ઇન્ડિગો એરલાઈન્સે એડવાઈઝરી આજથી અમલમાંઃ એજન્ટો પાસેથી ખરીદેલી ટિકીટ કેન્સલ નહિ કરી આપવામાં આવે

ઇન્ડિગો એરલાઈન્સે એડવાઈઝરી આજથી અમલમાંઃ એજન્ટો પાસેથી ખરીદેલી ટિકીટ કેન્સલ નહિ કરી આપવામાં આવેઃ એજન્ટ્સને કમિશન ન આપવું પડે તેવા પ્રયાસો
અમદાવાદઃ ઇન્ડિગો એરલાઈન્સે આજે એક એડવાઈઝરી બહાર પાડીને એજન્ટ્સ પાસેથી ખરીદવામાં આવેલી એર ટિકીટ કેન્સલ ન કરી આપવાનો નિર્ણય કર્યો છે. ૨૬મી માર્ચથી આ નિયમ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિવિલ એવિયેશન ડિપાર્ટમેન્ટે થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું કે ૪૮ કલાક પહેલા કેન્સલ કરાવવામાં આવતી એર ટિકીટ યાત્રા શરૃ થવાના ૪૮ કલાક પહેલા કેન્સલ કરવામાં આવે તો એરલાઈન્સ તેના પર કોઈપણ જાતની પેનલ્ટી લઈ શકશે નહિ.
ઇન્ડિગો અરલાઈન્સેની વેબસાઈટ કે એપ પરથી ખરીદવામાં આવેલી ટિકીટ જ કેન્સલ કરવામાં આવશે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ૪૮ કલાક પહેલા વિમાન પ્રવાસની ટિકીટ કેન્સલ કરાવવામાં આવે તો તેમને કોઈપણ જાતની પેનલ્ટી ન કરવી જોઈએ તેમ જણાવવામાં આવ્યું હતું. આ જોગવાઈને ચાતરી જવા માટે જ ઇન્ડિગો એકલાઈન્સે એજન્ટ પાસેથી કે પછી થર્ડ પાર્ટિ પ્લેટોર્મ પરથી બુક કરાવેલી ટિકીટોને આ લાભ ન આપવાનો નિર્ણય કર્યો છે. એજન્ટ પાસેથી ખરીદવામાં આવેલી ટિકીટ કેન્સલ ન કરી આપવાના નિર્ણય સામે એજન્ટ્સ એસોસિયેશને સિવિલ એવિયેશન વિભાગને એક પત્ર પણ લખ્યો છે. આ નિર્ણય લઈને એર ટિકીટના બુકિંગ કરનારા એજન્ટ્સને વચ્ચેથી હટાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ર્
એર ઇન્ડિયાએ પણ ૪૮ કલાકના નિયમને માન્ય રાખ્યો છે. પરંતુ સાત દિવસ પછીનું ટ્રાવેલિંગ હોય તેવા કિસ્સાઓમાં જ એજન્ટ પાસે કરાવેલા એર ટિકીટ બુકિંગ ૪૮ કલાક પહેલા કેન્સલ કરાવે તો તેને માટે કોઈ જ ચાર્જ ન લેવાનો પણ નિર્ણય પણ કરી લેવામાં આવ્યો છે.



