ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરાર

આયાત ડ્યૂટી રદ કરી દેવામાં આવી, મોટર, કાર, કેમિકલ્સ અને બિયર પર મોટી ડ્યૂટી કાપ અમલમાં
- મશીનરી, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સની મશીનરી પર 44 ટકા સુધી, કેમિકલ્સ પર 22 ટકા સુધી અને દવાઓ પર 11 ટકા સુધીના શુલ્ક મોટા ભાગે રદ થશે
અમદાવાદઃ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરાર અંતિમ રૂપે થયો છે, જેની જાહેરાત મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. લગભગ બે દાયકાની ચાલતી-બંધ થતી વાટાઘાટો બાદ આ કરાર પર સીલ લાગી ગયા છે. આ કરારથી નવી દિલ્હી અને 27 દેશોના યુરોપિયન બ્લોક વચ્ચે વેપાર સંબંધોમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા છે.
આ કરારથી ભારત પોતાના વિશાળ અને અત્યાર સુધી કડક રીતે સુરક્ષિત બજારને EU માટે વધુ ખુલ્લું કરશે. EU ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. એ સમયે બંને પક્ષો અમેરિકા સાથેના અસ્થિર સંબંધો સામે પણ પોતાનો વેપાર સુરક્ષિત રાખવા માગે છે.
EU-યુરોપિયન સંઘના દેશોનું કહેવું છે કે આયાત ડ્યૂટી-આયાત શુલ્કમાં મોટા ઘટાડાથી 2032 સુધી EUની ભારતને થતી નિકાસ બમણી થઈ શકે છે. આ કરારને પ્રધાનમંત્રી મોદીએ “મધર ઓફ ઑલ ડીલ્સ” ગણાવ્યો છે. આ કરાર હેઠળ થયેલી મુખ્ય જાહેરાતો નીચે મુજબ છે.
એક, મોટાભાગના EU-યુરોપિયન સંઘના દેશોમાંથી આવતા માલ પર શુલ્કમાં કાપ મૂકાઈ જશે. EUના દાવા મુજબ ભારત EUમાંથી આવતાં 90 ટકાથી વધુ માલ પર શુલ્ક રદ કરશે અથવા ઘટાડશે. આથી યુરોપિયન નિકાસકારોને મોટો ખર્ચ બચત લાભ મળશે. EUએ અંદાજ લગાવ્યો છે કે દર વર્ષે લગભગ €4 અબજ યુરો જેટલી ડ્યૂટી બચત થશે. બે, ઉચ્ચ શુલ્કવાળા ક્ષેત્રોમાં એટલે કે મશીનરી, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સની મશીનરી પર 44 ટકા સુધી, કેમિકલ્સ પર 22 ટકા સુધી અને દવાઓ પર 11 ટકા સુધીના શુલ્ક મોટા ભાગે રદ થશે. ખાસ કરીને કેમિકલ્સ ક્ષેત્રને મોટો લાભ થશે કારણ કે તે મેન્યુફેક્ચરિંગથી લઈને કન્ઝ્યુમર ગૂડ્સ સુધી અનેક ઉદ્યોગોને આધાર આપે છે.
આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી મેડિકલ ડિવાઈસ, વિમાન અને એરોસ્પેસ પર શુલ્કમાં ભારે ઘટાડો થશે.
ઓપ્ટિકલ, મેડિકલ અને સર્જિકલ સાધનો પર 90% ઉત્પાદનો માટે શુલ્ક રદ થશે. વિમાન અને અંતરિક્ષ ઉત્પાદનો પર પણ લગભગ તમામ માટે શુલ્ક સમાપ્ત થશે, જે ભારતના વિકસતા એવિએશન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. એક, કાર પર શુલ્ક ધીમે ધીમે 10 ટકા સુધી ઘટશે. બે, કાર આયાત પર શુલ્ક ક્રમશઃ 10% સુધી લાવવામાં આવશે. દર વર્ષે માત્ર 2,50,000 વાહનોને જ આ ઘટાડેલ શુલ્કનો લાભ મળશે.
EU સેવા પ્રદાતાઓને વિશેષ પ્રવેશ
નાણાકીય અને દરિયાઈ સેવાઓ જેવા ક્ષેત્રોમાં EUના સેવા પ્રદાતાઓને ભારતમાં વિશેષ પ્રવેશ મળશે, જે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોને અસર કરી શકે છે. એક, ખાદ્ય અને પેય પદાર્થો પર ડ્યૂટીમાં રાહત મળશે. બે, ઓલિવ તેલ, માર્જરીન, વેજિટેબલ ઓઈલ, બિયર અને વાઇન પર શુલ્કમાં ઘટાડો થશે. EU બિયર પર શુલ્ક 50 ટકા સુધી ઘટશે અને વાઇન પર 20–30 ટકા જેટલો કાપ આવશે.
નવા કરાર હવામાન બદલાવ માટે EUનું સમર્થન જરૂરી છે. વેપાર સાથે સાથે EUએ હવામાન સંબંધિત સહાયની જાહેરાત પણ કરી છે. આગામી બે વર્ષમાં ભારતના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો માટે €500 મિલિયનનું સહાય પેકેજ મળશે. 2032 સુધી નિકાસ બમણી થવાની અપેક્ષા છે. EUનું અનુમાન છે કે આ કરારથી 2032 સુધી ભારત માટે તેની નિકાસ બમણી થઈ શકે છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે વેપારનો મોટો વિસ્તારો થશે.




