી રહ્યું છે. આ ચર્ચા 1979 પછી બંને દેશો વચ્ચેના સૌથી ઉચ્ચ સ્તરના સંપર્કોમાંથી એક હતી.

 

Read Previous

રાંધણગેસનો સપ્લાય ખોરવાય તો ભારતની શું હાલત થાય? વિકલ્પો પણ મોજૂદ છે

Read Next

ગુજરાત ચેમ્બરનો વાર્ષિક ટ્રેડ એક્સ્પો ગુજરાતના વિકાસનો નવો માર્ગ ખોલશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular